જો રાહુલ ગાંધી ભાજપમાં હોત તો તેમની શું સ્થિતિ હોત? પ્રણવદાની દીકરીએ પૂછયો સવાલ

ભારતીય જનતા પાર્ટી (BJP) વંશવાદના મુદ્દે કોંગ્રેસને ઘેરી રહી છે. હવે પૂર્વ રાષ્ટ્રપતિ અને દાયકાઓથી કોંગ્રેસના અગ્રણી નેતા પ્રણવ મુખર્જીની પુત્રીએ પણ પાર્ટીને સલાહ આપી છે. પોતાના પિતા પ્રણવ મુખર્જી પર લખાયેલ પુસ્તક અને તેમાં કરવામાં આવેલા અનેક મહત્વના ઘટસ્ફોટોને લઈને હેડલાઈન્સ બનાવી રહેલી શર્મિષ્ઠાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો કોંગ્રેસને ભારતીય રાજનીતિમાં ફરીથી મહત્વ મેળવવું હોય તો તેને વંશવાદની રાજનીતિમાંથી બહાર આવવું પડશે. તેમણે રાહુલ ગાંધીનું નામ લઈને સીધો પ્રહાર પણ કર્યો અને કહ્યું કે કોંગ્રેસ બે વખત લોકસભા ચૂંટણી હારી ચૂકી છે.

શર્મિષ્ઠા મુખર્જીએ સોમવારે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આ ટિપ્પણી કરી હતી, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. મુખર્જીએ કહ્યું, 'કોંગ્રેસે માત્ર એક કે બે કારણોસર મહત્વ ગુમાવ્યું નથી. આ કેટલાક વર્ષોના સમયગાળા દરમિયાન થયું. જો કોંગ્રેસે ભારતીય રાજકારણમાં ફરીથી મહત્વ મેળવવું હોય તો તેણે વંશવાદી રાજકારણમાંથી બહાર આવવું જોઈએ. મીડિયા સૂત્રો સાથે વાત કરતી વખતે, શર્મિષ્ઠાએ પણ પોતાની વાતનો પુનરોચ્ચાર કર્યો અને નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.

મુખર્જીએ કહ્યું, 'જુઓ, કોંગ્રેસ માટે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, રાહુલ ગાંધી 2014માં ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયા હતા. 2019માં પણ તેઓ જ ચહેરા તરીકે હતા અને ખરાબ રીતે હારી ગયા હતા. લોકસભાની બે ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. કોઈપણ રાજકીય પક્ષમાં કોઈ પણ લીડર વારંવાર હારતો હોય, તો શું BJPમાં આવું થતે, કોઈના નેતૃત્વમાં કોઈ પક્ષ વારંવાર હારતો હોય તો પક્ષના આગેવાનોએ વિચારવાની જરૂર છે કે, પાર્ટીનો ચહેરો કોણ હશે.'

મીડિયા સૂત્રો સાથે વાત કરતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, લોકસભામાં કોંગ્રેસની સીટોની સંખ્યા ઘટી હોવા છતાં પણ રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસની હાજરી ખૂબ જ મજબૂત છે, કારણ કે તે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ છે. તેનું સ્થાન નિર્વિવાદ છે. પરંતુ આ હાજરીને કેવી રીતે મજબૂત કરવી? આ પ્રશ્ન છે. પરંતુ આ અંગે વિચારવાનું કામ કોંગ્રેસના નેતાઓનું છે.' શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, પાર્ટીમાં લોકશાહીની પુનઃસ્થાપના, સભ્યપદ અભિયાન, પાર્ટીની અંદર સંગઠનાત્મક ચૂંટણીઓ અને નીતિગત નિર્ણયોમાં દરેક સ્તરે તળિયાના કાર્યકરોને સામેલ કરવાની જરૂર છે.

નેતૃત્વના પ્રશ્ન પર શર્મિષ્ઠાએ કહ્યું, 'કોંગ્રેસના નેતાઓએ આનો જવાબ આપવો પડશે. પરંતુ કોંગ્રેસ સમર્થક અને જવાબદાર નાગરિક હોવાના કારણે મને પાર્ટીની ચિંતા છે અને ચોક્કસપણે નેતૃત્વ માટે ગાંધી-નેહરુ પરિવારની બહાર જોવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ સમર્થક હોવાને કારણે, પાર્ટી પાસેથી અપેક્ષાઓ અંગે શર્મિષ્ઠાએ કહ્યું, 'કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ કે, શું તે આજે ખરેખર પક્ષની વિચારધારાને આગળ લઈ રહી છે?

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.