મુસ્લિમોનો રસ્તો નથી, હવે બુલડોઝર લઈને યાત્રા કાઢીશુઃ VHPની જાહેરાત

અમે જ્યાં રહીએ છીએ ત્યાંના સંવિધાનને માનીએ છીએ. અમે રૂટ પર જ માર્ચ કાઢી. અમે પોલિસ અને પ્રશાસનની પરવાનગી લઇને જ યાત્રા કાઢી હતી. જય શ્રી રામના નાર લગાવવા ખોટું નથી. બીજીવાર અને બુલડોઝર પર જ ભગવાન રામની પ્રતિમા મુકીને યાત્રા કાઢીશું. આ વાત હાવડામાં રામનવમી શોભાયાત્રાની પ્રમુખ સંયોજક અને દુર્ગાવાહિની દક્ષિણ બંગની પ્રમુખ ઋતુ સિંહે કહી. તેમજ, પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસાને લઇને રાજ્યમાં રાજકારણ પણ ગરમાયુ છે. હિંદુ સંગઠનોએ હાઈકોર્ટ જવાની તૈયારી કરી છે. તેમજ, ઘટનાની તપાસ NIA પાસે કરાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

ઋતુ સિંહે કહ્યું કે, અમે ગેરકાયદેસર કશું જ નથી કર્યું. રામ નવમી પર યાત્રા કાઢવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. બેવાર પોલીસ અને પ્રશાસન સાથે અમારી બેઠક થઈ. બેઠકમાં જણાવી દેવામાં આવ્યું હતું કે, જુલૂસમાં જય શ્રી રામના નારા લાગશે. એક ચેનલ સાથે વાતચીતમાં હિંદુ સંગઠનની નેતાએ કહ્યું કે, શું રસ્તા તેમના (મુસ્લિમો) છે, અમારા નથી? ત્યાં હિંદુ પણ રહે છે. આઠ-દસ કોમ્પ્લેક્સ છે જ્યાં માત્ર હિંદુઓ રહે છે. મુસ્લિમોનો રસ્તો નથી. દસ વર્ષથી અમે એ જ રસ્તા પર યાત્રાનું આયોજન કરીએ છીએ.

ઋતુ સિંહે કહ્યું કે, અમે ડીજે લઇને નીકળ્યા હતા. અમારા જુલૂસમાં ક્યાંય બુલડોઝર નહોતું. તેમ છતા પણ અમને લોકોને કહેવામાં આવ્યું કે, અમે યાત્રામાં બુલડોઝર લઈને ગયા હતા, જો એવો આરોપ લાગી રહ્યો છે તો અમે આ વખતે જાહેરાત કરીએ છીએ કે બીજીવારની યાત્રામાં બુલડોઝર હશે. તેમણે કહ્યું કે, બુલડોઝરમાં જ ભગવાન શ્રી રામને બિરાજમાન કરીને યાત્રા કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે, હાવડા હિંસાના મામલામાં અમે CBI અને INAની તપાસની માંગ કરીશું. હાઈકોર્ટમાં અરજી કરવા જઈ રહ્યા છીએ. VHP તરફથી રાજ્યપાલને પણ આવેદન આપીશું.

છેલ્લાં કેટલાક વર્ષોથી જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં કોઈપણ ધાર્મિક સમારોહ અથવા જુલૂસને લઈને ઝડપો થાય છે, તો આવનારા થોડાં દિવસોમાં જે કંઈ પણ હોય છે, તે રાજકીય ઘમાસાન અને પૈસા ખર્ચ કરનારા એપિસોડની એક શ્રૃંખલા થાય છે. આશ્ચર્યની વાત નથી કે હાવડા જિલ્લામાં ગુરુવારે રામનવમીના જુલૂસને લઈને થયેલી ઝડપો, જે શુક્રવાર બપોર સુધી ચાલુ રહી, એ પણ આ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એ સ્વીકાર કરતા કહ્યું હતું કે, સ્થિતિને ગંભીર થતા પહેલા જ નિયંત્રણમાં લાવવામાં રાજ્ય પોલીસ તરફથી ચૂક થઈ છે, જુલૂસના આયોજકોને, જે તેમના અનુસાર BJPના સમર્થક છે, હિંસા માટે જવાબદાર ગણાવ્યા છે.

Related Posts

Top News

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
National 
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
National 
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.