મુસ્લિમોનો રસ્તો નથી, હવે બુલડોઝર લઈને યાત્રા કાઢીશુઃ VHPની જાહેરાત

અમે જ્યાં રહીએ છીએ ત્યાંના સંવિધાનને માનીએ છીએ. અમે રૂટ પર જ માર્ચ કાઢી. અમે પોલિસ અને પ્રશાસનની પરવાનગી લઇને જ યાત્રા કાઢી હતી. જય શ્રી રામના નાર લગાવવા ખોટું નથી. બીજીવાર અને બુલડોઝર પર જ ભગવાન રામની પ્રતિમા મુકીને યાત્રા કાઢીશું. આ વાત હાવડામાં રામનવમી શોભાયાત્રાની પ્રમુખ સંયોજક અને દુર્ગાવાહિની દક્ષિણ બંગની પ્રમુખ ઋતુ સિંહે કહી. તેમજ, પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસાને લઇને રાજ્યમાં રાજકારણ પણ ગરમાયુ છે. હિંદુ સંગઠનોએ હાઈકોર્ટ જવાની તૈયારી કરી છે. તેમજ, ઘટનાની તપાસ NIA પાસે કરાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

ઋતુ સિંહે કહ્યું કે, અમે ગેરકાયદેસર કશું જ નથી કર્યું. રામ નવમી પર યાત્રા કાઢવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. બેવાર પોલીસ અને પ્રશાસન સાથે અમારી બેઠક થઈ. બેઠકમાં જણાવી દેવામાં આવ્યું હતું કે, જુલૂસમાં જય શ્રી રામના નારા લાગશે. એક ચેનલ સાથે વાતચીતમાં હિંદુ સંગઠનની નેતાએ કહ્યું કે, શું રસ્તા તેમના (મુસ્લિમો) છે, અમારા નથી? ત્યાં હિંદુ પણ રહે છે. આઠ-દસ કોમ્પ્લેક્સ છે જ્યાં માત્ર હિંદુઓ રહે છે. મુસ્લિમોનો રસ્તો નથી. દસ વર્ષથી અમે એ જ રસ્તા પર યાત્રાનું આયોજન કરીએ છીએ.

ઋતુ સિંહે કહ્યું કે, અમે ડીજે લઇને નીકળ્યા હતા. અમારા જુલૂસમાં ક્યાંય બુલડોઝર નહોતું. તેમ છતા પણ અમને લોકોને કહેવામાં આવ્યું કે, અમે યાત્રામાં બુલડોઝર લઈને ગયા હતા, જો એવો આરોપ લાગી રહ્યો છે તો અમે આ વખતે જાહેરાત કરીએ છીએ કે બીજીવારની યાત્રામાં બુલડોઝર હશે. તેમણે કહ્યું કે, બુલડોઝરમાં જ ભગવાન શ્રી રામને બિરાજમાન કરીને યાત્રા કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે, હાવડા હિંસાના મામલામાં અમે CBI અને INAની તપાસની માંગ કરીશું. હાઈકોર્ટમાં અરજી કરવા જઈ રહ્યા છીએ. VHP તરફથી રાજ્યપાલને પણ આવેદન આપીશું.

છેલ્લાં કેટલાક વર્ષોથી જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં કોઈપણ ધાર્મિક સમારોહ અથવા જુલૂસને લઈને ઝડપો થાય છે, તો આવનારા થોડાં દિવસોમાં જે કંઈ પણ હોય છે, તે રાજકીય ઘમાસાન અને પૈસા ખર્ચ કરનારા એપિસોડની એક શ્રૃંખલા થાય છે. આશ્ચર્યની વાત નથી કે હાવડા જિલ્લામાં ગુરુવારે રામનવમીના જુલૂસને લઈને થયેલી ઝડપો, જે શુક્રવાર બપોર સુધી ચાલુ રહી, એ પણ આ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એ સ્વીકાર કરતા કહ્યું હતું કે, સ્થિતિને ગંભીર થતા પહેલા જ નિયંત્રણમાં લાવવામાં રાજ્ય પોલીસ તરફથી ચૂક થઈ છે, જુલૂસના આયોજકોને, જે તેમના અનુસાર BJPના સમર્થક છે, હિંસા માટે જવાબદાર ગણાવ્યા છે.

About The Author

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.