એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ ડેન્ગ્યુ-મલેરિયા સાથે કરી સનાતન ધર્મની તુલના

તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને શનિવારે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મલેરિયા સાથે કરીને વિવાદ ઊભો કરી દીધો છે. ઉદયનિધિએ કહ્યું કે, તેનો માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ સફાયો કરવો જોઇએ. સનાતન ઉન્મૂલન સંમેલનમાં બોલતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુનો વિરોધ નહીં કરી શકાય. તેને જ ખતમ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યૂ, મચ્છર, મલેરિયા કે કોરોનાના વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને ખતમ કરવા હશે. આ પ્રકારે આપણે સનાતન ધર્મને સમાપ્ત કરવો પડશે.

તામિલનાડુના સત્તાધારી DMK સરકારમાં યુવા કલ્યાણ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતનનો વિરોધ કરવાની જગ્યાએ તેનો નાશ કરવો જોઈએ. સનાતન નામ સંસ્કૃતથી છે. તે સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) IT સેલના પ્રમુખ અમિત માલવીયએ સનાતન ધર્મ પર ટિપ્પણી માટે ઉદયનિધિ સ્ટાલિન પર પ્રહાર કર્યો. અમિત માલવીયએ X (પહેલા ટ્વીટર) પર લખ્યું કે, ‘તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને DMK સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને મલેરિયા અને ડેન્ગ્યૂ સાથે જોડ્યો છે.

તેમનું માનવું છે કે તેને ખતમ કરવો જોઈએ અને માત્ર તેનો વિરોધ ન કરવો જોઈએ. સંક્ષેપમાં તે સનાતન ધર્મનું પાલન કરનારી ભારતની 80 ટકા વસ્તીના નરસંહાર માટે આહ્વાન કરી રહ્યા છે. દ્રુમક વિપક્ષી ગ્રુપના એક પ્રમુખ સભ્ય અને કોંગ્રેસના લાંબા સમયથી સહયોગી છે. શું મુંબઈ બેઠકમાં તેના પર સહમતી બની હતી?’ ભાજપ નેતા અમિત માલવીયને જવાબ આપતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘તેમણે ક્યારેય સનાતન ધર્મના અનુયાયીઓના નરસંહારનું આહ્વાન કર્યું નથી.

તેઓ પોતાના શબ્દો પર કાયમ છે અને તેમણે ભાર આપીને કહ્યું કે, તેઓ હાશિયા પર પડેલા સમુદાયો તરફથી બોલી રહ્યા છે જે સનાતન ધર્મના કારણે પીડિત છે. દ્રુમક નેતાએ કહ્યું કે, તે પોતાની ટિપ્પણીના સંબંધમાં કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશે. તેમણે કહ્યું કે, DMK સરકાર એમકે સ્ટાલિનના નેતૃત્વમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને સમતાવાદી સમાજની સ્થાપના માટે સંઘર્ષ કરશે.

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘હું કોઈ પણ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે તૈયાર છું. અમે આ પ્રકારની સામાન્ય ભગવા ધમકીઓથી નહીં ડરીએ. અમે પેરિયાર, અન્ના અને કલેન્ગારના અનુયાયી પોતાના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના માર્ગદર્શનમાં સામાજિક ન્યાયને બનાવી રાખવા અને એક સમતાવાદી સમાજની સ્થાપના માટે હંમેશાં લડતા રહીશું. હું તેને આજે, કાલે અને હંમેશાં કહીશ- દ્રવિડ ભૂમિથી સનાતન ધર્મને રોકવાનો અમારો સંકલ્પ રતીભાર પણ ઓછો નહીં થાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.