BJP નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, નોંધાશે રેપની FIR

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈનને જોરદાર ઝટકો આપ્યો છે. કોર્ટે શાહનવાઝની સામે કથિત રેપના મામલામાં એક મહિલાની અરજી પર FIR દર્જ કરવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર આપનારી તેની અરજી ફગાવી દીધી છે.

જસ્ટિસ S.રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે શાહનવાઝ હુસૈનના તરફથી હાજર વકીલોને કહ્યું કે, નિષ્પક્ષ તપાસ થવા દો. જો કેસમાં કંઈ નહીં હશે તો તેઓ બચી જશે.

આ મામલામાં શાહનવાઝ હુસૈન તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાએ બેન્ચને જણાવ્યું કે શાહનવાઝની સામે ફરિયાદી મહિલાએ એક પછી એક અનેક ફરિયાદો નોંધાવી છે. પોલીસે આ ફરિયાદોની તપાસ કરી. પરંતુ કંઈ નહીં મળ્યું.

રોહતગીએ કહ્યું કે, શાહનવાઝ હુસૈન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે, બેન્ચે કહ્યું કે આમાં અમને દખલ કરવાનું કોઈ કારણ મળ્યું નથી, તેથી અમે તેમની (ભાજપ નેતા) અરજી ફગાવી દીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ શાહનવાઝ હુસૈનની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે FIR નોંધવાના નિર્દેશ આપવાના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. આ પછી 22 ઓગસ્ટ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને અકબંધ રાખ્યો હતો.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં શાહનવાઝ હુસૈનના વકીલે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદ નકલી અને ઉપજાવી કાઢેલ છે.

શું છે મામલો?

2018મા, દિલ્હીની એક મહિલાએ ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો આરોપ લગાવતા FIR નોંધાવવા માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. શાહનવાઝ હુસૈને જો કે, આ આરોપોને નકારી કાઢ્યા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટે 7 જુલાઈ, 2018ના રોજ હુસૈનની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જેને ભાજપના નેતાએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સાથે જ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, 'પોલીસના રિપોર્ટમાં ચાર વખત પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે, પરંતુ આ અંગે વાતની કોઈ સ્પષ્ટતા નહીં હતી કે, FIR કેમ નોંધવામાં નહીં આવી. હાલના મામલામાં એવું લાગે છે કે, પોલીસ FIR નોંધવામાં પણ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહી છે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.