CAA પર સેલિબ્રેશન મનાવી રહેલો મતુઆ સમુદાય કોણ છે, જાણો શું છે રાજકીય કનેક્શન?

મોદી સરકારે લોકસભાની ચૂંટણી અગાઉ ઐતિહાસિક પગલું ઉઠાવતા નાગરિકત સંશોધન કાયદો (CAA) લાગૂ કરી દીધો છે. કેન્દ્ર સરકારના આ પગલાં પર જ્યાં વિપક્ષી પાર્ટીઓમાં નારાજગી સામે આવી છે, તો બીજી તરફ સેલિબ્રેશન પણ મનાવવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં CAAને લઈને ખુશીઓ મનાવવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના મતુઆ સમાજના એક વર્ગે CAA પર દાવો કર્યો કે, આ તેના માટે સ્વતંત્રતા દિવસ છે. સોમવારે જેવો જ નરેન્દ્ર મોદી સરકારે CAA લાગૂ કર્યો, દેશભરથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં લોકો વચ્ચે અલગ જ માહોલ છે.

કોણ છે મતુઆ સમુદાય?

મૂળ રૂપે પૂર્વી પાકિસ્તાનથી આવનાર મતુઆ સમુદાય હિન્દુઓનો એક નબળો વર્ગ છે. આ લોકો ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન અને બાંગ્લાદેશના નિર્માણ બાદ ભારત આવી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં લગભગ 30 લાખની વસ્તીવાળો આ સમુદાય નદિયા અને બાંગ્લાદેશની સીમાથી નજીક ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં રહે છે. રાજ્યની 30 કરતા વધુ વિધાનસભા સીટો તેનું પર પ્રભુત્વ છે.

મતુઆ સમુદાયનો ઇતિહાસ:

મતુઆ મહાસંઘ એક ધર્મસુધાર આંદોલન છે, જે વર્ષ 1860ની આસપાસ અવિભાજ્ય ભારતના બંગાળમાં શરૂ થયું હતું. વર્તમાનમાં મતુઆ સમુદાયના લોકો ભારત અને બાંગ્લાદેશ બંનેમાં છે. મતુઆ સમુદાય હિન્દુઓનો એક નબળો વર્ગ છે, જેના અનુયાયી વિભાજન અને બાંગ્લાદેશ નિર્માણ બાદ ભારત આવી ગયા હતા. હિન્દુઓની જાતિ પ્રથાને પડકાર આપનારા આ સમુદાયની શરૂઆત હરિચંદ્ર ઠાકુરે કરી હતી. હરિચંદ્ર ઠાકુરે પોતાના સમુદાયમાં એવી છાપ છોડી હતી કે, સમુદાયના લોકો તેમને ભગવાનનો અવતાર માનવા લાગ્યા હતા.

તેની સાથે જ સમુદાયનો વિસ્તાર પણ થયો. ત્યારબાદ ઠાકુર પરિવાર બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવીને વસી ગયો. પેઢી દર પેઢી ઠાકુર પરિવાર સમુદાય માટે આરાધ્ય બનેલો રહ્યો. ત્યારબાદ હરિચંદ્ર ઠાકુર પ્રપૌત્ર પરમાર્થ રંજન ઠાકુર સમુદાયના પ્રતિનિધિ બન્યા. ઉલ્લેખનીય છે કે, CAA નિયમ જાહેર થયા બાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા અત્યાચારિત ગેર મુસ્લિમોને ભારતીય રાષ્ટ્રીયતા આપવાની શરૂઆત થઇ જશે. તેમાં હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સામેલ છે.

About The Author

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.