અવિમુક્તેશ્વરાનંદે બજરગં દળ, સાંઈ બાબા, ધર્માંતરણ વિશે જાણો શું કહ્યું

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શનિવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈ પહોંચ્યા હતા. અહીં તેમણે બજરંગ દળ, ધર્માન્તરણ, વિનય કટિયાર અને સાઈ બાબાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ધર્માન્તરણ ધાર્મિક કારણથી નહીં, માત્ર રાજનૈતિક કારણોસર થઈ રહ્યું છે. એવા લોકો ઈચ્છે છે કે વિશ્વમાં માત્ર તેમના ધર્મના લોકો જ થઈ જશે. ધર્માન્તરણનો વિરોધ પણ ધાર્મિક કારણોથી થઈ રહ્યો નથી. એ પણ એક રાજનીતિના કારણે કરવામાં આવી રહ્યો છે.

તેમણે આગળ કહ્યું કે, કોઇની ધર્માન્તરણ કરીને રાજનીતિ સફળ થઈ રહી છે, તો કોઈ ધર્માન્તરણનો વિરોધ કરીને રાજનીતિ કરી રહ્યું છે. બધી વસ્તુ રાજનીતિ માટે થઈ રહી છે. ધર્મ માટે કશું જ થઈ રહ્યું નથી. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વિનય કટિયારને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પહેલા રામ જન્મભૂમિમાં બજરંગ દળની મોટી ભૂમિકા હતી. વિનય કટિયાર તેના અધ્યક્ષ હતા, પરંતુ હવે રામ મંદિર બની રહ્યું છે તો વિનય કટિયારની ઉપેક્ષા થઈ રહી છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, અમે પૂછવા માગીએ છીએ કે, તેમની ઉપેક્ષા શા માટે થઈ રહી છે? તેનો અર્થ એ છે કે જે લોકો મંદિર બનાવી રહ્યા છે, એ જ લોકોએ તેમના યોગદાનને નકારી દીધું છે. સાઈ બાબા બાબતે શંકરાચાર્યએ કહ્યું કે, તેઓ ભારતના નાગરિક હતા, પોતાનું જીવન જીવ્યા અને જતા રહ્યા. ધર્મ ફૂટબોલ થઈ ગયો છે. કોઈ આ તરફથી કીક મારી રહ્યું છે તો કોઈ એ તરફથી. બજરંગ દળ એક સંસ્થાનું નામ છે. સંસ્થાનું નામ રાખવાથી કોઈ બજરંગબલિ થઈ જતું નથી. સંસ્થા જેવું કામ કરશે, એવી જ તેની છબી રહેશે.

એપ્રિલ મહિનામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સંતો દ્વારા હિન્દુ રાષ્ટ્રની માગ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારી હિન્દુ રાષ્ટ્રની કોઈ માગ નથી. અમે ક્યારેય કોઈ હિન્દુ રાષ્ટ્રની માગ કરી નથી. જ્યાં સુધી કોઈ ફોર્મેટ સામે આવતું નથી કે હિન્દુ રાષ્ટ્ર થયા બાદ આપણાં દેશમાં આપણાં વ્યવહારમાં શું અંતર આવશે, ત્યાં સુધી આપણે તેનું ન સમર્થન કરી શકીએ અને ન તો વિરોધ કરી શકીએ છીએ. તેમણે હિન્દુ રાષ્ટ્રને લઈને સવાલ પણ ઉઠાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.