મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને સમાધાનના મૂડમાં છે. બંને પિતરાઈ ભાઈઓના એકસાથે આવવાથી BJPનું ટેન્શન વધી શકે છે. બીજી તરફ, શરદ પવાર અને DyCM અજિત પવાર વચ્ચે પણ મુલાકાતો વધવા લાગી છે. છેલ્લા એક મહિનામાં, શરદ પવાર અને DyCM અજિત પવાર વચ્ચે ત્રણ બેઠકો થઈ છે અને ચોથી બેઠક 21 એપ્રિલે પુણેના સુગર કમિશનરેટ ખાતે થઈ હતી. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, મહારાષ્ટ્રમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થવા જઈ રહી છે.

Sharad Pawar
amarujala.com

બંનેની મુલાકાતને લઈને શિવસેનામાં પણ ઘણો અસંતોષ જોવા મળ્યો છે. શિવસેનાના કેટલાક નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પુણેના સરસન કોમ્પ્લેક્સમાં કૃષિમાં AI ટેકનોલોજીના ઉપયોગ પર આયોજિત એક બેઠકમાં બંને મળ્યા હતા. જોકે, કેટલાક લોકો કહે છે કે શરદ પવાર આવે તે પહેલાં જ DyCM અજિત પવાર ત્યાંથી ચાલ્યા ગયા હતા.

Sharad Pawar
amarujala.com

આ પહેલા 22 માર્ચે બંને વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટમાં મળ્યા હતા. આ પછી, આખો પરિવાર 10 એપ્રિલે જય પવારની સગાઈ માટે ભેગો થયો હતો. આ પછી, શરદ પવાર અને DyCM અજિત પવાર રયાત શિક્ષણ સંસ્થાના કાર્યક્રમમાં પણ સાથે હાજર રહ્યા હતા. શરદ પવારે કહ્યું કે, આ મુલાકાતો સરકારી કે સંસ્થાકીય કારણોસર હતી, પરંતુ રાજકીય વર્તુળોમાં કંઇક બીજી જ ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું એ રહ્યું છે કે, આગામી ચૂંટણી પહેલા શું થવાનું છે.

Ajit Pawar
aajtak.in

અહીં તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એકસાથે આવવાની ચર્ચા વચ્ચે, ઘણા રાજકારણીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે, જો બંને સાથે આવે તો તેમનું સ્વાગત થવું જોઈએ. આ દરમિયાન, CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે તો તેમને ખુશી થશે. સંજય રાઉતે કહ્યું છે કે, બંને વચ્ચે ભાવનાત્મક વાતચીત ચાલી રહી છે.

Related Posts

Top News

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.