મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયને લઈ શિંદે સરકારે લીધો આ નિર્ણય, કોંગ્રેસે આવકાર્યો

એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્રમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સને એ જવાબદારી સોંપી છે કે રાજ્યમાં વસતા મુસ્લિમ સમુદાયના લોકોની આર્થિક અને શૈક્ષણિક વિકાસની સ્થિતિને લઈ વિગતવાર અભ્યાસ કરે છે.

રાજ્ય સરકારે આ કામ માટે રૂ. 33.9 લાખના બજેટની જોગવાઈ કરી છે. વર્ષ 2013માં નિયુક્ત મહમૂદ ઉર રહેમાનની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે નવો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અમીન પટેલે આવકાર્યો છે.

અમીન પટેલે જણાવ્યું છે કે જો રાજ્ય સરકાર ખરેખર રાજ્યના લઘુમતી સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિકને લઈ કામ કરવા માંગતી હોય તો સરકારનું આ પગલું આવકાર્ય છે. આ સાથે જ અમીન પટેલે એ પણ કબૂલ્યું હતું કે, મહમૂદ ઉર રહેમાન કમિટી દ્નારા રિપોર્ટ રજૂ કર્યા બાદ મુસ્લિમ સમાજના લોકો માટે જે રીતે કામ કરવું જોઈતું હતું તે રીતે કામ થયું નથી.

મુસ્લિમ સમાજના લોકોના શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ કામ કરવાની જરૂર છે અને તેથી તેમને અનામત આપવામાં આવે તે જરૂરી છે. આશા છે કે નવી સરકાર દિશામાં કામ કરશે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS) દ્વારા કરવામાં આવેલા અભ્યાસને સરકાર ગંભીરતાથી લેશે.

જે મહમૂદ ઉર રહેમાન સમિતિના અહેવાલના આધારે, TISS ને વધુ કામ કરવા માટે કહેવામાં આવ્યું છે, આ અહેવાલને વર્ષ 2013માં તત્કાલિન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને સોંપવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.