ભગવાનને પણ નથી છોડતા, મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ ગઈ, તાંબાનો સાંપ પણ...

સંગમ શહેર પ્રયાગરાજમાં ચોરીનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ચોરોએ કોઈ સામાન કે દાગીનાની ચોરી નથી કરી પરંતુ ભગવાન શંકરની ચોરી કરી છે, ચોરોએ મંદિરમાં રાખવામાં આવેલા શિવલિંગની ચોરી કરી છે, જ્યારે લોકો સવારે પૂજા કરવા માટે અહીં પહોંચ્યા હતા, તો જોયું કે ત્યાંથી શિવલિંગ ગાયબ હતું, હવે શિવલિંગની ચોરીથી લોકો આશ્ચર્યમાં છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, જ્યારે ચોરો ભગવાનને પણ છોડતા નથી તો સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે. પરંતુ હાલમાં તો લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મામલો અતરસુઈયાના ખુશહાલ પર્વત વિસ્તારનો છે. ચોરોએ મંદિરમાંથી ફક્ત શિવલિંગ જ નથી ઉપાડ્યું, પરંતુ શિવલિંગની પાસે રાખેલા તાંબાના સાપને પણ છોડ્યો નહીં.

ખુશહાલ પર્વત વિસ્તારમાં દાયકાઓથી એક નાનકડું શિવ મંદિર બનાવવામાં આવ્યું છે. તમામ વિસ્તારના લોકો અહીં ભગવાન શંકરના શિવલિંગની પૂજા કરે છે, પરંતુ આજે તો કંઈક અજુગતું જ થઇ ગયું. અહીં પૂજા કરવા આવેલા લોકો જ્યારે શિવલિંગ પર પાણી ચઢાવવા આવ્યા ત્યારે તેમણે જોયું કે, આ મંદિરમાંથી શિવલિંગ જ ગાયબ હતું, મંદિરમાંથી શિવલિંગની ચોરીના સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ જતાં મંદિરની આસપાસ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા અને કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. વિસ્તારના લોકોએ આ અંગે અતરસુઈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ શિવલિંગની ચોરી કોણે કરી છે તે અંગે હવે વિસ્તારના લોકો પરેશાન છે. શિવલિંગ પાસે તાંબાનો સર્પ રાખવામાં આવ્યો હતો જે ખૂબ જ વજનદાર હતો. લોકોને આશંકા છે કે કોઈ નશેડી લોકો કે ચોર આના કારણે આખું શિવલિંગ જ ચોરી ગયા છે. હાલમાં આ શિવલિંગને લઈને લોકો પરેશાન છે. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ મળતા અતરસુઈયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શિવલિંગની ચોરી કરનારા ચોરોની શોધખોળ શરૂ કરી છે. ઈન્સ્પેક્ટર વિનોદ યાદવનું કહેવું છે કે, આ ઘટનામાં કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

અહીં તમને બતાવી દઈએ કે, ગયા મહિને, UPના કૌશામ્બીમાંથી પણ શિવલિંગની ચોરીનો મામલો સામે આવ્યો હતો, જ્યાં એક યુવકે શિવલિંગની ચોરી એટલા માટે કરી હતી કે તેણે પુરા શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરી હતી, પરંતુ જ્યારે તેને તેની પસંદની કન્યા ન મળી ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને મંદિરમાં રાખેલા શિવલિંગને ગાયબ કરી દીધું હતું. પરંતુ હાલમાં તો પોલીસે શિવલિંગ સાથે આ અનોખા ચોરની ધરપકડ કરી હતી.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.