ઔરંગઝેબ નહીં, હવે APJ અબ્દુલ કલામ હશે આ રસ્તાનું નવું નામ, જુઓ વીડિયો

લુટિયન્સ દિલ્હીમાં ઉપસ્થિત ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ રોડ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે સવારે અધિકારીઓએ નવું બોર્ડ લગાવી દીધું. નવી દિલ્હી નગરપાલિકા પરિષદે ગયા અઠવાડિયે બોલાવેલી એક વિશેષ બેઠકમાં આ બદલાવને સર્વસંમતીથી મંજૂરી આપવામાં આવી હતી. ડૉ. APJ અબ્દુલ કલામ લેન એ જગ્યા પર સ્થિત છે જે એક સમયે ઔરંગઝેબ લેન થયા કરતો હતો, પરંતુ વર્ષ 2015માં આ નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ રોડ કરી દેવામાં આવ્યો હતો.

જો કે, એ સમયે લેનના મૂળ નામને યથાવત રાખવામાં આવ્યું હતું. ‘ઐતિહાસિક ચિંતાઓ’ના કરણે NDMCએ નામ બદલવા અગાઉ આ સ્થળની ફરી મુલાકાત લીધી હતી. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે જાહેરાત કરી કે 17મી સદીના મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સાથે જોડાયેલી ઐતિહાસિક ભૂલોને આ રોડની નવી ઓળખ માટે અનુચિત માનવામાં આવી છે. તેમણે આગળ જાહેરાત કરી કે ક્ષેત્રના સમકાલીન સંદર્ભમાં ઔરંગઝેબની કોઈ પ્રાસંગિકતા કે સ્થાન નથી.

એક નિવેદનમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે, નવી દિલ્હી નગરપાલિકા અધિનિયમ 1994ની કલમ 231ની પેટાકલમ (1)ના ખંડ (A)ના સંદર્ભમાં NDMC ક્ષેત્ર અંતર્ગત ઔરંગઝેબ લેન’નું નામ બદલીને ‘ડૉ APJ અબ્દુલ કલામ લેન’ કરવા પર વિચાર કરવા માટે પરિષદ સમક્ષ એક એજન્ડા રાખવામાં આવ્યા. પરિષદે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ લેન કરવાને મંજૂરી આપી દીધી. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલમને મિસાઇલ અને અંતરીક્ષ ટેક્નોલોજીના કાર્યક્રમોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે દેશના ‘મિસાઇલ મેન’ કહેવામાં આવે છે.

તો રોડનું નામ બદલવાથી એક બહેસ શરૂ થઈ ગઈ છે. ઔરંગઝેબ રોડનું નામ બદલાવાના વર્ષ 2015ના નિર્ણયની કેટલાક ઇતિહાસકારોએ નિંદા કરી હતી. તેમણે તર્ક આપ્યો કે, આ ઇતિહાસનો ઝુકાવપૂર્ણ દૃષ્ટિકોણ’ દર્શાવે છે અને તેના અભૂતપૂર્વ પરિણામ હોય શકે છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર નારાયણી ગુપ્તાએ કહ્યું કે, નામ બદલવાની કવાયત ઈતિહાસની સમજની કમીના કારણે છે. અકબર અને શાહજહાં જેવા મુઘલ શાસકોના નામ પર રાખવામાં આવેલા રસ્તાઓના નામ શરૂઆતમાં નવી દિલ્હીની ડિઝાઇન દરમિયાન અંગ્રેજોએ રાખ્યા હતા.

આ નામ જેનામાં અશોક જેવા સન્માનિત શાસક પણ સામેલ હતા. પ્રસિદ્ધ ઇતિહાસકાર પર્સીવલ સ્પિયર દ્વારા સૂચવવામાં આવ્યા હતા, જે એ સમયે દિલ્હીની સેંટ સ્ટિફન્સ કોલેજમાં ઇતિહાસ ભણાવતા હતા. ગુપ્તે ત્યારે તર્ક આપ્યો હતો કે, ઐતિહાસિક સંદર્ભ પર વિચાર કર્યા વિના ઔરંગઝેબ જેવા ઐતિહાસ રૂપે મહત્ત્વપૂર્ણ નામોને હટાવવામાં આવ્યા છે. તેમણે ડૉ. APJ અબ્દુલ કલમના નામ પર એક સાયન્સ મ્યૂઝિયમની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.