મહિલાઓને દર વર્ષે મળશે 40000 રૂપિયા, આ રાજ્યએ જાહેરાત કરી

સિક્કિમ સરકારે લગભગ 32,000 માતાઓને 40,000 રૂપિયાની અનુદાન રકમ આપવાની જાહેરાત કરી છે. રવિવારે સિક્કિમમાં ઔપચારિક રીતે પહેલો અમા સન્માન દિવસઉજવવામાં આવ્યો હતો. આ દિવસ રાજ્ય માટે માતાઓના બલિદાન, સાહસ અને યોગદાનના સન્માનમાં સમર્પિત છે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ સમારોહમાં મહિલાઓ માટે આ મોટી જાહેરાત કરી હતી. આ સમારોહ રંગપો સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં રાજ્યભરની માતાઓ સહિત હજારો લોકો એકત્ર થયા હતા.

CM1
news18.com

આ નવી પહેલ હેઠળ, સિક્કિમની લગભગ 32,000 માતાઓને 40,000 રૂપિયાની અનુદાન રકમ મળશે. આ રકમ 2 ચરણમાં આપવામાં આવશે. પહેલા ચરણમાં 20,000 રૂપિયા અને પછી 20,000 રૂપિયા. સરકાર આ કાર્યક્રમ પર 128 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મુખ્યમંત્રીએ અમા સન્માન દિવસની શરૂઆત કરવાના નિર્ણયને વ્યક્તિગત અને રાજનીતિક બંને જ રીતે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.

તેમણે કાર્યક્રમમાં કહ્યું કે, માતાઓએ હંમેશાં સિક્કિમના સામાજિક અને રાજનીતિક જીવનમાં, ખાસ કરીને મુશ્કેલ સમયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માતાઓ ક્રાંતિકારી સાથીઓ સાથે ખભે ખભા મળાવીને ઉભી રહી છે. તેમના સંઘર્ષ અને બલિદાનમાં તેમનું યોગદાન રહ્યું છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) પાર્ટીની સફર રાજ્યભરની માતાઓની હિંમત અને દૃઢ સંકલ્પને દર્શાવે છે.

CM
ndtv.com

મુખ્યમંત્રી માટે 10 ઑગસ્ટનો દિવસ વ્યક્તિગત રીતે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે જન મુક્તિ દિવસ છે, જે દિવસે તેમને 'અન્યાયપૂર્ણ કેદ'માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે સમયગાળાને યાદ કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ જેલમાં હતા, ત્યારે ઘણીવાર માતાઓ તેમને મળવા આવતી હતી, ક્યારેક તેમને ફટકાર લગાવવા, ક્યારેક સલાહ આપવા અને ઘણી વખત તેમને લડતા રહેવાનું સાહસ આપવા માટે. તેમણે કહ્યું કે, તેમના શબ્દોએ મારી અંદર ક્રાંતિકારી ભાવના જીવંત રાખી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સિક્કિમના લોકોની એકતા અને દૃઢતાનું સન્માન કરતા દર વર્ષે જન મુક્તિ દિવસ અને અમા સન્માન દિવસ એકસાથે ઉજવવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.