કાશ્મીર વિશે વાત કરતા ગાયક અનૂપ જલોટાએ કહ્યું- ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો

સિંગર અનૂપ જલોટા પણ હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. જલોટાએ કહ્યું છે કે, દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે. તેનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જલોટાએ આની પાછળ પાકિસ્તાનનો તર્ક આપ્યો છે. તેઓ કહે છે કે, જ્યારે વિભાજન બાદ મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો, તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર કરવામાં નથી આવતું.

જલોટાએ કહ્યું કે, ભાગલા પછી પાકિસ્તાનમાં મુસ્લિમોની બહુમતી હતી તેથી ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવામાં આવ્યું. ભારતમાં હિંદુઓ બહુમતી છે તેથી તેને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. ભાગલા સમયે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર ન કરી શકાયું તો હવે કરવું જોઈએ. તેમણે કહ્યું કે, દુનિયામાં એક પણ હિન્દુ રાષ્ટ્ર નથી. નેપાળ હતું, પણ હવે તે પણ તેમણે જાળવ્યું નહીં. હવે તેને પણ હિંદુ દેશ ન કહી શકાય.

તેમણે કહ્યું, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ, કારણ કે અહીં હિન્દુઓની સંખ્યા વધુ છે. હવે તેની લહેર ખૂબ જ મજબૂત છે. તેનાથી કોઈને કોઈ ફરક નહીં પડે, માત્ર જાહેરાત કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં શું થયું. લોકો હવે કોઈપણ રીતે શાંતિથી જીવી રહ્યા છે. આતંકવાદી હુમલા પહેલા કરતા ઓછા થયા છે. જો તમે જુઓ તો આ બધું સારા માટે જ થઈ રહ્યું છે. હું માત્ર મત આપી શકું છું. મેં મારો અભિપ્રાય આપ્યો છે.

વધુ વાયરલ વીડિયોમાં તે કાશ્મીરમાં શું થયું તે કહેતા સંભળાય છે. કલમ 370 હટાવવામાં આવી, જેનો ઘણો ફાયદો થયો. હવે ત્યાં પહેલા કરતા આતંકવાદી ઘટનાઓ ઓછી થઇ રહી છે. શાંતિ સ્થાપવા માટે આ એક પગલું હતું. તેમણે કહ્યું કે આ રીતે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. આ માત્ર એક જાહેરાત છે, તેનાથી કોઈને કોઈ મુશ્કેલી નહીં પડે.

જાણીતા ભજન ગાયક અને પદ્મશ્રી અનૂપ જલોટા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગ્વાલિયર પહોંચ્યા હતા. તેણે કહ્યું કે, તાનસેનનું શહેર ગ્વાલિયર આવવું સારું લાગ્યું, મને અહીં રિયાઝ કરવાનું મન થાય છે. આજે તુલસીદાસની પ્રતિમાને નમન કર્યું, ખૂબ ગમ્યું.

અહીં તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ જાહેર મંચો પરથી હિન્દુ રાષ્ટ્રની માંગને ઘણી વખત રિપીટ કરી છે. બીજી તરફ 18 ફેબ્રુઆરીથી VHP અને RSS સંગઠનો છત્તીસગઢમાં સંયુક્ત યાત્રા કાઢી રહ્યા છે. તેના દ્વારા તેઓ હિન્દુ રાષ્ટ્રની માંગ કરશે. આમાં શંકરાચાર્ય પણ ભાગ લેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.