કાશ્મીર વિશે વાત કરતા ગાયક અનૂપ જલોટાએ કહ્યું- ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો

સિંગર અનૂપ જલોટા પણ હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. જલોટાએ કહ્યું છે કે, દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે. તેનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જલોટાએ આની પાછળ પાકિસ્તાનનો તર્ક આપ્યો છે. તેઓ કહે છે કે, જ્યારે વિભાજન બાદ મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો, તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર કરવામાં નથી આવતું.

જલોટાએ કહ્યું કે, ભાગલા પછી પાકિસ્તાનમાં મુસ્લિમોની બહુમતી હતી તેથી ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવામાં આવ્યું. ભારતમાં હિંદુઓ બહુમતી છે તેથી તેને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. ભાગલા સમયે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર ન કરી શકાયું તો હવે કરવું જોઈએ. તેમણે કહ્યું કે, દુનિયામાં એક પણ હિન્દુ રાષ્ટ્ર નથી. નેપાળ હતું, પણ હવે તે પણ તેમણે જાળવ્યું નહીં. હવે તેને પણ હિંદુ દેશ ન કહી શકાય.

તેમણે કહ્યું, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ, કારણ કે અહીં હિન્દુઓની સંખ્યા વધુ છે. હવે તેની લહેર ખૂબ જ મજબૂત છે. તેનાથી કોઈને કોઈ ફરક નહીં પડે, માત્ર જાહેરાત કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં શું થયું. લોકો હવે કોઈપણ રીતે શાંતિથી જીવી રહ્યા છે. આતંકવાદી હુમલા પહેલા કરતા ઓછા થયા છે. જો તમે જુઓ તો આ બધું સારા માટે જ થઈ રહ્યું છે. હું માત્ર મત આપી શકું છું. મેં મારો અભિપ્રાય આપ્યો છે.

વધુ વાયરલ વીડિયોમાં તે કાશ્મીરમાં શું થયું તે કહેતા સંભળાય છે. કલમ 370 હટાવવામાં આવી, જેનો ઘણો ફાયદો થયો. હવે ત્યાં પહેલા કરતા આતંકવાદી ઘટનાઓ ઓછી થઇ રહી છે. શાંતિ સ્થાપવા માટે આ એક પગલું હતું. તેમણે કહ્યું કે આ રીતે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. આ માત્ર એક જાહેરાત છે, તેનાથી કોઈને કોઈ મુશ્કેલી નહીં પડે.

જાણીતા ભજન ગાયક અને પદ્મશ્રી અનૂપ જલોટા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગ્વાલિયર પહોંચ્યા હતા. તેણે કહ્યું કે, તાનસેનનું શહેર ગ્વાલિયર આવવું સારું લાગ્યું, મને અહીં રિયાઝ કરવાનું મન થાય છે. આજે તુલસીદાસની પ્રતિમાને નમન કર્યું, ખૂબ ગમ્યું.

અહીં તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ જાહેર મંચો પરથી હિન્દુ રાષ્ટ્રની માંગને ઘણી વખત રિપીટ કરી છે. બીજી તરફ 18 ફેબ્રુઆરીથી VHP અને RSS સંગઠનો છત્તીસગઢમાં સંયુક્ત યાત્રા કાઢી રહ્યા છે. તેના દ્વારા તેઓ હિન્દુ રાષ્ટ્રની માંગ કરશે. આમાં શંકરાચાર્ય પણ ભાગ લેશે.

About The Author

Related Posts

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.