85 વર્ષીય પિતાની અનોખી વારસાઇ, દોઢ કરોડની સંપત્તિ યોગી આદિત્યનાથન નામે કરી

ઉત્તર પ્રદેશના જનપદ મુઝફ્ફરનગરમાં એક ખૂબ જ હેરાન કરનારી ઘટના સામે આવી છે. પરિવારની નજરઅંદાજીથી નારાજ એક 85 વર્ષીય વૃદ્ધ વ્યક્તિએ પોતાના દીકરા-દીકરીઓને સંપત્તિ સાથે સાથે પોતાના અંતિમ સંસ્કારનો હક પણ છીનવી લીધો છે. બાળકોની આ બેદરકારી અને નિષ્કાળજીના કારણે વૃદ્ધ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ સરકારના નામે લગભગ દોઢ કરોડની સંપત્તિ સાથે સાથે પોતાના શરીરની વારસાઇ કરી દીધી છે. આ વારસાઇમાં તેણે પોતાની બધી સંપત્તિ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે કરતા પોતાના શરીરને પણ દાન કરી દીધું છે.

વૃદ્ધ વ્યક્તિએ પોતાની વારસાઇમાં લખ્યું છે કે મૃત્યુ બાદ તેની જમીન પર તેના નામથી શાળા કે હૉસ્પિટલ ખોલવામાં આવે, આ તેની છેલ્લી ઇચ્છા છે. આ ઘટના ઉત્તર પ્રદેશના જનપદ મુઝફ્ફરનગરના ખતૌલી તાલુકાની છે. જ્યાં છેલ્લા 7 મહિનાથી વર્ધા આશ્રમમાં રહેતા 85 વર્ષીય નથ્થુ સિંહે પોતાના બાળકોની નિષ્કાળજી અને નારાજગીના કારણે પોતાના બાળકોને ન માત્ર પોતાની સંપત્તિથી બેદખલ કરી દીધા છે, પરંતુ પોતાની દોઢ કરોડની સંપત્તિ ઉત્તર પ્રદેશ સરકારના નામે કરી દીધી છે.

નથ્થુ સિંહે પોતાની વારસાઇમાં લખ્યું કે, મૃત્યુ બાદ તેના શરીરને મેડિકલ કોલેજને આપી દેવામાં આવે. સાથે જ તેની જમીન પર સરકારી શાળા કે હૉસ્પિટલ બનાવીને ગરીબ લોકોની સારવાર કરે. ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરના બુલઢાણાના રહેવાસી 85 વર્ષીય નથ્થુ સિંહ ઇન્ટરમીડિયેટ સુધી ભણ્યા છે અને બુઢાણા ગામમાં તેના નામે દોઢ કરોડ રૂપિયાની લગભગ 18 વીઘા જમીન છે. તેની 4 દીકરીઓ અને એક દીકરો છે. દીકરીઓના લગ્ન થઇ ગયા છે અને દીકરો લગ્ન બાદ પોતાના પરિવાર સાથે સહારનપુરમાં રહે છે.

નથ્થુ સિંહનો એકમાત્ર દીકરો સહારનપુરમાં સરકારી શિક્ષકના રૂપમાં ફરજ બજાવી રહ્યો છે. તેની પત્નીના મોત બાદ તેના બાળકોએ પણ તેનાથી દૂરી બનાવી લીધી અને 85 વર્ષની ઉંમરમાં તેને ગામમાં એકલો છોડીને અલગ રહેવા લાગ્યા. પોતાના બાળકોની નિષ્કાળજીથી પરેશાન થઇને નથ્થુ સિંહ હાલમાં ખતૌલીના વર્ધા આશ્રમમાં છેલ્લા 7-8 મહિનાથી રહે છે. 5 બાળકોના પિતા હોવા છતા નથ્થુ સિંહની દેખરેખ કરનારું કોઇ નથી. શનિવારે બપોરે નથ્થુ સિંહે બુઢાણા તાલુકાએ પહોંચીને પોતાની લગભગ દોઢ કરાડ રૂપિયાની સંપત્તિ, જેમાં મકાન અને લગભગ 10 વીઘા ખેતીની જમીન સામેલ છે.

આ સંપત્તિની એક વારસાઇ બનાવીને ઉત્તર પ્રદેશ સરકારના નામે કરી દીધી છે. નથ્થુ સિંહે પોતાની વારસાઇમાં લખ્યું છે, તેના મોત બાદ તેની જમીન પર તેના નામથી શાળા કે હૉસ્પિટલ બનાવવામાં આવે. તેના મોત બાદ તેના મૃત શરીરને શોધ અનુસંધાન અથવા કોઇ પ્રકારના પ્રયોગમાં ઉપયોગ કરવામાં આવે. નથ્થુ સિંહની આ અનોખી વારસાઇના કારણે તે ચર્ચામાં છે.

વર્ધા આશ્રમની સંચાલિકા રેખા સિંહે જાણકારી આપતા જણાવ્યું કે, નથ્થુ સિંહ લગભગ 6-7 મહિનાથી તેમના આશ્રમમાં રહે છે. આ દરમિયાન તેને મળવા તેમના પરિવારમાંથી કોઇ આવ્યું નથી. તો બાળકોથી તંગ આવીને નથ્થુ સિંહે શનિવારે બપોરે પોતાની દોઢ કરોડની સંપત્તિ ઉત્તર પ્રદેશ સરકારના નામે કરી દીધી છે. તેણે તેના માટે એક વારસાઇ પણ તૈયાર કરાવી છે, જેમાં તેણે પોતાની બધી સંપત્તિ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે કરતા પોતાના શરીરને પણ દાન કરી દીધું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.