BJPની જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો, પાર્ટી કહે- કોંગ્રેસીઓએ ઝાડ પાછળથી માર્યા

મધ્ય પ્રદેશના નીમચમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જન આશીર્વાદ યાત્રા પર હુમલો થઈ ગયો. 5 સપ્ટેમ્બરની રાત્રે ભાજપની જન આશીર્વાદ યાત્રા મંદસૌર પહોંચવાની હતી. ત્યારે અહી અચાનક પથ્થરમારો થવા લાગ્યો. આ દરમિયાન કેટલીક ગાડીઓના કાંચ તૂટ્યા. યાત્રામાં ભાજપના ઘણા નેતા સામેલ હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, પથ્થરમારો કોંગ્રેસ પાર્ટીના લોકોએ કર્યો છે. કોઈ ઇજાગ્રસ્ત થવાની જાણકારી મળી નથી.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, આ ઘટના નીમચના રામપુર ક્ષેત્રના રાઉલી કુંડી ગામની છે. 5 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 08:00 વાગ્યે યાત્રામાં સામેલ લોકો પર પથ્થર ચાલવા લાગ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના લોકો ઝાડ પાછળ છૂપાયેલા હતા અને તેમણે જ પથ્થરમારો કર્યો. તેમણે એક વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, ‘જન આશીર્વાદ યાત્રાને મળી રહેલા અપાર સમર્થનથી ગભરાયેલા કોંગ્રેસીઓએ નીમચમાં યાત્રા પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી છે.

તેમણે આગળ લખ્યું કે, ‘હું કોંગ્રેસની હરકતની સખત નિંદા કરું છું. આ ગુંડાઓને અમે જરાય નહીં છોડીએ. તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.’ આ બાબતે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કે, ‘શિવરાજની અવસરવાદ યાત્રા વિરુદ્ધ ગુસ્સો વધતો જઈ રહ્યો છે. પાપનો ઘડો ભરાઈ ગયો છે. અમે હિંસાના જરાય પક્ષધર નથી, પરંતુ આક્રોશિત યુવાઓ અને મહિલાઓને પોલીસના દંડાથી મારવા, દબાવવા યોગ્ય નથી.

મારી મધ્ય પ્રદેશના 8.5 કરોડ સાથીઓને વિનમ્ર અનુરોધ છે કે માત્ર વોટોના ઠેસથી ભાજપને પાઠ ભણાવે. મારું શ્રીમાન શિવરાજ જીને અનુરોધ છે કે મોટા ભાગે જનતાના વિરોધને જોતા કંઈક શીખ લે અને અવસરવાદ યાત્રાને તાત્કાલિક સમાપ્ત કરી દે, જેથી રાજ્યની શાંતિ ભંગ ન થાય.’ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, યાત્રા પર પથ્થરમારો ત્યાંના ગ્રામજનોએ કર્યો હોય શકે છે. આ લોકો ચિતા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.

ચિત્તા પ્રોજેક્ટથી શું પરેશાની?

કૂનો નેશનલ પાર્ક બાદ હવે ચિત્તાઓનું નવું સ્થળ મંદસૌરની ગાંધીસાગર વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં પ્રસ્તાવિત છે. ત્યાં સીમા નજીકના વિસ્તારમાં જમીન સંપાદન કરીને ચિત્તાઓ માટે વાડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આરોપ છે કે, વાડાઓ માટે કરવામાં આવી રહેલી વાયર ફેન્સિંગમાં પશુઓ માટેના ગૌચર આવી રહ્યા છે. આ વાતને લઈને ગત દિવસોમાં વિરોધ પ્રદર્શન પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ જન આશીર્વાદ યાત્રાને લીલી ઝંડી દેખાડી હતી. યાત્રાની શરૂઆત 6 સપ્ટેમ્બરે અને પૂર્ણાહુતિ 23 સપ્ટેમ્બરના રોજ થવાની છે. 17 દિવસોમાં આ યાત્રા માલવા-નિમાડની 42 વિધાનસભા સીટોથી થતી લગભગ 2,000 કિલોમીટર ચાલશે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.