ટ્વીન ટાવરની જગ્યા પર હવે શું બનશે? સામે આવ્યું કંપનીનું નવું પ્લાનિંગ

નોઈડાના સેક્ટર 93-Aમાં સ્થિત ટ્વીન ટાવરને 28 ઓગસ્ટના રોજ વિસ્ફોટકો લગાવીને તોડી પાડવામાં આવ્યા હતા. સેંકડો કરોડના ખર્ચે બનેલો આ ટાવર હવે કાટમાળમાં ફેરવાઈ ગયો છે. કાટમાળ હટાવ્યા બાદ આ જમીનનું શું થશે, તે અંગે લોકોના મનમાં તમામ પ્રકારના પ્રશ્નો ચાલી રહ્યા છે. કાટમાળને હટાવવા માટે ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે, ત્યાર બાદ જ આ ટાવરની જમીનનો ફરીથી ઉપયોગ કરી શકાશે.

કંપનીને લગભગ 500 કરોડનું નુકસાન

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, સુપરટેકના ચેરમેન R.K.અરોડા કાટમાળ હટાવ્યા બાદ તે જમીન પર નવો હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. આ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. ટાવર ધરાશાયી થયા પછી R.K.અરોડાએ મીડિયાને જણાવ્યું હતું કે, ટ્વીન ટાવરને તોડી પાડવાથી કંપનીને લગભગ 500 કરોડનું નુકસાન થયું છે. ઓથોરિટી પાસેથી આ જગ્યાનો ફરી વાર ઉપયોગ કરવાની મંજૂરી માંગવામાં આવશે. જો ઓથોરિટી મંજૂરી નહીં આપશે તો બિલ્ડર જમીનની કિંમત અને અન્ય ખર્ચ પરત આપવાની માંગ કરશે.

જમીનની હાલની કિંમત આશરે 80 કરોડ

અરોડાએ કહ્યું કે, કાટમાળ હટાવ્યા પછી, રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવા માટે નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવશે. જરૂરત પડશે તો, એમરાલ્ડ કોર્ટ સોસાયટીના RWAની પણ સંમતિ લેવામાં આવશે. અહીં ઓથોરિટી તરફથી કુલ 14 એકર જમીન ફાળવવામાં આવી હતી, જેમાંથી બે એકર જમીન પર ટ્વીન ટાવર બનાવવામાં આવ્યા હતા. હાલના સમયમાં જમીનની કિંમત આશરે 80 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

RWAએ કહી, મંદિરના નિર્માણની વાત

બીજી તરફ ગત દિવસોમાં RWAની બેઠકમાં ટ્વિન ટાવરની જગ્યાએ ભવ્ય મંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ બાકીની બચેલી જમીન પર બાળકોને રમવા માટે મોટો પાર્ક પણ બનાવવાની વાત કહેવામાં આવી હતી. જો કે, હાલમાં મોટી વાત એ છે કે સુપરટેકની એમરાલ્ડ કોર્ટનું હેન્ડઓવર સોસાયટીને નથી. હાલમાં માલિકીનો હક બિલ્ડરની પાસે જ છે. બિલ્ડર ત્યાં કોઈપણ પ્રકારનું કોઈ પણ બાંધકામ કરે છે તો તેણે બે તૃતીયાંશ સોસાયટીના લોકોની સંમતિ લેવી પડશે.

અત્રે ઉલ્લેખનિય છે કે. આ અંગે બિલ્ડર અને RWAની અલગ-અલગ બાજુઓ છે. ત્યારે કંપની દ્વારા ફરીથી સાઇટનો ઉપયોગ કરવા માટે ઓથોરિટી પાસે પરવાનગી માંગવામાં આવશે. જો ઓથોરિટી મંજૂરી નહીં આપે તો બિલ્ડર જમીનની કિંમત અને અન્ય ખર્ચ પરત કરવાની માંગ કરશે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.