એક નશેડી આવ્યો અને મહિલા આયોગના અધ્યક્ષની જ છેડતી કરી દીધી પછી ઘસડીને...

દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલ પોતે મહિલાઓની સુરક્ષાની સ્થિતિનો હિસાબ લેતી વખતે ગેરવર્તણૂકનો શિકાર બની હતી. આ ઘટના AIIMS પાસે મોડી રાત્રે બની હતી. બલેનો કારના ડ્રાઈવરે પહેલા તો તેને કારમાં બેસવા કહ્યું. ના પાડવા પર તે ફરીથી યુ ટર્ન લઈને આવ્યો અને પાછું બેસવાનું કહ્યું. માલીવાલના ઇનકાર કરવા પર તે તરત જ કારની બારીનો ગ્લાસ ચઢાવીને ભાગવા લાગ્યો હતો. સ્વાતિ માલીવાલનો હાથ કારમાં ફસાઈ ગયો હતો અને તે થોડા મીટર સુધી કારની સાથે ઘસડાઈ ગઈ હતી.

દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને એક કાર ચાલકે 10થી 15 મીટર સુધી ઘસડી હતી. આ ઘટના દિલ્હી AIIMS પાસે બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

 સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું હતું કે, 'તેઓ ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી રહી હતી. ત્યારે એક કાર માલિકે નશાની હાલતમાં તેની છેડતી કરી હતી. જ્યારે તેઓએ તેને પકડ્યો, ત્યારે ડ્રાઇવરે તેને કારના અરીસામાં હાથ બંધ કરીને ખેંચી લીધી હતી.' માલીવાલે વધુમાં કહ્યું કે, 'ભગવાને તેમનો જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષા સુરક્ષિત નથી, તો તે પછી પરિસ્થિતિની કલ્પના કરો.'

મળતી માહિતી મુજબ આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. સ્વાતિ એઈમ્સના ગેટ નંબર 2 પાસે હતી. આ દરમિયાન એક કાર ચાલકે તેને પોતાની કારમાં બેસવા કહ્યું. સ્વાતિએ કાર ચાલકને ઠપકો આપ્યો તો તેણે તરત જ કારનો કાચ ઉપર ચઢાવી દીધો હતો. આ દરમિયાન સ્વાતિનો હાથ કારમાં ફસાઈ ગયો અને ડ્રાઈવર તેને 10 થી 15 મીટર સુધી ખેંચી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, PCR પર સવારે 3.11 વાગ્યે, તેમને ફોન આવ્યો કે, એમ્સ બસ સ્ટોપની પાછળ સફેદ બલેનો કારના ડ્રાઈવરે એક મહિલાને ખોટા ઈશારા કર્યા અને તેને ખેંચી ગયા, પરંતુ મહિલા બચવામાં સફળ રહી.

 પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ વાહને સવારે 3.05 વાગ્યે એઈમ્સના ગેટ નંબર 2 સામે ફૂટપાથ પર એક મહિલાને જોઈ. પૂછપરછ પર, મહિલાએ જણાવ્યું કે તેને કારથી ઘસેડવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે, નશામાં ચૂર બલેનો કાર ચાલક તેની પાસે રોકાયો, તેણે ખરાબ ઈરાદા સાથે મહિલાને કારમાં બેસવા કહ્યું. મહિલાના ના પાડવા પર તે ચાલ્યો ગયો અને સર્વિસ લેનમાંથી યુ-ટર્ન લઈને પાછો આવ્યો.

ડ્રાઈવરે ફરી એકવાર મહિલાને કારમાં બેસવા કહ્યું. મહિલાએ તેને ઠપકો આપ્યો. જ્યારે તે ડ્રાઈવરની બાજુની બારી પાસે પહોંચી ત્યારે કાર ચાલકે ઝડપથી બારીનો કાચ ઉંચો કરી દીધો. મહિલાનો હાથ કારમાં ફસાઈ ગયો અને તેને 10-15 મીટર સુધી ખેંચવામાં આવી.

રાત્રે 3.12 વાગ્યે, પોલીસે બલેનો કાર વિશે બધાને સંદેશો પ્રસારિત કર્યો. આરોપી ડ્રાઈવર વાહન સાથે બપોરે 3.34 કલાકે ઝડપાઈ ગયો હતો. પાછળથી પોલીસને ખબર પડી કે જે મહિલાની છેડતી કરવામાં આવી હતી તે દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલ છે. પકડાયેલા આરોપીનું નામ હરીશ ચંદ્ર (47) છે. તેના પિતાનું નામ દુર્જન સિંહ જણાવવામાં આવી રહ્યું છે. તે સંગમ વિહારનો રહેવાસી છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.