પૃથ્વી હવે પહેલા કરતા વધુ ઝડપથી ફરવા લાગી છે! વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આપણે ઘડિયાળોનો સમય બદલવો પડશે'

'હવે હું એ પૃથ્વી નથી રહી જે 'ધીરે ધીરે' ચાલતી હતી...' આ દિવસોમાં પૃથ્વી પોતાના મનમાં આ કહી રહી છે. ખરેખર, આપણી પૃથ્વીની ગતિ વધી ગઈ છે. તે પહેલા કરતા વધુ ઝડપથી ફરી રહી છે. ગભરાશો નહીં! પૃથ્વીની ગતિ વધવાથી તમને ચક્કર નહીં આવે, કારણ કે ગતિ ફક્ત થોડી મિલિસેકન્ડ વધવાની છે. આપણને ખબર પણ નહીં પડે કે ગતિ ખરેખર વધી છે કે નહીં. આ પરાક્રમ આ વર્ષની કેટલીક ખાસ તારીખો પર થશે. પૃથ્વીની ગતિ વધવાને કારણે વૈજ્ઞાનિકોનું હૃદય 'હેરા-ફેરી'ના બાબુ ભૈયાની જેમ 'ધક-ધક' કરી રહ્યું છે.

Earth Rotation Faster
m.punjabkesari.in

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વીની ગતિ વધવાને કારણે દિવસો ટૂંકા થશે. પરંતુ તેની એટલી અસર નહીં પડે કે, આપણને તેના વિશે ખબર પડે. વૈજ્ઞાનિકો માને છે કે, જો આ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો 2029 સુધીમાં સમયની ગણતરીમાં ફેરફાર થઈ શકે છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેના ઇતિહાસમાં, પૃથ્વીની ગતિ ઓછી થતી રહી છે. પરંતુ આ પહેલી વાર છે જ્યારે તે વધવા જઈ રહી છે.

Earth Rotation Faster
m.punjabkesari.in

ઐતિહાસિક રીતે, પૃથ્વીનું પરિભ્રમણ ધીમે ધીમે ધીમું થયું છે. ડાયનાસોરના યુગ દરમિયાન, એક દિવસ ફક્ત 23 કલાકનો હતો. કાંસ્ય યુગ સુધીમાં, તે લાંબો થઈ ગયો હતો, પરંતુ હજુ પણ આજ કરતા લગભગ અડધો સેકન્ડ ઓછો હતો. ભવિષ્યમાં જોવા જઈએ તો, પૃથ્વીનો દિવસ 25 કલાકનો હોઈ શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, તેમાં બીજા 200 મિલિયન વર્ષ લાગશે.

2025માં, પૃથ્વી આ ત્રણ તારીખો પર સૌથી ઝડપથી પરિભ્રમણ કરશે: 9 જુલાઈ-2025, 22 જુલાઈ-2025 અને 5 ઓગસ્ટ-2025.

Earth Rotation Faster
khabarmantra.net

5 ઓગસ્ટ, 2025નો દિવસ 1.51 મિલીસેકન્ડ ટૂંકો હશે. આ ફેરફાર ખૂબ જ નાનો છે. પરંતુ વૈજ્ઞાનિકો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણે જાણીએ છીએ કે, અત્યાર સુધી, જ્યારે પૃથ્વી ધીમે ધીમે ફરતી હતી, ત્યારે વૈજ્ઞાનિકો 'લીપ સેકન્ડ' ઉમેરતા હતા જેથી પરમાણુ ઘડિયાળ અને પૃથ્વીની વાસ્તવિક પરિભ્રમણ ગતિ સુમેળમાં રહી શકે. પરંતુ હવે જો પૃથ્વી આ રીતે ઝડપથી ફરતી રહી, તો 2029માં પહેલી વાર એક સેકન્ડ ઘટાડવો પડે એમ છે. ઇતિહાસમાં આ પહેલી વાર હશે કે, લીપ સેકન્ડ ઉમેરવામાં નહીં પણ દૂર કરવામાં આવશે.

Earth Rotation Faster
india.com

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં લગભગ 86,400 સેકન્ડ લાગે છે, એટલે કે, એક આખો દિવસ. પરંતુ હંમેશા આવું થતું નથી. ગુરુત્વાકર્ષણ બળ જેવી ઘણી વિવિધ કુદરતી ઘટનાઓને કારણે, પૃથ્વીની ગતિમાં થોડો ફેરફાર થતો રહેતો હોય છે.

આ પ્રશ્નનો જવાબ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પરંતુ વૈજ્ઞાનિકો પાસે કેટલાક સિદ્ધાંતો છે. તેઓ કહે છે કે, પૃથ્વીની ગતિ આ સંભવિત કારણોસર બદલાઈ રહી છે: જમીનની અંદરના કોરમાં ફેરફાર, ભૂકંપની પ્રવૃત્તિઓ, હિમનદીઓના પીગળવાથી જમીન ઉપર ચઢવી, સમુદ્રી પ્રવાહોમાં ફેરફાર અને વાતાવરણીય દબાણ.

Earth Rotation Faster
india.com

મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક લિયોનીદ ઝોટોવ કહે છે કે, કોઈએ આની અપેક્ષા રાખી ન હતી. તેમના એક લેખમાં, તેમણે કહ્યું હતું કે, હાલનું કોઈ પણ કારણ આ ઘટનાને સંપૂર્ણપણે સમજાવતું નથી. પરંતુ મહાસાગરો અને વાતાવરણમાં થતા ફેરફારો પૃથ્વીના પરિભ્રમણમાં તફાવત લાવી શકે છે. પરંતુ આ એકલા પૂરતો પુરાવો નથી. કેટલાક સંશોધકો માને છે કે, પૃથ્વીના પીગળેલા બાહ્ય કોરની અંદરની ગતિ પણ ગતિને અસર કરી શકે છે.

વૈજ્ઞાનિકો માને છે કે, આ એક સંપૂર્ણપણે ટેકનીકલી પ્રક્રિયા છે. ન તો આપણા મોબાઇલ ફોન કે ન તો આપણી ઘડિયાળોને અસર થશે. ન તો ઇન્ટરનેટ કે સેટેલાઇટ સિસ્ટમમાં કોઈ વિક્ષેપ પડશે. પરંતુ એ યાદ રાખવું ચોક્કસપણે યોગ્ય છે કે સમય, જેને આપણે સૌથી સ્થિર વસ્તુ માનીએ છીએ, તે પણ પૃથ્વીની ગતિથી પ્રભાવિત થાય છે.

About The Author

Related Posts

Top News

યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમીએ તબાહી મચાવી છે. તીવ્ર ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચ...
World 
યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે INDIA ગઠબંધનમાં ચેકમેટનો ખેલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નવનિયુક્ત ઉત્તર પ્રદેશ પ્રભારી રાજેન્દ્ર...
National 
UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

  લોકો ઘણીવાર રેલવે સ્ટેશનો પર સંબંધીઓ કે મિત્રોને છોડવા આવેલા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે. પરંતુ, શું તમે જાણો...
Business 
પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પેટ્રોમને તમારી કાર કે બાઇકમાં ભરાવો છે, તે કોના હિતોમાં ફેરફાર થઇ...
Tech and Auto 
E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.