મનરેગાની જગ્યાએ VB-G RAM G બિલ આવવાથી શું કોંગ્રેસને ફાયદો થશે અને BJPને નુકસાન થશે?

VB-G RAMG બિલ સંસદ દ્વારા પસાર થઈ ગયું છે. વિપક્ષના ટાર્ગેટ પર BJP આવી ગયું છે. વિપક્ષનો આરોપ છે કે BJP ગ્રામીણ રોજગારને ખતમ કરવા માંગે છે. BJPના નેતાઓનો દાવો છે કે, વિકસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, UPAની મુખ્ય યોજના, મનરેગાને બદલીને, તેના મૂળ પર હુમલો કર્યો છે. BJPના નેતાઓનો આરોપ છે કે, આ બિલથી કોંગ્રેસને ઘણો ફાયદો થયો હતો, જ્યારે કોંગ્રેસ પાર્ટી અહીં તેને એક રાજકીય તક તરીકે જુએ છે. કેટલાક વિપક્ષી નેતાઓના મતે, ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આ 'મત ચોરી' અભિયાન કરતાં વધુ અસરકારક મુદ્દો હોઈ શકે છે.

કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં પોતાના ભાષણમાં કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું અને VB-G RAM G બિલને ગરીબોને વધુ અસરકારક, ભ્રષ્ટાચાર મુક્ત રોજગાર ગેરંટી યોજના સાથે સશક્ત બનાવવાના BJPના ભવ્ય વિચાર તરીકે રજૂ કર્યું. વિપક્ષે આ યોજનાને નબળી પાડવા અને તેમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવા સામે જોરદાર વિરોધ કર્યો. કોંગ્રેસના સાંસદોએ ગૃહની વેલમાં ઘુસી ગયા, બિલ અને અન્ય કામના કાગળો ફાડી નાખ્યા અને હવામાં ઉછાળ્યા, જેનાથી લોકસભામાં અરાજકતા ફેલાઈ ગઈ.

Congress-BJP
hindi.moneycontrol.com

કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ પ્રસ્તાવિત કાયદા સામે દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી છે. ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, 'જે કોઈ પણ (VB-G RAM G) બિલને ધ્યાનથી વાંચશે તેને ખબર પડી જશે કે, આ યોજના ધીમે ધીમે બંધ કરી દેવામાં આવશે, કારણ કે રાજ્ય સરકારો પાસે પૂરતા પૈસા નથી, ખાસ કરીને એવા રાજ્યો કે જેમને તેની સૌથી વધુ જરૂર છે.'

કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) 27 ડિસેમ્બરે સરકારના પગલા સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવા માટે બેઠક કરી રહી છે. લોકસભામાં હોબાળા વચ્ચે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ પર ચર્ચા ખોરવાઈ ગઈ. વિપક્ષે આરોપ લગાવ્યો કે શાસક પક્ષ આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી. સરકારે કહ્યું કે તે ચર્ચા માટે તૈયાર છે, જે પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા શરૂ કરવામાં આવનાર હતી, પરંતુ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે તે આગળ વધી શકી નહીં.

Congress-BJP
deshbandhu.co.in

કેટલાક વિપક્ષી નેતાઓએ સ્વીકાર્યું કે તેઓ VB-G RAM G બિલ પસાર થયા પછી તરત જ વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરવા તૈયાર ન હતા. કોંગ્રેસના એક નેતાએ કહ્યું, 'વાયુ પ્રદૂષણ મુખ્યત્વે દિલ્હી-NCRનો મુદ્દો છે. જો અમે તેના પર ચર્ચા કરી હોત, તો તેના પર ધ્યાન કેન્દ્રિત થઇ ગયું હોત, ખાસ કરીને એટલા માટે, કારણ કે પ્રિયંકા અને કનિમોઝી (DMK સાંસદ M. કનિમોઝી) જેવા નેતાઓ તેના પર બોલવાના હતા. અમે નહોતા ઇચ્છતા કે મનરેગા મુદ્દો અન્ય કોઈ વસ્તુથી દબાઈ જાય.'

લોકસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક મણિકમ ટાગોરે આ માટે સરકારને દોષી ઠેરવી હતી. તેમણે કહ્યું, 'તેઓએ (VB-G RAM G બિલ)ને એવી રીતે સૂચિબદ્ધ કર્યું કે બિલ પસાર થયા પછી તરત જ વાયુ પ્રદૂષણ પર ચર્ચા શરૂ થઈ જાય. તેઓ તેને સ્થાયી સમિતિમાં મોકલ્યા વિના જ પસાર કરી રહ્યા હતા. સરકારનો તેના પર ચર્ચા કરવાનો કોઈ ઇરાદો નહોતો.'

Congress-BJP
rajexpress.com

મણિકમ ટાગોરના મતે, 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થયું ત્યારથી જ વિપક્ષી નેતાઓ વાયુ પ્રદૂષણ પર ચર્ચા માટે સમય ફાળવવા માટે સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છે. એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ કહ્યું, 'વિપક્ષને BJP સામે એક તીક્ષ્ણ હથિયાર મળી ગયું છે. આ (VB-G RAM G બિલ) એક એવો મુદ્દો છે, જે ગામડાઓ અને મહિલાઓ તરફથી અમને સમર્થન મેળવશે. મત ચોરીના અભિયાનોથી વિપરીત, તે લોકોના જીવન સાથે સીધો સંબંધિત છે. અમે ઇચ્છતા ન હતા કે તે કોઈપણ કિંમતે નબળું પડે.'

Congress-BJP
hindi.moneycontrol.com

લોકસભાની અંદર, વિપક્ષી સાંસદોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. કેરળના ત્રણ કોંગ્રેસના સાંસદો (હિબી એડન, શફી પરમ્બિલ અને ડીન કુરિયાકોસે) ખુરશીની સામે રિપોર્ટર્સના ટેબલ પર ચઢી ગયા, સૂત્રોચ્ચાર કર્યા અને કાગળના ટુકડા ફેંક્યા. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને ચેતવણી આપી કે તેમને લોકો દ્વારા કાગળો ફેંકવા માટે અહીં મોકલવામાં આવ્યા નથી. શિવરાજ ચૌહાણ દ્વારા તેમના વર્તનની આકરી ટીકા કરવામાં આવી હતી, જેમણે BJP મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન તેને 'ગુંડા રાજ' ગણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે, તે બાપુના આદર્શોની હત્યા છે.

Congress-BJP
peoplesupdate.com

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'પ્રિયંકા ગાંધી (વાડ્રા) મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાની વાત કરી રહ્યા હતા. તેઓ (પ્રિયંકાનો પરિવાર) ગાંધી નથી; તેમણે ગાંધીનું નામ ચોરી લીધું છે. પ્રિયંકા ગાંધીએ નામ બદલવાના 'ક્રેજ' વિશે વાત કરી. તેમને નામ રાખવાનું જનૂન છે, તેથી જ તેમણે દરેક વસ્તુનું નામ નેહરુ, ઇન્દિરા અને રાજીવના નામ પર રાખ્યું. PM નરેન્દ્ર મોદી સરકાર નામ પ્રત્યે નહીં, કામ પ્રત્યે જનૂની છે.'

BJP માટે, કોઈ પણ મોટા રાજકીય આંચકા વિના મનરેગાનો અંત લાવવો એ કોંગ્રેસ અને તેના વારસાને નબળા પાડવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. BJPના એક સાંસદે કહ્યું, 'આ એક એવી યોજના રહી છે જેણે ગાંધી પરિવારને ભારે રાજકીય કિંમત આપી અને હકીકતમાં, આના કારણે જ 2009માં કોંગ્રેસની જીત થઇ હતી. રાજકીય હરીફો તરીકે, આપણે એ ખાતરી કરવી જોઈએ કે, આવી સારી છબી ધરાવતી યોજનામાં સુધારો કરવામાં આવે અને તેના પર આપણી મંજૂરીની છાપ લાગે.'

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.