આવો દીકરો થોડો હોય? આવતા મહિને પિતાની નિવૃત્તિ હતી, તેમની સરકારી નોકરી મેળવવા પુત્રએ જ તેમનું કાસળ કાઢી નાખ્યું

બિહારના ભોજપુર જિલ્લાની પોલીસે સંબંધોને શરમજનક બનાવતા એક બનાવનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં, ચાંદી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભગવતપુર ગામમાં લગભગ છ દિવસ પહેલા રજા પર આવેલા ઝારખંડ પોલીસના હવાલદાર પશુપતિનાથ તિવારીની હત્યામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ જઘન્ય હત્યા બીજા કોઈએ નહીં પણ મૃતકના એકમાત્ર પુત્ર વિશાલ તિવારીએ કરી હતી અને તે જ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે.

Police Constables Murder
prabhatkhabar.com

પોલીસે પુત્રની તેના મિત્ર મોહમ્મદ જીશાન અહેમદ જીલાની સાથે ધરપકડ કરી છે. આ સંપૂર્ણ મામલાની વિગતો ત્યાંના પોલીસ સ્ટેશનના SDPO-2 રણજિત કુમાર સિંહે ગુરુવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મૃતક હવાલદારના પુત્ર ભગવતપુર ગામના રહેવાસી વિશાલ તિવારી અને હજારીબાગ જિલ્લાના લોસિંગના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નુરા હજારીબાગના લેક રોડના રહેવાસી મોહમ્મદ જીશાન અહેમદ જીલાની તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ, હત્યા પાછળના મુખ્ય કારણોમાં રહેમ રાહે નોકરીની લાલચ, નાણાકીય વિવાદ અને જમીન નોંધણી અંગે ચાલી રહેલ કૌટુંબિક વિવાદ હતો. એવું જાણવા મળ્યું છે કે, મૃતક હવાલદાર પશુપતિ નાથ તિવારી જાન્યુઆરીમાં નિવૃત્ત થવાના હતા, અને આ જ કારણ પુત્ર અને પિતા વચ્ચે વધતા જતા વિવાદનું કારણ હતું.

Police Constables Murder
palpalindia.com

SDPO રણજીત કુમાર સિંહે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે હત્યામાં વપરાયેલા પુરાવા મેળવ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી ઝડપી બનાવી છે. આ ખુલાસાથી માત્ર ભગવતપુર ગામમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. એક પુત્ર દ્વારા પોતાના પિતાની હત્યા કરવાની આ ઘટનાએ સમાજને ખુબ આઘાત પહોંચાડ્યો છે.

Police Constables Murder
lagatar.in

પોલીસ હાલમાં બંને આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની પ્રક્રિયામાં છે, જ્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, મૃતક હવાલદાર પશુપતિ નાથ તિવારી જાન્યુઆરીમાં નિવૃત્ત થવાના હતા, અને આ જ કારણ પુત્ર અને પિતા વચ્ચે વધતા વિવાદનું કારણ હતું. SDPO રણજીત કુમાર સિંહે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોતાના ગુના કબૂલ કર્યા છે. પોલીસે હત્યામાં વપરાયેલા પુરાવા મેળવવા સાથે આગળની કાનૂની કાર્યવાહી ઝડપી બનાવી છે.

About The Author

Related Posts

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.