ગામવાસીઓએ નાગણને મારી 80 ઈંડા જમીનમાં દાટ્યા, પણ નાગ બદલો લેવા આવશે એનો ખૌફ

દેશ આજે ભલે ચંદ્ર પર જવાની તૈયારીઓમાં લાગી ગયો છે, પણ તે વાતમાં શંકાને સ્થાન નથી કે વાર્તાઓ અને ફિલ્મોમાં નાગ અને નાગણના કિસ્સા લોકોમાં આજે પણ ચર્ચાનો વિષય છે. મુઝફ્ફરનગરના એક ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક નાગણના 80 ઇંડા મળ્યા બાદ લોકોમાં અચરજ જોવા મળી રહ્યું છે. ગામવાસીઓએ નાગણને મારી નાખી હતી, પણ નાગણના મોત બાદ ઘરમાંથી નાગણના 80 ઇંડા મળ્યા અને લોકો ચોંકી ઉઠ્યા હતા. મૃત નાગણ અને તેના ઇંડાને જમીનમાં દાટ્યા પછી પણ લોકો ડરેલા છે. ડરેલા લોકોનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા આ જ ગામમાં એક નાગણે નાગની હત્યાનો બદલો એક કિશોરને ડંખ મારીને લીધો હતો.

નાગને મારી નાખ્યા પછી નાગણનો બદલો લેવો અને તેના ગુસ્સાથી બચવાની વાર્તાઓ લોકો પાસેથી સાંભળવા મળે છે. ચરથાવલ પોલીસ મથક ક્ષેત્રના ગામ રોની હર્જીપુરના લોકો અનુસાર, અહીં આજથી લગભગ 5 વર્ષ પહેલા એક ચોંકાવનારી ઘટના બની ચૂકી છે. ડરના માહોલ વચ્ચે મંગળવારે ગામના એક મુસ્લિમના ઘરેથી એક નાગણ મળી આવી હતી. આ પહેલા કે લોકો કંઇ સમજી શકે, નાગણે ફુંફાડો મારતા ઘરના લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. સૌભાગ્યથી તે કોઇને ડંખી ન શકી.

આ દરમિયાન નાગણને મારી નાખવામાં આવી. ઘરના ખૂણામાં રાખેલી અનાજની ટાંકી હટાવવામાં આવી તો તેની નીચે નાગણના 80 ઇંડા મળ્યા. ઇંડા જોઇને આબાદના પરિવારના લોકો ડરી ગયા. ભારતીય ખેડૂત યુનિયનના મંડળ અધ્યક્ષ વિકાસ શર્માએ કહ્યું કે, આબાદનો પરિવાર મંગળવારે નાગણના હુમલાથી જેમ તેમ બચ્યો. તેમણે નાગણના ઇંડા જમીનમાં દાટી દીધા.

ગામના લોકોનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા ગામના સલીમના ઘરમાં નાગ નાગણની જોડી નીકળી હતી. સલીમનો પરીવાર ડરી ગયો અને તેમણે નાગને મારી નાખ્યો. નાગણ કોઇ રીતે બચીને તેના દરમાં ચાલી ગઇ. પણ થોડા દિવસ પછી નાગણે દરની બહાર આવીને સલીના 15 વર્ષના છોકરાને ડંખીને નાગની હત્યાનો બદલો લીધો હતો. ગામ રોની હરજૂપુરમાં 5 વર્ષ પહેલા ઘટેલી આ ઘટનાને લઇને આજે પણ ગામના લોકો ડરેલા છે. જ્યારે, રોની હરજૂપુરમાં નાગણને મારી નાખવાના મુદ્દામાં ડેપ્યુટી રેન્જર કુલદીપ સિંહનું કહેવું છે કે તેમને આ વિશે જાણકારી નથી. તેમણે કહ્યું કે, કેસની તપાસ કરાવીને આવશ્યક વૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.