સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયના પૈતૃક ઘરની આ હાલત છે, ગમે ત્યારે તૂટી શકે છે.

લાલા લજપત રાય દેશના સૌથી મોટા પ્રમુખ સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. દેશની આઝાદી માટે લડતા લડતા તેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. એવામાં તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુઓ આપણા માટે એક વિરાસત સમાન છે.લાલા લજપત રાય પંજાબ કેસરી ના નામથી જાણીતા હતા. પરંતુ તેમના પૈતૃક ઘરની હાલત એવી છે કે, ગમે ત્યારે તુટી શકે છે.

લાલા લજપત રાયનું પૈતુક ઘર પંજાબના જગરાંવમાં મિસરપુરા મહોલ્લામાં આવેલું છે. દેશ માટે બલિદાન આપનાર આ સ્વાતંત્ર્ય સેનાનીનું પૈતૃક  ઘર કોઇ મોટી ધરોહરથી ઓછું નથી. તેમના ઘરનું વિશેષ રીતે ધ્યાન રખાવું જોઇએ, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ વિરાસતના હાલ અત્યારે બદહાલછે. આ ઘરની દુર્દશા જોઇને તમે સમજી જશો કે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર નેતાના ઘરની કેવી રીતે જાળવણી કરવામાં આવી છે.

અહીંના લોકો બાળપણમાં લાલા લજપત રાયને પ્રેમથી લાલાજી કહીને બોલાવતા હતા. આ પૈતૃક ઘરમાં રમતા-કુદતા તેમનું  બાળપણ વિત્યું હતું. અહીં થી જ તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો. જે ઘર સાથે લાલા લજપત રાયની યાદો જોડાયેલી છે તેવા ઘરની હાલત દયનીય થઇ ગઇ છે. લાલા લજપત રાયના પિતાએ આ ઘર 1845માં બનાવ્યું હતું.

28 ફેબ્રુઆરી, 1865માં નાના ના ઘરે જન્મેલા લાલા લજપત રાયે પોતાનું બાળપણ મોહલ્લા મિસરપુરામાં તેમના પૈતૃક ઘરમાં વિતાવ્યુ હતું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેટલાંક સમય પહેલા લાલાજીના ઘર અને પુસ્તકાલયની મરમ્મત શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને અટકાવી દેવામાં આવી હતી.  ઘરના કેટલાંક હિસ્સામાં ખાસ કરીને દિવાલો પર પેચ ભરાયેલા અને મુખ્ય દરવાજા પર લાલ સીમેન્ટ લગાવેલી દેખાઇ છે. પરંતુ હજુ  પણ દિવારો પર તિરાડ જોવા મળી રહી છે.

પૈતૃક ઘરમાં બેડ અને ટેબલ પર લાલાજીની ખુરશી, દિવાલ પર ઘડિયાળ અને થોડા વાસણો પડેલાં છે. દિવાલો પર કલર ઉખડી જવાને કારણે પુસ્તકાલય પણ અસ્તવ્યસ્ત સ્થિતમાં હતું.

લાયબ્રેરીમાં કામ કરતા એક વ્યકિતએ જણાવ્યું કે, બે મહિના પહેલાં આ પૈતૃક સંપત્તિની મરમ્મતનું કામ શરૂ થયું હતું. પરંતુ 15 જ દિવસમાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યુ કે પેચ વર્ક કરવામાં આવ્યું હતું, દિવાલો ભીની હતી અને દરવાજા પર લગાવવામાં આવેલી સીમેન્ટ કાચી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.