પતિએ કંટાળીને પોતાની પત્નીના નિકાહ બીજા યુવક સાથે કરાવી દીધા, સાથે 3 બાળકો પણ આપી દીધા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાના પરિવાર સાથેના ઝઘડાથી કંટાળીને એક પુરુષે પોતાની પત્ની અને ત્રણ બાળકોને બીજા માણસને સોંપી દીધા અને પોતાની પત્નીના તેની સાથે લગ્ન પણ કરાવી દીધા. આ ઘટના સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પંચાલી બુજુર્ગ ગામમાં બની હોવાનું જાણવા મળે છે, જ્યાં આ અસામાન્ય ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી પોલીસ પણ ચોંકી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર વિવાદ ઘર, જમીન અને પારિવારિક ઝઘડાઓ સાથે જોડાયેલો છે.

પંચાલી બુજુર્ગ ગામના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, તેના પોતાના પરિવારના સભ્યો દ્વારા તેને સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેના પિતા, બહેન અને બનેવી તેના પર માનસિક દબાણ કરી રહ્યા હતા અને તેનું ઘર કબજે કરવા માંગતા હતા. એવો પણ આરોપ છે કે, ઘર તેની પત્નીના નામે હોવા છતાં પરિવારના સભ્યો સતત ઝઘડો કરતા હતા અને તેના ઘરનો અડધો ભાગ માંગતા હતા. આ વ્યક્તિના જણાવ્યા મુજબ, આ ઘર તેની પત્નીના માતાપિતાએ જમીન ખરીદીને બનાવ્યું હતું અને તે તેની પત્નીના નામે નોંધાયેલું છે. આમ છતાં, પરિવારના સભ્યો તેને ઘર અને જમીન અંગે માનસિક રીતે હેરાન કરતા રહ્યા.

Sarurpur-Police-Station,-Meerut

આ વ્યક્તિએ વધુમાં આરોપ લગાવ્યો કે, તેના પિતા, બહેન અને બનેવી માત્ર તેને જ બદનામ કરવાનો પ્રયાસ નહોતા કરતા, પણ માનસિક રીતે અસ્થિર ગણાવીને તેને પાગલ સાબિત કરવાનું કાવતરું પણ ઘડી રહ્યા હતા. તેણે કહ્યું કે તેના પરિવારના સભ્યો તેની પત્ની પર પણ ખોટા આરોપો લગાવી રહ્યા હતા અને તેમને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેણે કહ્યું, 'ઘરમાં રોજ ઝઘડા થતા હતા. મારા પોતાના લોકો જ મારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવા લાગ્યા. મારી પત્ની પર પણ ખોટા આરોપો લગાવવામાં આવ્યા. ધીમે ધીમે પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે, હવે મારામાં જીવન જીવવાની બધી ઇચ્છા ખતમ થઇ ગઈ છે.'

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ માનસિક દબાણ અને ઘરેલુ તણાવને કારણે, તે વ્યક્તિએ એક અકલ્પનીય પગલું ભર્યું. જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, તેણે તેના બાળકો અને પત્નીને બીજા પુરુષને સોંપી દીધા. એટલું જ નહીં, તેણે તેની પત્નીના લગ્ન પણ તે જ પુરુષ સાથે કરાવી દીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામલોકોની હાજરીમાં લગ્ન સમારોહ પૂર્ણ થયો. મહિલા પણ આ નિર્ણય માટે સંમત થઈ ગઈ, કારણ કે તે પણ થઇ રહેલા સતત ઝઘડા અને કૌટુંબિક વિખવાદથી પરેશાન થઇ ગઈ હતી.

આ સમગ્ર ઘટના પછી, તે પુરુષે કહ્યું કે, તેણે હવે તેના પરિવાર અને સંબંધીઓ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. તેણે કહ્યું, 'મેં મારી પત્ની અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આ પગલું ભર્યું છે. જો હું તેમની સાથે રહ્યો હોત, તો કદાચ રોજિંદા ઝઘડા અને તણાવથી અમારું જીવન બરબાદ થઈ ગયું હોત. હવે, હું પ્રાર્થના કરું છું કે તેઓ ખુશ રહે.' આ દરમિયાન, ગ્રામજનો કહે છે કે, આ મામલો ખૂબ જ વિચિત્ર અને દુઃખદ છે. એક પુરુષ પોતાના પરિવારને બીજા કોઈને સોંપી દે છે તે સાંભળીને બધા ચોંકી ગયા. ગ્રામજનો કહે છે કે, આ પરિવારમાં ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો, અને ઘણી પંચાયતો પણ થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ પર કોઈ પહોંચ્યું ન હતું.

Husband-Wife-Marriage.jpg-2

ગ્રામજનોના મતે, વિવાદનું મૂળ તે ઘર જ હતું જેમાં તે પુરુષ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. એવું કહેવાય છે કે, તેની પત્નીના માતાપિતાએ આ ઘર પોતાના ખર્ચે બનાવ્યું હતું. પરિવાર આનાથી નાખુશ હતો અને ઘરમાં ભાગ માંગતો હતો. તેના કારણે ઘરમાં સતત ઝઘડા થતા રહેતા હતા. ક્યારેક, પરિસ્થિતિ એટલી હદે વધી ગઈ હતી કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિએ અગાઉ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા પછી, પોલીસે તપાસ શરૂ કરી. આ કેસમાં, સરુરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, માહિતી મળી હતી કે યુવકે અગાઉ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જ્યારે બધું ઠીક ન રહ્યું, ત્યારે તેણે તે મહિલાના લગ્ન બીજા પુરુષ સાથે કરાવી દીધા. જો ભવિષ્યમાં કોઈ ફરિયાદ કે વિવાદ ઉદ્ભવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.