ISROએ નક્કી કર્યો ગગનયાનના પરીક્ષણનો સમય, જાણો ક્યારે લોન્ચ થશે પહેલી ઉડાણ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO 21 ઓક્ટોબરના રોજ સવારે 07:00 થી 09:00 વાગ્યા વચ્ચે પહેલું ગગન મિશન લોન્ચ કરશે. આ મુખ્ય મિશન અગાઉ પ્રાયોગિક મિશન થશે. શ્રી હરિકોટાના સતીશ ધવન કેન્દ્રથી પહેલું મિશન લોન્ચ કરવામાં આવશે. TV-D1માં ક્રૂ મોડ્યૂલને અંતરીક્ષમાં મોકલવા અને લાવવામાં આવશે. આ પ્રાયોગિક મિશનમાં ગગનયાનની અંદરનું વાતાવરણ એ પ્રકારનું નથી જે પ્રકારે માનવયુક્ત ગગનયાનનું હશે.

ISROએ વર્ષ 2024માં માનવ મિશન ગગનયાનની યોજના તૈયાર કરી છે. આ ભારતનું પહેલું મિશન હશે. 3 દિવસના આ મિશનમાં 3 સભ્યોની ટીમને 400 કિલોમીટર દૂર પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવશે. ગગનની લેન્ડિંગ સમુદ્રમાં થશે. ભારતને પણ આ સફળતા મળે છે તો માનવ મિશનને અંજામ આપનારો ચોથો દેશ થઈ જશે. અમેરિકા, ચીન અને રશિયા અગાઉ એમ કરી ચૂક્યા છે. ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું કે, ગગનયાનના લોન્ચ અગાઉ 4 પ્રાયોગિક ટેસ્ટ કરવામાં આવશે.

તેમાં પહેલું ટેસ્ટ 21 ઓક્ટોબરના રોજ થશે. ત્યારબાદ BLA D2, D3, અને D4 ટેસ્ટની પણ તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. પહેલા ટેસ્ટમાં ગગનયાનમાં જવું, આવવું અને પછી બંગાળની ખાડીમાં ઉતર્યા બાદ તેને જપ્ત કરવાનું સામેલ છે. ગગનયાન માટે ISROએ ડ્રગ પેરાશૂટનું સફળ પરીક્ષણ ચંડીગઢની લેબમાં ઑગસ્ટમાં જ કરી લીધું હતું. આ પેરાશૂટ અંતરીક્ષ યાત્રીઓને સુરક્ષિત ધરતી પર પરત લાવવામાં મદદ કરશે. આ પેરાશૂટ યાનની ગતિને ઓછી કરશે. તેની સાથે તેને સ્થિર પણ રાખવાનું કામ કરશે. તેનું પરીક્ષણ વાસ્તવિક વાતાવરણમાં કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2018ના રોજ ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. આ મિશન વર્ષ 2022 સુધી પૂરું થવાનું અહતું, પરંતુ કોરોનાના કારણે મોડું થયું. આ મિશન માટે અંતરીક્ષ યાત્રીઓની તાલીમ બેંગ્લોરમાં શરૂ થઈ ગઈ છે. ગગનયાન મિશન માટે લગભગ 90.23 અબજ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.