કૈલાશ વિજયવર્ગીયના ‘ઘંટા’વાળા નિવેદનથી SDM કેમ સસ્પેન્ડ થયા? જાણો આખો મામલો

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ચર્ચિત ઘંટાવાળા નિવેદનનો ઉલ્લેખ સરકારી આદેશમાં કરવાનું દેવાસના SDM આનંદ માલવિયાને મોંઘું પડી ગયું. પત્ર વાયરલ થતા જ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે આ કાર્યવાહી માટે આદેશ જાહેર કર્યો હતો. દેવાસના કલેક્ટર ઋતુરાજ સિંહે SDM ઓફિસમાં સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કર્યા છે. વહીવટી ફેરબદલ કરતા અભિષેક શર્માને દેવાસના નવા SDM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઇન્દોરમાં દૂષિત પીવાના પાણીથી થતી બીમારી અને મૃત્યુને લઈને રાજ્યનું રાજકારણ પહેલેથી જ ગરમાયું હતું. આ દરમિયાન પત્રકારના પ્રશ્નના જવાબમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય દ્વારા ઘંટા શબ્દનો ઉપયોગ કરાતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનને અસંવેદનશીલ ગણાવતા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા. આ રાજકીય માહોલ વચ્ચે, SDM આનંદ માલવિયાએ દેવાસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક સરકારી આદેશ જાહેર કર્યો હતો. આ આદેશનો હેતુ કોંગ્રેસના પ્રસ્તાવિત વિરોધ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ આદેશની ભાષા અને તેમાં સામેલ સામગ્રીએ સમગ્ર વહીવટી તંત્રને મુશ્કેલીમાં મુકી દીધું.

SDM
ndtv.in

વાયરલ થયેલા આદેશમાં વહીવટી નિર્દેશો સાથે-સાથે, કોંગ્રેસના મેમોરેન્ડમમાં કરવામાં આવેલા સરકાર વિરોધી આરોપો, મૃત્યુઆંક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયની ઘંટા ટિપ્પણીનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા આદેશો માત્ર કાયદો અને વ્યવસ્થા, પોલીસ બળની તૈનાતી અને વહીવટી દિશા-નિર્દેશ હોય છે, પરંતુ આ આદેશમાં રાજકીય ભાષા અને આરોપોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આદેશનો એક ભાગ કોંગ્રેસના મેમોરેન્ડમમાંથી લગભગ શબ્દશઃ લેવામાં આવ્યો હતો. આ વાત શાસન સ્તર પર સૌથી અરમાનજનક માનવામાં આવી હતી.

જેવો જ આ આદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, વિપક્ષે તેને વહીવટના રાજનીતિકરણનું ઉદાહરણ ગણાવ્યું, જ્યારે સત્તાધારી પક્ષમાં અસહજતા સ્પષ્ટ નજરે પડી. આ મામલો થોડા જ સમયમાં ભોપાલ પહોંચ્યો, અને ઉચ્ચ સ્તરીય રિપોર્ટ મંગાવવામાં આવ્યો. વહીવટી ગલિયારામાં ચર્ચાઓ તેજ થઈ ગઈ કે એક જવાબદાર અધિકારી આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે. ઉજ્જૈન ડિવિઝન કમિશનર આશિષ સિંહે આ બાબતને ગંભીર માનતા તાત્કાલિક SDM આનંદ માલવિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કરી દીધો.

SDM
ndtv.in

આ મામલાની આંતરિક તપાસમાં એ વાત પણ સામે આવી કે SDM ઓફિસમાં તૈનાત સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણે ઓર્ડર તૈયાર કરવામાં અને ટાઇપ કરવામાં ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ, દેવાસના કલેક્ટર ઋતુરાજ સિંહે સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કરી દીધા. વહીવટી સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી એ સંદેશ મોકલવાનો પ્રયાસ છે કે સરકારી દસ્તાવેજોમાં બેદરકારી કે રાજકીય સામગ્રી સહન કરવામાં નહીં આવે.

SDM
ndtv.in

સસ્પેન્ડ થયા બાદ તરત જ, સરકારે અભિષેક શર્માને દેવાસના નવા SDM તરીકે નિયુક્ત કર્યા. પદ સંભાળ્યા બાદ, નવા SDMએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સ્પષ્ટતા કરી કે તમામ આદેશો અને નિર્દેશો વહીવટી ભાષા અને નિયમો અનુસાર કડક રીતે જાહેર કરવામાં આવશે. તો SDMને સસ્પેન્ડ કર્યા બાદ લોકોનું કહેવું છે કે ઘંટા કહેનારા કૈલાશ વિજયવર્ગીય પર તો કોઈ કાર્યવાહી ન થઈ, પરંતુ સરકારી આદેશમાં તેમનું નિવેદન લખવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેવો ન્યાય છે?

About The Author

Related Posts

Top News

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.