સંભલની ડેમોગ્રાફી પર ચોંકાવનારો રિપોર્ટ, માત્ર 15 ટકા જ હિન્દુ બચ્યા છે

ઉત્તર પ્રદેશના સંભલની ડેમોગ્રાફીને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, સંભલમાં માત્ર 15 ટકા હિન્દુઓ બચ્યા છે. બાકી બધા પલાયન કરી ગયા. આઝાદી બાદ સંભલ નગરપાલિકામાં 45% હિન્દુઓ હતા. ત્યારથી અહીંની ડેમોગ્રાફી બદલાતી ગઈ. 3 સભ્યોની ન્યાયિક તપાસ પંચના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સંભલ હિં*સા બાદ ન્યાયિક પંચની રચના કરવામાં આવી હતી. 24 નવેમ્બર 2024ના રોજ આ વિસ્તારમાં હિં*સા ફાટી નીકળી હતી. સંભલમાં મસ્જિદમાં સર્વે દરમિયાન હિં*સા થઈ હતી. ન્યાયિક પંચમાં અલ્લાહબાદ હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોડા અને રિટાયર્ડ IAS અમિત મોહન, રિટાયર્ડ IPS અરવિંદ કુમાર જૈનનો સામેલ હતા. આજે ન્યાયિક પંચની ટીમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને ગોપનીય તપાસ રિપોર્ટ સોંપી દીધો હતો.

sambhal
tv9hindi.com

રિપોર્ટમાં શું-શું છે?

દં*ગામાં વિદેશી હથિયાર મળી આવ્યા હતા. રિપોર્ટમાં Made in USA હથિયાર મળવાની વાત છે. મીડિયા રિપોર્ટ મુજબ, રિપોર્ટમાં લવ જિહાદ, દં*ગા અને સામાજિક ગતિવિધિઓને કારણે ધર્માંતરણનો પણ ઉલ્લેખ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભલ હંમેશાં પઠાણ તુર્કો વચ્ચેના આંતરિક સંઘર્ષમાં સળગતું રહ્યું છે. વર્ષ 1947થી, દરેક દં*ગામાં માત્ર હિન્દુઓ જ માર્યા જાય છે. આ વખત પણ હિન્દુઓને મારવાની પ્લાનિંગ હતી. દં*ગા કરવા માટે બહારથી ટોળાને બોલાવવામાં આવ્યા હતા. હિન્દુ મોહલ્લામાં પોલીસની ઉપસ્થિતિને કારણે હિન્દુઓ બચી ગયા હતા. જૂની દુશ્મનાવટને કારણે દંગાઓ દરમિયાન તુર્ક પઠાણોએ એક-બીજાને માર્યા હતા.

22 નવેમ્બરના રોજ નમાઝીઓને સંબોધિત કરતા સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે કહ્યું હતું કે, અમે પોલીસ પ્રશાસન કે સરકારથી દબાવાના નથી. અરે અમે આ દેશના માલિક છીએ. અમે નોકર, ગુલામ નથી. હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે મસ્જિદ હતી, મસ્જિદ છે, ઇન્શા-અલ્લાહ મસ્જિદ કયામત સુધી રહેશે. અયોધ્યામાં જે રીતે અમારી મસ્જિદ છીનવી લેવામાં આવી, એવું અમે અહીં નહીં થવા દઈએ.

આ અગાઉ હિં*સાને લઈને અન્ય એક રિપોર્ટ આવ્યો હતો. 114 પાનાંનો આ રિપોર્ટ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ (APCR) દ્વારા કારવાં-એ-મોહબ્બત સાથે મળીને જાહેર કરવામાં આવ્યો હતો. સંશોધનકર્તા પ્રકૃતિ, એડવોકેટ અહમદ ઇબ્રાહિમ અને કાર્યકર્તા હર્ષ મંડર દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં 2 મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો: સર્વેક્ષણની પ્રક્રિયા અને ત્યારબાદ શું થયું તે બાબતે હતું.

sambhal2
moneycontrol.com

હિં*સામાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા. મસ્જિદ સર્વેક્ષણનો આદેશ એક સ્થાનિક કોર્ટે 19 નવેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો, જ્યારે એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1526માં મસ્જિદ બનાવવા માટે એક મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું આવ્યું હતું. આ આદેશ ચંદોસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) આદિત્ય સિંહની કોર્ટે પસાર કર્યો હતો. પહેલો સર્વેક્ષણ 19 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. 24 નવેમ્બરના રોજ બીજા સર્વેક્ષણ દરમિયાન હિં*સા ફાટી નીકળી હતી.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.