રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ જેને બનાવવામાં 10 હજાર કરોડથી વધુના ખર્ચે થયો છે. એક અઠવાડિયા પહેલા, આપણે ₹4200 કરોડમાં બનેલા લખનૌ-કાનપુર એક્સપ્રેસવેને પંખાથી હવા ખાતો જોયો હતો. હવે, 11,200 કરોડમાં બનેલા નોઈડા એરપોર્ટના પહેલા ફેઝનો આનંદ માણો. તેમાં બધી સુવિધાઓ છે, હવામાં ઉડતા વિમાન તો દેખાશે જ, પરંતુ હવે વરસાદ પડે, તો સરળતાથી હોડી પણ ચલાવી શકો છો. એરપોર્ટનો આ વીડિયો 11 ઓગસ્ટનો છે.

noida-airport2
economictimes.indiatimes.com

ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, એરપોર્ટ મેનેજમેન્ટને જેવી જ પાણી ભરાવાની જાણ થઇ, તેમણે પાણી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી. પાણી તો હટાવી દેવામાં આવ્યું, પરંતુ પ્રશ્ન એ છે કે, માત્ર ચાર કે પાંચ મહિના પહેલા ઉદ્ઘાટન કરાયેલ એરપોર્ટ આવી દયનીય સ્થિતિમાં કેવી રીતે થઇ ગઇ? એવું કયું અદ્વિતિ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? અને આ એરપોર્ટ કયા એન્જિનિયરની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું?

રિપોર્ટમાં જણાવાયું છે કે વરસાદ શરૂ થયા પછી તરત જ પાર્કિંગ અને ટર્મિનલ વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે મુસાફરોને ઘણી અગવડતા થઈ હતી. આ મુદ્દો મેનેજમેન્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો, અને લગભગ 30 મિનિટમાં પાણી હટાવી દેવામાં આવ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એરપોર્ટ સ્ટાફ વાઇપર લઇને પાણી કાઢતો દેખાય છે.

આમ આદમી પાર્ટીના X હેન્ડલ દ્વારા પણ પાણી ભરાયેલા નોઇડા એરપોર્ટનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. 11 ઓગસ્ટની રાત્રે લગભગ 8:15 વાગ્યે લખ્યું કે, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આશરે ₹11,200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને માત્ર છ મહિના પહેલા વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે આજે પહેલા વરસાદમાં જ મોદી સરકારના ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળા બાંધકાની પોલ ખોલતું નજરે પડ્યું.

એરપોર્ટે શું કહ્યું?

વીડિયો પર સોશિયલ મીડિયા પર પડેલા પ્રત્યાઘાત બાદ, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટે એક પ્રેસ નોટ રીલિઝ કરી હતી. ANI અનુસાર, એરપોર્ટે જણાવ્યું હતું કે, ખૂબ જ ઓછા સમયમાં ભારે વરસાદને કારણે ટર્મિનલ અને પાર્કિંગ વિસ્તારોને જોડતા માર્ગ પર પાણી ભરાઇ થઈ ગયું હતું. એરપોર્ટ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીતા 30 મિનિટથી ઓછા સમયમાં પાણી કાઢી દીધું. આ દરમિયાન, ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, અને મુસાફરોને સીધા ટર્મિનલની બહાર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કારણે, એરપોર્ટની કામગીરી પર ખૂબ ઓછી અસર પડી હતી, અને કોઈપણ ફ્લાઇટમાં કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. અમારી ટીમ ઘટનાની તપાસ કરી રહી છે, અને જો જરૂર પડે તો જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

noida-airport1
deccanherald.com

ઉલ્લેખનીય છે કે, જેવર એરપોર્ટે ઉદ્ઘાટન પહેલા જ ખૂબ ચર્ચામાં હતું. જે જમીન પર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે, તેના માટે સરકારે લોકોને ખૂબ વળતર આપ્યું હતું; પોતાની જમીન આપનારા ઘણા ખેડૂતો રાતોરાત કરોડપતિ બની ગયા હતા. જ્યારે પહેલી ફ્લાઇટે ઉડાણ ભરી, ત્યારે તેના મુસાફરો પણ ગામના ખેડૂતો હતા. કુલ મળીને, એરપોર્ટ શરૂઆતથી જ સમાચારમાં રહ્યું હતું.

About The Author

Related Posts

Top News

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મુસાફરો સાથે સારી રીતે વાતચીત કરવા અને જાહેર પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના તમામ વાણિજ્યિક વાહન ચાલકો...
National 
મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ માટે 83,700 ચોરસ ફૂટ વન જમીનને આપી મંજૂરી

મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપની કંપનીઓના બે મોટા પ્રોજેક્ટ્સ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જેટલી વન જમીનના બિન-વનીય ઉપયોગ (ડાયવર્ઝન) માટે...
Business 
મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ માટે 83,700 ચોરસ ફૂટ વન જમીનને આપી મંજૂરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.