અમારા મુખ્યમંત્રી પાગલ છે- જેલમાં બંધ મોટાના નેતાના પુત્રનો બળાપો

તેલુગૂદેશમ પાર્ટી(TDP)ના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે કહ્યું કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ. જગમોહન રેડ્ડી તેમની સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ એક રાજકીય બદલાની ભાવના છે. તેની વધારે કશું નથી. નારા લોકેશ અને પાર્ટી સમર્થક આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા TDPના પ્રમુખ એન. ચંદ્રબાબૂ નાયડૂની ધરપકડ સામે સોમવારે દિલ્હીના લોધી એસ્ટેટમાં ભૂખ હડતાળે બેઠા હતા.

નારા લોકેશે કહ્યું કે, ચંદ્રબાબૂ નાયડૂને કાર્યકુશળતા, પારદર્શિતા અને સત્યનિષ્ઠા માટે ઓળખવામાં આવે છે. આજે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં એક પાગલ વ્યક્તિ બેઠા છે. જે એક વિશ્વસનીય રાજનેતા સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ રાજકીય બદલાની ભાવના સિવાય બીજુ કશું નથી. તેમણે બે વધુ કેસ તૈયાર કરી રાખ્યા છે. જો ચંદ્રબાબૂને આ કેસમાં જામીન મળી જાય છે, તો તેમને વધુ બે કેસોમાં ફરીથી રિમાંડ પર લઇ જવામાં આવી શકે છે.

આંધ્રમાં અમે આ રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે

નારા લોકેશે સાથે એવું પણ કહ્યું કે, સરકાર તેની સામે ખોટા કેસ બનાવી રહી છે. સાથે તેની માતા અને પત્નીને પણ જેલમાં બંધ કરવાની ધમકી આપી રહ્યા છે. આ માત્ર ચંદ્રબાબુ નાયડૂનો કેસ નથી. તેમણે મારા સામે પણ ખોટા કેસ બનાવ્યા છે. જગમોહન રેડ્ડીની સરકારે હવે એક એવા કેસમાં મને રજૂ થવાની નોટિસ મોકલી છે, જેનો એ મંત્રાલય સાથે કોઇ લેવા-દેવા જ નથી, જ્યારે હું મંત્રી હતો. તેઓ ઘણાં લોકોને નોટિસ મોકલી રહ્યા છે. તેમણે મારી પત્ની અને માતા સામે પણ કેસ દાખલ કરવાની અને તેમને જેલમાં બંધ કરવાની ધમકી આપી છે. આંધ્ર પ્રદેશમાં અમે આવી રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂના પુત્ર નારા લોકેશે કહ્યું કે, માટે હું દરેક ભારતીયોને ચંદ્રબાબૂ નાયડૂની સાથે ઊભા રહીને તેમને સમર્થન કરવાનો આગ્રહ કરું છું. જણાવીએ કે, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની કરોડો રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ સ્કેમના કેસમાં 9 સપ્ટેમ્બરના રોજ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન વિભાગે ધરપકડ કરી હતી.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.