અમારા મુખ્યમંત્રી પાગલ છે- જેલમાં બંધ મોટાના નેતાના પુત્રનો બળાપો

તેલુગૂદેશમ પાર્ટી(TDP)ના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે કહ્યું કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ. જગમોહન રેડ્ડી તેમની સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ એક રાજકીય બદલાની ભાવના છે. તેની વધારે કશું નથી. નારા લોકેશ અને પાર્ટી સમર્થક આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા TDPના પ્રમુખ એન. ચંદ્રબાબૂ નાયડૂની ધરપકડ સામે સોમવારે દિલ્હીના લોધી એસ્ટેટમાં ભૂખ હડતાળે બેઠા હતા.

નારા લોકેશે કહ્યું કે, ચંદ્રબાબૂ નાયડૂને કાર્યકુશળતા, પારદર્શિતા અને સત્યનિષ્ઠા માટે ઓળખવામાં આવે છે. આજે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં એક પાગલ વ્યક્તિ બેઠા છે. જે એક વિશ્વસનીય રાજનેતા સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ રાજકીય બદલાની ભાવના સિવાય બીજુ કશું નથી. તેમણે બે વધુ કેસ તૈયાર કરી રાખ્યા છે. જો ચંદ્રબાબૂને આ કેસમાં જામીન મળી જાય છે, તો તેમને વધુ બે કેસોમાં ફરીથી રિમાંડ પર લઇ જવામાં આવી શકે છે.

આંધ્રમાં અમે આ રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે

નારા લોકેશે સાથે એવું પણ કહ્યું કે, સરકાર તેની સામે ખોટા કેસ બનાવી રહી છે. સાથે તેની માતા અને પત્નીને પણ જેલમાં બંધ કરવાની ધમકી આપી રહ્યા છે. આ માત્ર ચંદ્રબાબુ નાયડૂનો કેસ નથી. તેમણે મારા સામે પણ ખોટા કેસ બનાવ્યા છે. જગમોહન રેડ્ડીની સરકારે હવે એક એવા કેસમાં મને રજૂ થવાની નોટિસ મોકલી છે, જેનો એ મંત્રાલય સાથે કોઇ લેવા-દેવા જ નથી, જ્યારે હું મંત્રી હતો. તેઓ ઘણાં લોકોને નોટિસ મોકલી રહ્યા છે. તેમણે મારી પત્ની અને માતા સામે પણ કેસ દાખલ કરવાની અને તેમને જેલમાં બંધ કરવાની ધમકી આપી છે. આંધ્ર પ્રદેશમાં અમે આવી રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂના પુત્ર નારા લોકેશે કહ્યું કે, માટે હું દરેક ભારતીયોને ચંદ્રબાબૂ નાયડૂની સાથે ઊભા રહીને તેમને સમર્થન કરવાનો આગ્રહ કરું છું. જણાવીએ કે, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની કરોડો રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ સ્કેમના કેસમાં 9 સપ્ટેમ્બરના રોજ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન વિભાગે ધરપકડ કરી હતી.

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.