અમારા મુખ્યમંત્રી પાગલ છે- જેલમાં બંધ મોટાના નેતાના પુત્રનો બળાપો

તેલુગૂદેશમ પાર્ટી(TDP)ના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે કહ્યું કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ. જગમોહન રેડ્ડી તેમની સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ એક રાજકીય બદલાની ભાવના છે. તેની વધારે કશું નથી. નારા લોકેશ અને પાર્ટી સમર્થક આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા TDPના પ્રમુખ એન. ચંદ્રબાબૂ નાયડૂની ધરપકડ સામે સોમવારે દિલ્હીના લોધી એસ્ટેટમાં ભૂખ હડતાળે બેઠા હતા.

નારા લોકેશે કહ્યું કે, ચંદ્રબાબૂ નાયડૂને કાર્યકુશળતા, પારદર્શિતા અને સત્યનિષ્ઠા માટે ઓળખવામાં આવે છે. આજે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં એક પાગલ વ્યક્તિ બેઠા છે. જે એક વિશ્વસનીય રાજનેતા સામે ખોટા કેસ બનાવી રહ્યા છે. આ રાજકીય બદલાની ભાવના સિવાય બીજુ કશું નથી. તેમણે બે વધુ કેસ તૈયાર કરી રાખ્યા છે. જો ચંદ્રબાબૂને આ કેસમાં જામીન મળી જાય છે, તો તેમને વધુ બે કેસોમાં ફરીથી રિમાંડ પર લઇ જવામાં આવી શકે છે.

આંધ્રમાં અમે આ રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે

નારા લોકેશે સાથે એવું પણ કહ્યું કે, સરકાર તેની સામે ખોટા કેસ બનાવી રહી છે. સાથે તેની માતા અને પત્નીને પણ જેલમાં બંધ કરવાની ધમકી આપી રહ્યા છે. આ માત્ર ચંદ્રબાબુ નાયડૂનો કેસ નથી. તેમણે મારા સામે પણ ખોટા કેસ બનાવ્યા છે. જગમોહન રેડ્ડીની સરકારે હવે એક એવા કેસમાં મને રજૂ થવાની નોટિસ મોકલી છે, જેનો એ મંત્રાલય સાથે કોઇ લેવા-દેવા જ નથી, જ્યારે હું મંત્રી હતો. તેઓ ઘણાં લોકોને નોટિસ મોકલી રહ્યા છે. તેમણે મારી પત્ની અને માતા સામે પણ કેસ દાખલ કરવાની અને તેમને જેલમાં બંધ કરવાની ધમકી આપી છે. આંધ્ર પ્રદેશમાં અમે આવી રીતના પાગલ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂના પુત્ર નારા લોકેશે કહ્યું કે, માટે હું દરેક ભારતીયોને ચંદ્રબાબૂ નાયડૂની સાથે ઊભા રહીને તેમને સમર્થન કરવાનો આગ્રહ કરું છું. જણાવીએ કે, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની કરોડો રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ સ્કેમના કેસમાં 9 સપ્ટેમ્બરના રોજ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન વિભાગે ધરપકડ કરી હતી.

About The Author

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.