‘હું રામજીનો વંશજ છું, મને...’ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને લઇને શું બોલ્યા ઈમરાન મસૂદ?

વક્ફ સંશોધન બિલને લઈને સંસદથી લઈને રસ્તાઓ સુધી દલીલો છેડાઈ ગઇ છે. તેને લઇને વિપક્ષના સાંસદ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. સહારનપુર સીટના કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલને લઈને સરકાર પર પ્રહાર કર્યો છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂકના પ્રાવધાન પર તેઓ ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે, હું રામજીનો વંશજ છું અને મને પણ રામ મંદિર ટ્રસ્ટમાં રાખવામાં આવે. આ સિવાય તેમણે બીજું શું કહ્યું, ચાલો જાણીએ.

imran-masood1
indianexpress.com

મીડિયા સાથે વાત કરતા ઈમરાન મસૂદે પૂછ્યું કે, અમારી સાથે શું દુશ્મની છે કે તમે અમને તબાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે, વક્ફની આવકથી અનાથ અને ગરીબ લોકોની મદદ થાય છે. ઈમરાને વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમો પર કહ્યું કે, વક્ફમાં 22 સભ્યો હશે. 22માંથી 12થી વધુ બિન-મુસ્લિમ હશે, તેઓ શું કરશે? તેમને વક્ફની ખબર છે. તમે મને રામ મંદિર ટ્રસ્ટની અંદર રાખી દો. મેં કહ્યું કે હું પણ રામજીનો વંશજ છું. તમે મને કહો નથી તો કેવી રીતે નથી. તમે સાબિત કરી દેશો કે હું નથી. હું સાબિત કરી દઇશ કે હું છું. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકાર કહી રહી છે કે વક્ફ લેખિતમાં થશે. મરતી વખતે કોઈ વ્યક્તિ 2 લોકોની ઉપસ્થિતિમાં વક્ફ વાંચે છે, તો તમે તેને નહીં માનો.

Waqf-Amendment-Bill1
orissapost.com

 

વક્ફ બોર્ડનો દાવો

બુધવારે લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ સંસદ ભવનમાં વક્ફ સંશોધન બિલ રજૂ કરતા કહ્યું હતું કે, આ સમયની જરૂરિયાત છે. જો બિલ લાવવામાં ન આવ્યું હોત તો સંસદ ભવન અને એરપોર્ટ જેવી જગ્યાઓ પર વક્ફ પ્રોપર્ટી હોત કેમ કે વક્ફ બોર્ડે તેમના પર દાવો કર્યો હતો. વક્ફ કાઉન્સિલમાં 22 સભ્યો હશે. જેમાંથી 10 સભ્યો મુસ્લિમ હશે. જેમાં 2 મહિલાઓ સહિત વધુમાં વધુ 4 બિન-મુસ્લિમ સભ્યો હશે.

Waqf-Amendment-Bill
newsonair.gov.in

 

આ સિવાય વક્ફ કાઉન્સિલમાં સાંસદ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના રિટાયર્ડ જજ, પૂર્વ નોકરશાહ અને વકીલો પણ હશે, આ સાંસદો કોઈપણ ધર્મના હોઈ શકે છે. આ મુદ્દા પર વાત કરતા ઇમરામ મસૂદ ગુસ્સે થઈ ગયા. ઉલ્લેખનીય છે કે સંસદમાં મોડી રાત્રે વક્ફ બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું અને તેની તરફેણમાં 288 મત પડ્યા છે, જ્યારે, બિલના વિરોધમાં 232 મત પડ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે, જ્યાં તેની ચર્ચા થશે અને પછી તેને પાસ કરાવવા માટે મતદાન થશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.