પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

કેન્દ્ર સરકારે હાલમાં જ પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ,  ભારતીય જળ ક્ષેત્રનો વધુમાં વધુ ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં એક અભ્યાસ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે, જેથી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય.  ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી અને જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે, ભારત એ સુનિશ્ચિત કરશે કે પાકિસ્તાનને ભારત તરફથી પાણીનું એક ટીપું પણ ન મળે.

Indus-Waters-Treaty
indiatoday.in

 

બેઠક બાદ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને બેઠકનું આયોજન એ નિર્દેશોનો અમલ કરવા માટે કરવામાં આવ્યું છે. અમિત શાહે આ બેઠકમાં ઘણા સૂચનો આપ્યા, જેનું પ્રભાવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એક્સપર્ટ્સના મતે, ભારત પાસે પશ્ચિમી નદીઓના પાણીને રોકવા માટે પૂરતી સંરચના નથી. જોકે, સરકારે ભવિષ્યલક્ષી યોજનાઓ પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. નદીના પાણીના પ્રવાહને રોકવા માટે ચાલી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં 5-7 વર્ષ લાગી શકે છે.

Indus-Waters-Treaty1
news18.com

 

હિમાંશુ ઠક્કર, સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ (SANDRP)ના એક્સપર્ટ છે, તેઓ કહે છે કે વર્તમાનમાં ભારત પાસે પર્યાપ્ત નિયંત્રણ તંત્ર નથી, પરંતુ આ પરિયોજનાઓ પૂર્ણ થયા બાદ સ્થિતિમાં સુધાર થશે. એક અભ્યાસ કેન્દ્રના સંસ્થાપક શ્રીપાદ ધર્માધિકારી જેવા પર્યાવરણ કાર્યકરોએ પાણીના પ્રવાહને તાત્કાલિક વાળવાની તત્પરતા પર સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે, જેથી પાકિસ્તાન તરફના પાણીના પ્રવાહને તાત્કાલિક રોકી શકાય. પાકિસ્તાને આ નિર્ણયને એક્ટ ઓફ વૉરગણાવ્યો છે અને તેને લઇને પાકિસ્તાનની સીનેટમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.

Related Posts

Top News

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી
Copyright (c) Khabarchhe All Rights Reserved.