પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

કેન્દ્ર સરકારે હાલમાં જ પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ,  ભારતીય જળ ક્ષેત્રનો વધુમાં વધુ ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં એક અભ્યાસ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે, જેથી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય.  ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી અને જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે, ભારત એ સુનિશ્ચિત કરશે કે પાકિસ્તાનને ભારત તરફથી પાણીનું એક ટીપું પણ ન મળે.

Indus-Waters-Treaty
indiatoday.in

 

બેઠક બાદ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને બેઠકનું આયોજન એ નિર્દેશોનો અમલ કરવા માટે કરવામાં આવ્યું છે. અમિત શાહે આ બેઠકમાં ઘણા સૂચનો આપ્યા, જેનું પ્રભાવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એક્સપર્ટ્સના મતે, ભારત પાસે પશ્ચિમી નદીઓના પાણીને રોકવા માટે પૂરતી સંરચના નથી. જોકે, સરકારે ભવિષ્યલક્ષી યોજનાઓ પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. નદીના પાણીના પ્રવાહને રોકવા માટે ચાલી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં 5-7 વર્ષ લાગી શકે છે.

Indus-Waters-Treaty1
news18.com

 

હિમાંશુ ઠક્કર, સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ (SANDRP)ના એક્સપર્ટ છે, તેઓ કહે છે કે વર્તમાનમાં ભારત પાસે પર્યાપ્ત નિયંત્રણ તંત્ર નથી, પરંતુ આ પરિયોજનાઓ પૂર્ણ થયા બાદ સ્થિતિમાં સુધાર થશે. એક અભ્યાસ કેન્દ્રના સંસ્થાપક શ્રીપાદ ધર્માધિકારી જેવા પર્યાવરણ કાર્યકરોએ પાણીના પ્રવાહને તાત્કાલિક વાળવાની તત્પરતા પર સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે, જેથી પાકિસ્તાન તરફના પાણીના પ્રવાહને તાત્કાલિક રોકી શકાય. પાકિસ્તાને આ નિર્ણયને એક્ટ ઓફ વૉરગણાવ્યો છે અને તેને લઇને પાકિસ્તાનની સીનેટમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.

About The Author

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.