પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

કેન્દ્ર સરકારે હાલમાં જ પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ,  ભારતીય જળ ક્ષેત્રનો વધુમાં વધુ ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં એક અભ્યાસ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે, જેથી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય.  ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી અને જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે, ભારત એ સુનિશ્ચિત કરશે કે પાકિસ્તાનને ભારત તરફથી પાણીનું એક ટીપું પણ ન મળે.

Indus-Waters-Treaty
indiatoday.in

 

બેઠક બાદ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને બેઠકનું આયોજન એ નિર્દેશોનો અમલ કરવા માટે કરવામાં આવ્યું છે. અમિત શાહે આ બેઠકમાં ઘણા સૂચનો આપ્યા, જેનું પ્રભાવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એક્સપર્ટ્સના મતે, ભારત પાસે પશ્ચિમી નદીઓના પાણીને રોકવા માટે પૂરતી સંરચના નથી. જોકે, સરકારે ભવિષ્યલક્ષી યોજનાઓ પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. નદીના પાણીના પ્રવાહને રોકવા માટે ચાલી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં 5-7 વર્ષ લાગી શકે છે.

Indus-Waters-Treaty1
news18.com

 

હિમાંશુ ઠક્કર, સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ (SANDRP)ના એક્સપર્ટ છે, તેઓ કહે છે કે વર્તમાનમાં ભારત પાસે પર્યાપ્ત નિયંત્રણ તંત્ર નથી, પરંતુ આ પરિયોજનાઓ પૂર્ણ થયા બાદ સ્થિતિમાં સુધાર થશે. એક અભ્યાસ કેન્દ્રના સંસ્થાપક શ્રીપાદ ધર્માધિકારી જેવા પર્યાવરણ કાર્યકરોએ પાણીના પ્રવાહને તાત્કાલિક વાળવાની તત્પરતા પર સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે, જેથી પાકિસ્તાન તરફના પાણીના પ્રવાહને તાત્કાલિક રોકી શકાય. પાકિસ્તાને આ નિર્ણયને એક્ટ ઓફ વૉરગણાવ્યો છે અને તેને લઇને પાકિસ્તાનની સીનેટમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.