'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની જીતનું સેલિબ્રેશન આખા દેશમાં અડધી રાત સુધી મનાવાતું રહ્યું. આ દરમિયાન, બરેલવી મૌલાના શહાબુદ્દીન રજવીએ ભારતીય ટીમની જીત પર કેપ્ટન સહિત તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ બરેલવી મૌલાનાએ ફાસ્ટ ભારતીય બૉલર મોહમ્મદ શમીને રમઝાન બાદ રોજા રાખવાનું કહ્યું છે.

K-K-Wagan1
jagran.com

ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવી બરેલવીએ કહ્યું કે, મને ખુશી છે કે ભારતીય ટીમે ICC ચેમ્પિયનશિપમાં સફળતા હાંસલ કરી. હું ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સફળતા માટે અભિનંદન પાઠવું છું. ભારતીય ટીમે આખી દુનિયામાં ભારતનો ઝંડો બુલંદ કર્યો છે. મોહમ્મદ શમીના રોજા જે કજા (અમાન્ય) થઈ ગયા છે, જેને તે ક્રિકેટ મેચ દરમિયાન રાખી શક્યો નહોતો, તેને રમઝાન પછી રાખી લે. મૌલાનાએ એમ પણ કહ્યું કે, જ્યારે તે પોતાના ઘરે પરત ફરે, તો પોતાના પરિવારના લોકોને સમજાવે કે શરિયતની મજાક ન બનાવે. શરિયતના સિદ્ધાંતોને દરેક હાલતમાં  અમલ કરવા પડશે.

થોડા દિવસ અગાઉ, મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીવાને લઇને બરેલીના મૌલાનાના નિવેદનને કારણે મોહમ્મદ શમીના ગામમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આવું નિવેદન આપનાર મૌલાનાને કઠમુલ્લો કહ્યો. તો શમીના ભાઈ હસીબે કહ્યું કે, એવી નિવેદનબાજીથી શમીના સાથે કોઈ લેવાદેવા નથી.  ન તો તે તેનાથી વિચલિત છે. તેનું ધ્યાન રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે વધુ સારી તૈયારીઓ પર કેન્દ્રિત છે.

Volkswagen-ID-Every6
gaadiwaadi.com

બૉલર મોહમ્મદ શમીને લઈને બરેલીના મૌલાના શહાબુદ્દીન રિઝવી દ્વ્રારા અપાયેલા નિવેદનની હવે ચારેય તરફ નિંદા થઈ રહી છે. શમીના ગામ સહસપુર અલીનગરના ગ્રામજનોનું કહેવું છે કે, મૌલાનાને શરિયત અને હદીસની યોગ્ય જાણકારી નથી. મૌલાનાના નિવેદન સાથે કોઈ સહમત નથી.

Related Posts

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.