'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની જીતનું સેલિબ્રેશન આખા દેશમાં અડધી રાત સુધી મનાવાતું રહ્યું. આ દરમિયાન, બરેલવી મૌલાના શહાબુદ્દીન રજવીએ ભારતીય ટીમની જીત પર કેપ્ટન સહિત તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ બરેલવી મૌલાનાએ ફાસ્ટ ભારતીય બૉલર મોહમ્મદ શમીને રમઝાન બાદ રોજા રાખવાનું કહ્યું છે.

K-K-Wagan1
jagran.com

ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવી બરેલવીએ કહ્યું કે, મને ખુશી છે કે ભારતીય ટીમે ICC ચેમ્પિયનશિપમાં સફળતા હાંસલ કરી. હું ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સફળતા માટે અભિનંદન પાઠવું છું. ભારતીય ટીમે આખી દુનિયામાં ભારતનો ઝંડો બુલંદ કર્યો છે. મોહમ્મદ શમીના રોજા જે કજા (અમાન્ય) થઈ ગયા છે, જેને તે ક્રિકેટ મેચ દરમિયાન રાખી શક્યો નહોતો, તેને રમઝાન પછી રાખી લે. મૌલાનાએ એમ પણ કહ્યું કે, જ્યારે તે પોતાના ઘરે પરત ફરે, તો પોતાના પરિવારના લોકોને સમજાવે કે શરિયતની મજાક ન બનાવે. શરિયતના સિદ્ધાંતોને દરેક હાલતમાં  અમલ કરવા પડશે.

થોડા દિવસ અગાઉ, મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીવાને લઇને બરેલીના મૌલાનાના નિવેદનને કારણે મોહમ્મદ શમીના ગામમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આવું નિવેદન આપનાર મૌલાનાને કઠમુલ્લો કહ્યો. તો શમીના ભાઈ હસીબે કહ્યું કે, એવી નિવેદનબાજીથી શમીના સાથે કોઈ લેવાદેવા નથી.  ન તો તે તેનાથી વિચલિત છે. તેનું ધ્યાન રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે વધુ સારી તૈયારીઓ પર કેન્દ્રિત છે.

Volkswagen-ID-Every6
gaadiwaadi.com

બૉલર મોહમ્મદ શમીને લઈને બરેલીના મૌલાના શહાબુદ્દીન રિઝવી દ્વ્રારા અપાયેલા નિવેદનની હવે ચારેય તરફ નિંદા થઈ રહી છે. શમીના ગામ સહસપુર અલીનગરના ગ્રામજનોનું કહેવું છે કે, મૌલાનાને શરિયત અને હદીસની યોગ્ય જાણકારી નથી. મૌલાનાના નિવેદન સાથે કોઈ સહમત નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.