'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ

On

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની જીતનું સેલિબ્રેશન આખા દેશમાં અડધી રાત સુધી મનાવાતું રહ્યું. આ દરમિયાન, બરેલવી મૌલાના શહાબુદ્દીન રજવીએ ભારતીય ટીમની જીત પર કેપ્ટન સહિત તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ બરેલવી મૌલાનાએ ફાસ્ટ ભારતીય બૉલર મોહમ્મદ શમીને રમઝાન બાદ રોજા રાખવાનું કહ્યું છે.

K-K-Wagan1
jagran.com

ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવી બરેલવીએ કહ્યું કે, મને ખુશી છે કે ભારતીય ટીમે ICC ચેમ્પિયનશિપમાં સફળતા હાંસલ કરી. હું ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સફળતા માટે અભિનંદન પાઠવું છું. ભારતીય ટીમે આખી દુનિયામાં ભારતનો ઝંડો બુલંદ કર્યો છે. મોહમ્મદ શમીના રોજા જે કજા (અમાન્ય) થઈ ગયા છે, જેને તે ક્રિકેટ મેચ દરમિયાન રાખી શક્યો નહોતો, તેને રમઝાન પછી રાખી લે. મૌલાનાએ એમ પણ કહ્યું કે, જ્યારે તે પોતાના ઘરે પરત ફરે, તો પોતાના પરિવારના લોકોને સમજાવે કે શરિયતની મજાક ન બનાવે. શરિયતના સિદ્ધાંતોને દરેક હાલતમાં  અમલ કરવા પડશે.

થોડા દિવસ અગાઉ, મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીવાને લઇને બરેલીના મૌલાનાના નિવેદનને કારણે મોહમ્મદ શમીના ગામમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આવું નિવેદન આપનાર મૌલાનાને કઠમુલ્લો કહ્યો. તો શમીના ભાઈ હસીબે કહ્યું કે, એવી નિવેદનબાજીથી શમીના સાથે કોઈ લેવાદેવા નથી.  ન તો તે તેનાથી વિચલિત છે. તેનું ધ્યાન રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે વધુ સારી તૈયારીઓ પર કેન્દ્રિત છે.

Volkswagen-ID-Every6
gaadiwaadi.com

બૉલર મોહમ્મદ શમીને લઈને બરેલીના મૌલાના શહાબુદ્દીન રિઝવી દ્વ્રારા અપાયેલા નિવેદનની હવે ચારેય તરફ નિંદા થઈ રહી છે. શમીના ગામ સહસપુર અલીનગરના ગ્રામજનોનું કહેવું છે કે, મૌલાનાને શરિયત અને હદીસની યોગ્ય જાણકારી નથી. મૌલાનાના નિવેદન સાથે કોઈ સહમત નથી.

Related Posts

Top News

કર્ણાટક સરકારના મુસ્લિમ અનામત નિર્ણય પર વિહિપનો વિરોધ

વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) એ કર્ણાટક સરકારના તાજેતરના નિર્ણયની કડક ટીકા કરી છે જેમાં સરકારી ઠેકાઓમાં મુસ્લિમ સમુદાય માટે 4...
કર્ણાટક સરકારના મુસ્લિમ અનામત નિર્ણય પર વિહિપનો વિરોધ

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઘણા સમયથી બધાના દિલ પર રાજ કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 'પુષ્પા 2'એ...
Entertainment 
એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

હાલમાં દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને થોડો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં ત્રણ ભાષાના પાસાએ દક્ષિણના રાજ્યોને પણ નારાજ...
National 
શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ

જ્યારથી ભારતમાં રિયાલિટી શોની લોકપ્રિયતા વધી છે, ત્યારથી ચાહકોના મનમાં આ પ્રશ્ન હંમેશા આવ્યો છે, કે શું તે...
Entertainment 
દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.