દેશના જાણીતા પત્રકાર સુધીર ચૌધરીએ આજ તક ચેનલ છોડી દીધી છે અને એક નવા પ્લેટફોર્મ પર જવાના છે. આ વાત તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું કે મારા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોગામનો આજે છેલ્લો શો છે, ટુંક સમયમાં મળીશું.
ઘણા દિવસોથી સુધીર ચૌધરી આજ તક છોડી રહ્યા હોવાની અટકળો વહેતી થઇ હતી. જાણવા મળેલી વિગત મુજબ સુધીર ચૌધરી સરકારી ચેનલ દુરદર્શન સાથે જોડાવવાના છે અને આ બાબતે પ્રસાર ભારતી સાથે પત્રકાર જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થઇ છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે સુધીર ચૌધરીને દુરદર્શનમાં વર્ષે 15 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે.ZEE ન્યૂઝ પર DNA કાર્યક્રમથી જાણીતા બનેલા સુધીર પર સરકાર તરફી પત્રકારત્વ કરવાનો અનેક વખત આરોપ લાગતો રહ્યો છે.
તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...