કોણે બનાવ્યો આગ્રાનો કિલ્લો? સરકારને પણ ખબર નથી, RTIમાં મળ્યો આવો જવાબ

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં તાજમહલ અને લાલ કિલ્લો વિશ્વ ધરોહરોમાં સામેલ છે. આ સ્મારક દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને હજારોની સંખ્યામાં લોકો તેમને જોવા પહોંચે છે. જો આગ્રાના કિલ્લાની વાત કરીએ તો તેના પર રાજપૂતો, મુઘલો, જાટો અને મરઠાઓ સહિત ઘણા રાજવંશોએ કબજો કર્યો. આગ્રાના કિલ્લાને લઈને એક બહેસ અત્યારે ચાલી રહી છે કે તેને કોણે બનાવ્યો હતો? આ જાણકારી હાંસલ કરવા માટે એક RTI કરવામાં આવી હતી, જેમાં હેરાન કરનારો જવાબ મળ્યો છે.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના આધીન કામ કરતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે જૂની ધરોહરોની બધી જાણકારી હોય છે, પરંતુ હેરાનીની વાત એ છે કે અકબરના શાસનકાળ દરમિયાન સૌથી પહેલા આ કિલ્લાને કોણે બનાવ્યો હતો? અને તેને લઈને શું સંશોધન કરવામાં આવ્યા, તેની કોઈ જાણકારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે નથી. એક RTIના જવાબમાં વિભાગના લોક સૂચના અધિકારીએ કહ્યું કે, આગ્રાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું, તેની જાણકારી તેમના કાર્યાલયમાં ઉપલબ્ધ નથી.

કોણે કરી RTI?

આગ્રાના કાલિબાડી વિસ્તારમાં રહેતા ડૉક્ટર દેવાશીષ ભટ્ટાચાર્યએ 27 મેના રોજ માહિતીના અધિકાર (RTI) હેઠળ આગ્રાના કિલ્લા બાબતે જાણકારી માગી હતી. RTIમાં મૂળ રૂપે આગ્રાનો કિલ્લો કોણે બનાવ્યો, એ સવાલ પૂછવામાં આવ્યો હતો.

સમ્રાટ અકબરે આગ્રાના કિલ્લામાં શું બદલાવ કર્યા.

આગ્રાના કિલ્લાના નિર્માણ અગાઉ ત્યાં પર કાર્યવામાં આવેલા કાર્ય શું હતા.

શું જવાબ મળ્યો?

ASI આગ્રા સર્કલના કેન્દ્રીય લોક સૂચના અધિકારી મહેશ ચંદ્ર મીણાએ જવાબ આપ્યો કે, કાર્યાલયમાં પૂછવામાં આવેલા સવાલો સાથે સંબંધિત કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. એવી જાણકારી સમકાલીન સાહિત્યમાં જોવા મળે છે. તો RTI કરનારા ડૉક્ટર ભટ્ટાચાર્યનું કહેવું છે કે, આગ્રાનો કિલ્લો વિશ્વના ઐતિહાસિક સ્થળોમાં સામેલ છે. તેની જાણકારી ASI પાસે હોવી જોઈએ અને જો એમ નથી તો એ સમસ્યા ગંભીર છે. એ મારી સમજથી બહાર છે કે કિલ્લા બાબતે ઐતિહાસિક તથ્યોને બતાવવામાં ASIને સમસ્યા શું છે?

આગ્રા ટુરિસ્ટ વેલફેર ચેમ્બરના સચિવ વિશાલ શર્માએ કહ્યું કે, સવાલનો જવાબ આપવામાં ASIની નિષ્ફળતા અજીબ છે કેમ કે પુરાતત્વવિદ વિશેષ રૂપે ઇતિહાસની તપાસ કરે છે અને સ્મરકોના ઇતિહાસ બાબતે પૂરી જાણકારી રાખે છે. જેનો ઉપયોગ તેઓ સ્મારકો બનાવી રાખવા માટે કરે છે. આગ્રાના કિલ્લાનો ઇતિહાસ પહેલાથી જ કિલ્લાના પ્રવેશદ્વારના એક પથ્થરના પાટિયા પર છે, છતા ASI કિલ્લા બાબતે સરળ સવાલોનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.