ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સમાંથી CM નીતિશ કુમાર, નડ્ડા કેમ બોલ્યા વિના 26 સેકેન્ડમાં નીકળી ગયા?

બિહાર પટનામાં NDAનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડીને CM નીતિશ કુમાર, JP નડ્ડા, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા અને અન્ય ટોચના નેતાઓ શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધ્યા વિના મંચ છોડીને નીકળી ગયા હતા.

NDA-Bihar-Manifesto.jpg-2

શુક્રવારે સવારે પટનામાં હોટલ મૌર્ય ખાતે બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAના સંયુક્ત ઘોષણાપત્રને જાહેર કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. CM નીતિશ કુમાર, BJP પ્રમુખ JP નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહા સહિત NDAના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. સવારે બરાબર 10 વાગ્યે શરૂ થયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં NDAનો ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યો અને થોડીવારમાં જ NDAના તમામ નેતાઓ મંચ છોડીને નીકળી ગયા હતા. આમાંથી કોઈ પણ નેતાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી નહીં. ત્યાર પછી, DyCM સમ્રાટ ચૌધરીએ NDAના ચૂંટણી વચનો જનતા સમક્ષ રજૂ કર્યા.

NDA-Bihar-Manifesto.jpg-3

NDAની આ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ પણ અગ્રણી નેતા હાજર ન હોવાને કારણે રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું હતું. વિપક્ષે આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. બિહાર ચૂંટણી માટે કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે શુક્રવારે પટનામાં જણાવ્યું હતું કે, NDAનો ઢંઢેરો માત્ર 26 સેકન્ડમાં જ બહાર પાડવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, NDAના નેતાઓ, મીડિયાના પ્રશ્નોથી ડરીને, ઉભા થઈને ભાગી ગયા. આ લોકશાહી માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

NDA-Bihar-Manifesto.jpg-4

જોકે, પ્રેસ કોન્ફરન્સ છોડીને નીકળી ગયા પછી, રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના વડા ઉપેન્દ્ર કુશવાહાએ મીડિયાને જણાવ્યું હતું કે, બધાએ સાથે મળીને NDAનો ઢંઢેરો બહાર પાડ્યો છે. ચૂંટણી પ્રતિબદ્ધતાઓને કારણે, બધા નેતાઓને અલગ અલગ સ્થળોએ પ્રચાર કરવા જવાનું હતું. જો પ્રેસ કોન્ફરન્સમાં એક કલાકનો સમય થઇ ગયો હોતે તો ચૂંટણી પ્રચારમાં અવરોધ ઊભો થાય તેમ હતો.

બેઠક પછી, DyCM સમ્રાટ ચૌધરીએ પણ કહ્યું, 'CM નીતિશ કુમારે આવીને NDAનો ઢંઢેરો બહાર પાડ્યો. હું તેમનો સાથી છું. મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને કહ્યું કે, CM નીતિશ કુમારના વિઝનને જ અમે આગળ ધપાવી રહ્યા છીએ.'

અત્રે ઉલ્લેખનીય છે કે, NDAની સામાન્ય સભા લગભગ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ ગુરુવારે સાંજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં NDA પ્રેસ કોન્ફરન્સ સવારે 9:30 વાગ્યે જાહેર કરી હતી. જોકે, પ્રેસ કોન્ફરન્સ સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું કે NDAના કોઈ પણ મોટા નેતા આ કોન્ફરન્સને સંબોધિત કરશે નહીં, અને ફક્ત DyCM સમ્રાટ ચૌધરી જ મીડિયા સમક્ષ સંકલ્પ પત્રની વાત રજૂ કરશે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.