કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતને લઈને વિરોધ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સોમવારે હુગલી જિલ્લાના ફુરફુરા શરીફ પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સદ્વભાવ, શાંતિ અને એકતાનો સંદેશો આપ્યો હતો, પરંતુ તેમની આ મુલાકાતની ભાજપે તીખી નિંદા કરી છે અને તેને મુસ્લિમ તુષ્ટિકરણ ગણાવ્યું છે. બીજી તરફ, મમતાએ વિપક્ષના વલણની આકરી ટીકા કરતા કહ્યું છે કે તેમની દરગાહની મુલાકાત અને તેમના ઈરાદાઓ પર સવાલ ઉઠાવનાર વિપક્ષી બેચેન થઈ ગયા છે.

Mamata-Banerjee1
zeebiz.com

ફરફુરા શરીફ શું છે?

બેનર્જીએ લગભગ એક દાયકા બાદ હુગલી જિલ્લાના એક ગામમાં ફુરફુરા શરીફની મુલાકાત લીધી હતી. ફુરફુરા શરીફ બંગાળી મુસ્લિમોના એક વર્ગના મુખ્ય 'પીર' (ધાર્મિક નેતા) મોહમ્મદ અબુ બકર સિદ્દીકીની પવિત્ર દરગાહ છે. આ દરગાહમાં ઈબાદત કર્યા બાદ મમતાએ મુસ્લિમોની ઈફ્તારમાં ભાગ લીધો હતો, પરંતુ તે પહેલા તેમણે સ્થાનિક ધાર્મિક નેતાઓ સાથે એક બેઠક પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મીડિયાના એક વર્ગમાં એવા રિપોર્ટ જોઈને હું નિરાશ થયો છું જે મારા અહીં આવવાના ઈરાદાઓ પર સવાલ ઉઠાવે છે. આ જગ્યાની આ મારી પહેલી મુલાકાત નથી; હું અહીં અગાઉ પણ લગભગ 15-16 વખત આવી ચૂકી છું. 

તેમણે કહ્યું કે, જ્યારે હું કાશી વિશ્વનાથ મંદિર કે પુષ્કર જાઉં ત્યારે તમે આ સવાલ કેમ નથી પૂછતા? જ્યારે હું દુર્ગા પૂજા અને કાલી પૂજા કરું છું કે ક્રિસમસ સમારોહમાં ભાગ લઉં છું ત્યારે તમે કેમ ચૂપ રહો છો? જ્યારે મેં હોળી દરમિયાન બધાને શુભકામનાઓ પાઠવી, ત્યારે આવા સવાલ કેમ પૂછવામાં ન આવ્યા? બંગાળની ભૂમિ સદ્ભાવની ભૂમિ છે અને આ મંચ પરથી અમારો સંદેશ રાજ્યના તમામ સમુદાયો વચ્ચે સદ્ભાવ, શાંતિ અને એકતાનો છે.

Mamata-Banerjee
aajtak.in

 

આગલા દિવસે, વિવિધ વિપક્ષી નેતાઓએ બેનર્જીની ફુરફુરા શરીફની મુલાકાત પર ઝાટકણી કાઢતા દાવો કર્યો હતો કે તેમના વાસ્તવિક ઇરાદા રાજનીતિક હતા અને તેનો ઉદ્દેશ્ય આગામી વર્ષે થનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાય પાસે ચૂંટણી સમર્થન મેળવવાનો હતો. ભાજપે તેને મુસ્લિમ તુષ્ટિકરણ કરાર આપ્યો છે. વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના નિવેદન પર TMCના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, આ પૂરી રીતે ખોટો આરોપ છે. તેઓ એક નિમંત્રણ પર ત્યાં ગયા હતા અને અગાઉ પણ ફુરફુરા શરીફની મુલાકાત લઈ ચૂક્યા છે. વિપક્ષી નેતાને ડર સતાવી રહ્યો છે કે ભાજપના કેટલાક વધુ નેતાઓ ભાજપ છોડીને TMCમાં આવી રહ્યા છે. એટલે આવી વાતો કરી રહ્યા છે, જોકે અમને આ ડર સારો લાગે છે.

About The Author

Related Posts

Top News

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર
Copyright (c) Khabarchhe All Rights Reserved.