કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતને લઈને વિરોધ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સોમવારે હુગલી જિલ્લાના ફુરફુરા શરીફ પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સદ્વભાવ, શાંતિ અને એકતાનો સંદેશો આપ્યો હતો, પરંતુ તેમની આ મુલાકાતની ભાજપે તીખી નિંદા કરી છે અને તેને મુસ્લિમ તુષ્ટિકરણ ગણાવ્યું છે. બીજી તરફ, મમતાએ વિપક્ષના વલણની આકરી ટીકા કરતા કહ્યું છે કે તેમની દરગાહની મુલાકાત અને તેમના ઈરાદાઓ પર સવાલ ઉઠાવનાર વિપક્ષી બેચેન થઈ ગયા છે.

Mamata-Banerjee1
zeebiz.com

ફરફુરા શરીફ શું છે?

બેનર્જીએ લગભગ એક દાયકા બાદ હુગલી જિલ્લાના એક ગામમાં ફુરફુરા શરીફની મુલાકાત લીધી હતી. ફુરફુરા શરીફ બંગાળી મુસ્લિમોના એક વર્ગના મુખ્ય 'પીર' (ધાર્મિક નેતા) મોહમ્મદ અબુ બકર સિદ્દીકીની પવિત્ર દરગાહ છે. આ દરગાહમાં ઈબાદત કર્યા બાદ મમતાએ મુસ્લિમોની ઈફ્તારમાં ભાગ લીધો હતો, પરંતુ તે પહેલા તેમણે સ્થાનિક ધાર્મિક નેતાઓ સાથે એક બેઠક પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મીડિયાના એક વર્ગમાં એવા રિપોર્ટ જોઈને હું નિરાશ થયો છું જે મારા અહીં આવવાના ઈરાદાઓ પર સવાલ ઉઠાવે છે. આ જગ્યાની આ મારી પહેલી મુલાકાત નથી; હું અહીં અગાઉ પણ લગભગ 15-16 વખત આવી ચૂકી છું. 

તેમણે કહ્યું કે, જ્યારે હું કાશી વિશ્વનાથ મંદિર કે પુષ્કર જાઉં ત્યારે તમે આ સવાલ કેમ નથી પૂછતા? જ્યારે હું દુર્ગા પૂજા અને કાલી પૂજા કરું છું કે ક્રિસમસ સમારોહમાં ભાગ લઉં છું ત્યારે તમે કેમ ચૂપ રહો છો? જ્યારે મેં હોળી દરમિયાન બધાને શુભકામનાઓ પાઠવી, ત્યારે આવા સવાલ કેમ પૂછવામાં ન આવ્યા? બંગાળની ભૂમિ સદ્ભાવની ભૂમિ છે અને આ મંચ પરથી અમારો સંદેશ રાજ્યના તમામ સમુદાયો વચ્ચે સદ્ભાવ, શાંતિ અને એકતાનો છે.

Mamata-Banerjee
aajtak.in

 

આગલા દિવસે, વિવિધ વિપક્ષી નેતાઓએ બેનર્જીની ફુરફુરા શરીફની મુલાકાત પર ઝાટકણી કાઢતા દાવો કર્યો હતો કે તેમના વાસ્તવિક ઇરાદા રાજનીતિક હતા અને તેનો ઉદ્દેશ્ય આગામી વર્ષે થનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાય પાસે ચૂંટણી સમર્થન મેળવવાનો હતો. ભાજપે તેને મુસ્લિમ તુષ્ટિકરણ કરાર આપ્યો છે. વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના નિવેદન પર TMCના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, આ પૂરી રીતે ખોટો આરોપ છે. તેઓ એક નિમંત્રણ પર ત્યાં ગયા હતા અને અગાઉ પણ ફુરફુરા શરીફની મુલાકાત લઈ ચૂક્યા છે. વિપક્ષી નેતાને ડર સતાવી રહ્યો છે કે ભાજપના કેટલાક વધુ નેતાઓ ભાજપ છોડીને TMCમાં આવી રહ્યા છે. એટલે આવી વાતો કરી રહ્યા છે, જોકે અમને આ ડર સારો લાગે છે.

Related Posts

Top News

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.