- National
- ક્રુડ ઓઇલના ભાવ 7 ટકા વધ્યા છતા ભારતમાં પેટ્રોલના ભાવ કોઇ અસર કેમ નથી?
ક્રુડ ઓઇલના ભાવ 7 ટકા વધ્યા છતા ભારતમાં પેટ્રોલના ભાવ કોઇ અસર કેમ નથી?
મિડલ ઇસ્ટ તણાવ અને ઇરાન સંઘર્ષને કારણે આંતરારાષ્ટ્રીય લેવલે ક્રુડ ઓઇલના ભાવમાં 7 ટકાનો ઉછાળો આવી ગયો અને 15 મહિનાની ટોચે પર ભાવ પહોંચી ગયો. જો કે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ પ્રાઇસ પર કોઇ અસર પડી નથી અને નજીકના ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની કોઇ સંભાવના પણ દેખાતી નથી.
ભારતની ઓઇલ ઉત્પાદક કંપનીઓએ પોલીસી બનાવી છે કે જ્યારે ક્રુડ ઓઇલના ભાવો ડાઉન થાય ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવો નહીં અને નફો કમાઇ લેવો એ જ રીતે જ્યારે ક્રુડ ઓઇલના ભાવો ઉપર જાય ત્યારે નુકશાની કરીને પણ પેટ્રોલ-ડીઝલના ભાવ જાળવી રાખવા. ભારતમાં એપ્રિલ 2022થી ઇંધણના ભાવોમાં કોઇ ફેરફાર કરાયો નથી. કદાચ લાંબા દિવસો સુધી સંઘર્ષ ચાલે અને ક્રુડ ઓઇલના ભાવો અસાન્ય વધી જાય તો તેના માટે પણ સરકારે વ્યવસ્થા કરી રાખી છે. આગામી દિવસોમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી ચે એટલે સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તે પોષાય તેમ નથી.

