મોદી સરકાર લાવી રહી છે એવું બિલ કે 30 દિવસ જેલમાં રહેનારા CM-મંત્રી-PMને પણ પદથી હટવું પડશે

કેન્દ્ર સરકાર લોકસભામાં બુધવારે એક બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો હેતુ વડાપ્રધાન, રાજ્યોના મુખ્યમંત્રીઓ, જમ્મુ-કાશ્મીર સહિત કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓને ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરવામાં આવે અથવા કસ્ટડીમાં લેવા આવે તો તેમને પદ પરથી દૂર કરવા માટે કાયદો બનાવવાનો છે. આ બિલની વાત સામે આવતા જ વિપક્ષે વિવાદ કરવાનો શરૂ કરી દીધો છે. એવો આરોપ છે કે તેનાથી કેન્દ્ર સરકારની મનમાની વધુ વધી શકે છે. વિપક્ષના આ દાવાઓની તપાસ એક્સપર્ટ્સ સાથે કરીએ.

પ્રસ્તાવિત જોગવાઈઓ હેઠળ જો કોઈ મંત્રી કોઈ ગંભીર ગુના (5 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનો) ના આરોપમાં સતત 30 દિવસ જેલમાં રહે છે, તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર તેમને પદ પરથી હટાવી દેશે. જે 3 બિલ લોકસભામાં રજૂ થવાના છે તે બંધારણ 130મો સુધારો બિલ 2025, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ, 2025 છે.

modi1
ddnews.gov.in

સુપ્રીમ કોર્ટના વકીલ અનિલ કુમાર સિંહ શ્રીનેત કહે છે કે આ બિલમાં સૌથી મોટી મુશ્કેલી વડાપ્રધાનની સલાહ છે. તેના પર કોણ વિચાર કરશે કે વડાપ્રધાનની સલાહ સાચી છે કે નહીં. વડાપ્રધાનનીની સલાહને ટોચ પર રાખવામાં આવી છે. એટલે કે રાષ્ટ્રપતિથી પણ ઉપર. વડાપ્રધાન જેને જ્યારે ઇચ્છે ત્યારે કોઈપણને હટાવી શકે છે. એટલે કે કેન્દ્ર સરકારની મનમાની વધશે.

એડવોકેટ અનિલ સિંહના મતે, ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડ્રિંગના કેસોમાં 5 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય છે. એવામાં દરેક કેસ તેના હેઠળ આવી જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત દેશના ઘણા રાજ્યોના મંત્રીઓ ભ્રષ્ટાચારના કેટલાક કેસોમાં જેલમાં રહ્યા છે. આ બધા કેસોમાં 5 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. એવામાં, કોઈ પર પણ કાર્યવાહી થઈ શકે છે.

અનિલ સિંહ કહે છે કે, કેન્દ્ર સરકારના હાથમાં CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને NIA જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ છે. બદલાની કાર્યવાહીમાં કોઈપણ વિપક્ષી પાર્ટીના મુખ્યમંત્રી અથવા તેના મંત્રી પર આરોપ લગાવીને તપાસના નામે તેમને કસ્ટડીમાં રાખી શકે છે. એવામાં તપાસ દરમિયાન તેમને 30 દિવસ સુધી જેલમાં રાખવા એ કોઈ નવી વાત નથી. આ પણ એક મોટી મૂંઝવણ છે.

modi2
ddnews.gov.in

જો વડાપ્રધાન સલાહ નહીં આપે તો મંત્રી 31મા દિવસ બાદ આપમેળે હટી જશે. જો આવા આરોપોમાં વડાપ્રધાન પોતે 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો તેમણે 31મા દિવસ સુધીમાં રાજીનામું આપવું પડશે, નહિતર તેમનું પદ આપમેળે સમાપ્ત થઈ જશે. એજ પ્રકારે  જો રાજ્યમંત્રી 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો રાજ્યપાલ તેમને મુખ્યમંત્રીની સલાહ પર પદ પરથી હટાવી દેશે. જો સલાહ નહીં આપવામાં આવે, તો મંત્રીનું પદ 31મા દિવસે આપમેળે સમાપ્ત થઈ જશે. જો મુખ્યમંત્રી પોતે 30 દિવસ સુધી જેલમાં રહે છે, તો તેમણે 31મા દિવસ સુધીમાં રાજીનામું આપવું પડશે, નહિતર તેમનું પદ આપમેળે સમાપ્ત થઈ જશે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.