સેલ્ફીના ચક્કરમાં યુવાનોએ ગંગામાં Thar ઉતારી દીધી, પોલીસે પાઠ ભણાવ્યો

હરિદ્વારમાં ગંગાનદીમાં મહિન્દ્રાની થાર કારને ધોવાનું અને હંગામો મચાવવાનું દિલ્હીના 6 યુવકોને ભારે પડી ગયું હતું. સેલ્ફીના ચકકરમાં નદીમાં કાર ઉતારી હોવાની  માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને પાઠ ભણાવ્યો હતો.પોલીસે કાર જપ્ત કરી ઓપરેશન મર્યાદા હેઠળ છ ટુરિસ્ટને દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત પોલીસ એક્ટ હેઠળ દારૂના નશામાં ગુંડાગીરી કરનારા અન્ય ચાર લોકોને પણ ચલણ જારી કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીથી થાર (જીપ) કારમાં મુસાફરી કરી રહેલા છ યુવકો રવિવારે હરિદ્વાર પહોંચ્યા હતા. સાંજે હોબાળો કરતી વખતે, ચોકી રોડીએ બેલવાલા ચોકી વિસ્તારમાં ચાંડી ચોક પાસે નીલધારામાં કાર ઉતારી દીધી હતી.

પોલીસે કહ્યું કે, ગંગા નદીની વચ્ચોવચ કાર ઉતારીને આ યુવાનો સેલ્ફી લઇ રહ્યા હતા અને સાથે શોરબકોર કરી રહ્યા હતા. સાથે કારની ધોલાઇ પણ કરવા માંડી હતી. આ બાબતની સુચના મળતા પોલીસની ટીમ પહોંચી ગઇ હતી અને યુવકોને ઠપકો આપીને કાર જપ્ત કરી લેવામાં આવી હતી.

સિટી કોતવાલી પ્રભારી ભાવના કૈંથોલાએ જણાવ્યું કે ધર્મનગરીની ગરિમાનું ઉલ્લંઘન કરવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. ગુંડાગીરી કરનાર કુલ 10 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ પોલીસનું ધાર્મિક અને અન્ય પર્યટક સ્થળો પર ‘ઓપરેશન મર્યાદા’ ચાલે છે. એ જ કડીમાં પોલીસે દિલ્હીના યુવકો સામે કાર્યવાહી કરી છે.

હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું કે મા ગંગાની ગરિમા જાળવવી એ દરેકની જવાબદારી છે. પવિત્ર નદીની ગરિમા સાથે રમત કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસનું ઓપરેશન મર્યાદા આવી જ રીતે ચાલુ રહેશે. તેમણે હરિદ્વાર અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તમામ પવિત્ર સ્થળોની ગરિમા જાળવવા અપીલ કરતા કહ્યું હતું કે, એવું કોઈ કામ ન કરો, જે નિયમોની વિરુદ્ધ હોય.

ઓપરેશન મર્યાદા હેઠળ, જુલાઈ 2021 થી, 10 પોલીસકર્મીઓ ગંગા ઘાટ પર તૈનાત રાખવામાં આવે છે. જો કોઈ ધાર્મિક સ્થળ પર હંગામો મચાવતો જોવા મળે તો પોલીસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરે છે.

ઓગસ્ટ 2022માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં કેટલાક યુવકો ગંગા નદીમાં હોડી પર બેઠેલા જોવા મળ્યા હતા. આ યુવકો બોટ પર બેસીને હુક્કા પી રહ્યા હતા અને નોન-વેજ રાંધતા હતા. આ લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.