સેલ્ફીના ચક્કરમાં યુવાનોએ ગંગામાં Thar ઉતારી દીધી, પોલીસે પાઠ ભણાવ્યો

હરિદ્વારમાં ગંગાનદીમાં મહિન્દ્રાની થાર કારને ધોવાનું અને હંગામો મચાવવાનું દિલ્હીના 6 યુવકોને ભારે પડી ગયું હતું. સેલ્ફીના ચકકરમાં નદીમાં કાર ઉતારી હોવાની  માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને પાઠ ભણાવ્યો હતો.પોલીસે કાર જપ્ત કરી ઓપરેશન મર્યાદા હેઠળ છ ટુરિસ્ટને દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત પોલીસ એક્ટ હેઠળ દારૂના નશામાં ગુંડાગીરી કરનારા અન્ય ચાર લોકોને પણ ચલણ જારી કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીથી થાર (જીપ) કારમાં મુસાફરી કરી રહેલા છ યુવકો રવિવારે હરિદ્વાર પહોંચ્યા હતા. સાંજે હોબાળો કરતી વખતે, ચોકી રોડીએ બેલવાલા ચોકી વિસ્તારમાં ચાંડી ચોક પાસે નીલધારામાં કાર ઉતારી દીધી હતી.

પોલીસે કહ્યું કે, ગંગા નદીની વચ્ચોવચ કાર ઉતારીને આ યુવાનો સેલ્ફી લઇ રહ્યા હતા અને સાથે શોરબકોર કરી રહ્યા હતા. સાથે કારની ધોલાઇ પણ કરવા માંડી હતી. આ બાબતની સુચના મળતા પોલીસની ટીમ પહોંચી ગઇ હતી અને યુવકોને ઠપકો આપીને કાર જપ્ત કરી લેવામાં આવી હતી.

સિટી કોતવાલી પ્રભારી ભાવના કૈંથોલાએ જણાવ્યું કે ધર્મનગરીની ગરિમાનું ઉલ્લંઘન કરવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. ગુંડાગીરી કરનાર કુલ 10 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ પોલીસનું ધાર્મિક અને અન્ય પર્યટક સ્થળો પર ‘ઓપરેશન મર્યાદા’ ચાલે છે. એ જ કડીમાં પોલીસે દિલ્હીના યુવકો સામે કાર્યવાહી કરી છે.

હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું કે મા ગંગાની ગરિમા જાળવવી એ દરેકની જવાબદારી છે. પવિત્ર નદીની ગરિમા સાથે રમત કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસનું ઓપરેશન મર્યાદા આવી જ રીતે ચાલુ રહેશે. તેમણે હરિદ્વાર અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તમામ પવિત્ર સ્થળોની ગરિમા જાળવવા અપીલ કરતા કહ્યું હતું કે, એવું કોઈ કામ ન કરો, જે નિયમોની વિરુદ્ધ હોય.

ઓપરેશન મર્યાદા હેઠળ, જુલાઈ 2021 થી, 10 પોલીસકર્મીઓ ગંગા ઘાટ પર તૈનાત રાખવામાં આવે છે. જો કોઈ ધાર્મિક સ્થળ પર હંગામો મચાવતો જોવા મળે તો પોલીસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરે છે.

ઓગસ્ટ 2022માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં કેટલાક યુવકો ગંગા નદીમાં હોડી પર બેઠેલા જોવા મળ્યા હતા. આ યુવકો બોટ પર બેસીને હુક્કા પી રહ્યા હતા અને નોન-વેજ રાંધતા હતા. આ લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

Related Posts

Top News

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.