‘હા, હું શંકરાચાર્ય છું...’, અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળા ઓથોરિટીને અંગ્રેજીમાં પત્ર લખીને આપ્યો જવાબ

પ્રયાગરાજ માઘ મેળા ઓથોરિટીએ મંગળવારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે જ્યારે કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પહેલેથી પેન્ડિંગ છે ત્યારે તેઓ પોતાને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે કેવી રીતે રજૂ કરી રહ્યા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે હવે મેળા ઓથોરિટીની નોટિસનો જવાબ આપ્યો છે. આ જવાબ 8 પાનાંનો છે.

Shankaracharya1
x.com/Benarasiyaa

અવિમુક્તેશ્વરાનંદ તરફથી જવાબ મેળા ઓથોરિટીના ઇમેઇલ એડ્રેસ અને સેક્ટર-4માં મેળા ઓથોરિટીની ઓફિસ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે અવિમુક્તેશ્વરાનંદની ટીમ નોટિસ પહોંચાડવા માટે ઓફિસ ગઈ, ત્યારે કોઈ જવાબદાર અધિકારી નોટિસનો જવાબ લેવા ન મળ્યા. ત્યારબાદ, તેમના અનુયાયીઓએ ગેટ પર જવાબ ચોંટાડી દીધો.

પ્રયાગરાજ માઘ મેળા ઓથોરિટીને જવાબ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અંજની કુમાર મિશ્રા તરફથી મોકલવામાં આવ્યો હતો. જેમાં મેળા ઓથોરિટી દ્વારા મોકલવામાં આવેલી નોટિસને અપમાનજનક અને લાખો હિન્દુઓની આસ્થા સાથે ચેડા કરનારી ગણાવવામાં આવી છે.

Shankaracharya2
x.com/Benarasiyaa

તો આ અગાઉ, સુપ્રીમ કોર્ટના વકીલ પી.એન. મિશ્રાએ, અવિમુક્તેશ્વરાનંદ તરફથી જવાબ આપતા જણાવ્યું હતું કે જે સિવિલ અપીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં 14 ઓક્ટોબર, 2022નો આદેશ આપવામાં આવ્યો હતો, વહીવટીતંત્ર તેનો સંદર્ભ આપી રહ્યું છે. તે પહેલાં 21 સપ્ટેમ્બર 2022ના રોજ એક આદેશ હતો, જેમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય ગણાવવામાં આવ્યા હતા.

Shankaracharya3
x.com/Benarasiyaa

સ્વામીનો પટ્ટાભિષેક 12 ઓક્ટોબર 2022ના રોજ થઈ ચૂક્યો હતો. વહીવટીતંત્ર સુપ્રીમ કોર્ટના જે આદેશનો સંદર્ભ આપવામાં આવ્યો છે, તે 17 ઓક્ટોબરનો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો પટ્ટાભિષેક પહેલાથી જ થઈ ચૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જ ઘણી જગ્યાએ શંકરાચાર્ય લખ્યું છે. વહીવટીના અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર છે, કારણ કે સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબર બાદ કોઈપણ પટ્ટાભિષેક પર પ્રતિબંધ મૂક્યો છે.

Shankaracharya4
x.com/Benarasiyaa

પી.એન. મિશ્રાએ કહ્યું હતું કે, વાસુદેવાનંદે ખોટું સોગંદનામું રજૂ કરીને આદેશ મેળવ્યો હતો. તેમની સામે અરજી દાખલ કરવામાં આવી છે. અમે સ્વામી અવમુક્તેશ્વરાનંદ તરફથી આ નોટિસનો જવાબ રજૂ કર્યો છે. નોટિસ જાહેર કરીને ભ્રમ ઊભો કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

જાન્યુઆરી 2026માં, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)નો કેમ્પ પ્રજાસત્તાક દિવસથી રાજધાની દિલ્હીમાં શરૂ થયો. આ કેમ્પ દર...
National 
રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.