‘હા, હું શંકરાચાર્ય છું...’, અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળા ઓથોરિટીને અંગ્રેજીમાં પત્ર લખીને આપ્યો જવાબ

પ્રયાગરાજ માઘ મેળા ઓથોરિટીએ મંગળવારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે જ્યારે કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પહેલેથી પેન્ડિંગ છે ત્યારે તેઓ પોતાને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે કેવી રીતે રજૂ કરી રહ્યા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે હવે મેળા ઓથોરિટીની નોટિસનો જવાબ આપ્યો છે. આ જવાબ 8 પાનાંનો છે.

Shankaracharya1
x.com/Benarasiyaa

અવિમુક્તેશ્વરાનંદ તરફથી જવાબ મેળા ઓથોરિટીના ઇમેઇલ એડ્રેસ અને સેક્ટર-4માં મેળા ઓથોરિટીની ઓફિસ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે અવિમુક્તેશ્વરાનંદની ટીમ નોટિસ પહોંચાડવા માટે ઓફિસ ગઈ, ત્યારે કોઈ જવાબદાર અધિકારી નોટિસનો જવાબ લેવા ન મળ્યા. ત્યારબાદ, તેમના અનુયાયીઓએ ગેટ પર જવાબ ચોંટાડી દીધો.

પ્રયાગરાજ માઘ મેળા ઓથોરિટીને જવાબ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અંજની કુમાર મિશ્રા તરફથી મોકલવામાં આવ્યો હતો. જેમાં મેળા ઓથોરિટી દ્વારા મોકલવામાં આવેલી નોટિસને અપમાનજનક અને લાખો હિન્દુઓની આસ્થા સાથે ચેડા કરનારી ગણાવવામાં આવી છે.

Shankaracharya2
x.com/Benarasiyaa

તો આ અગાઉ, સુપ્રીમ કોર્ટના વકીલ પી.એન. મિશ્રાએ, અવિમુક્તેશ્વરાનંદ તરફથી જવાબ આપતા જણાવ્યું હતું કે જે સિવિલ અપીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં 14 ઓક્ટોબર, 2022નો આદેશ આપવામાં આવ્યો હતો, વહીવટીતંત્ર તેનો સંદર્ભ આપી રહ્યું છે. તે પહેલાં 21 સપ્ટેમ્બર 2022ના રોજ એક આદેશ હતો, જેમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય ગણાવવામાં આવ્યા હતા.

Shankaracharya3
x.com/Benarasiyaa

સ્વામીનો પટ્ટાભિષેક 12 ઓક્ટોબર 2022ના રોજ થઈ ચૂક્યો હતો. વહીવટીતંત્ર સુપ્રીમ કોર્ટના જે આદેશનો સંદર્ભ આપવામાં આવ્યો છે, તે 17 ઓક્ટોબરનો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો પટ્ટાભિષેક પહેલાથી જ થઈ ચૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જ ઘણી જગ્યાએ શંકરાચાર્ય લખ્યું છે. વહીવટીના અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર છે, કારણ કે સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબર બાદ કોઈપણ પટ્ટાભિષેક પર પ્રતિબંધ મૂક્યો છે.

Shankaracharya4
x.com/Benarasiyaa

પી.એન. મિશ્રાએ કહ્યું હતું કે, વાસુદેવાનંદે ખોટું સોગંદનામું રજૂ કરીને આદેશ મેળવ્યો હતો. તેમની સામે અરજી દાખલ કરવામાં આવી છે. અમે સ્વામી અવમુક્તેશ્વરાનંદ તરફથી આ નોટિસનો જવાબ રજૂ કર્યો છે. નોટિસ જાહેર કરીને ભ્રમ ઊભો કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.