હા..ના.., હા.. ના.., કહેતા કહેતા આખરે કોંગ્રેસે પપ્પુ યાદવને પોતાની સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરી દીધા!

રાજીવ રંજન, જેને પપ્પુ યાદવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ પૂર્ણિયા લોકસભા બેઠક પરથી અપક્ષ સાંસદ બન્યા પછી તરત જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. RJD સાથેનું જોડાણ જાળવી રાખવા માટે, કોંગ્રેસ પપ્પુ યાદવને સંપૂર્ણપણે સ્વીકારી શકતી ન હતી. પરિણામે, પપ્પુ યાદવનો કોંગ્રેસ પાર્ટી સાથેનો સંબંધ ક્યારેક પ્રેમનો તો ક્યારેક સંઘર્ષનો રહ્યો. જોકે, હવે કોંગ્રેસે આખરે પપ્પુ યાદવને તેની રાજકીય ટ્રેનમાં સંપૂર્ણ રીતે બેસાડી દીધા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે, કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 40 નેતાઓના નામ શામેલ છે. પપ્પુ યાદવની સાથે, તેમની સાંસદ પત્ની, રંજીતા રંજનનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. જોકે, રંજીતા રંજન પહેલાથી જ કોંગ્રેસ પાર્ટીમાં છે, જ્યારે પપ્પુ યાદવને પહેલીવાર ઔપચારિક પ્રવેશ મળ્યો છે.

Pappu-Yadav-Congress-Party-2

પપ્પુ યાદવ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ દિલ્હી ગયા અને તેમની જન અધિકાર પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. કોંગ્રેસ મુખ્યાલયમાં તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું, પરંતુ બિહારમાં પાર્ટીએ પપ્પુ યાદવને સભ્ય તરીકે સ્વીકાર્યા નહીં. એવું કહેવામાં આવ્યું કે, તેઓ ચા-નાસ્તો કરવા માટે ત્યાં ગયા હતા. લોકસભા ચૂંટણી પહેલા સત્ય બહાર આવ્યું. પૂર્ણિયા બેઠક RJD પાસે ગયા પછી આખો માહોલ બદલાઈ ગયો.

RJD ઉમેદવાર બીમા ભારતી સામે અપક્ષ તરીકે ચૂંટણી લડવાને કારણે કોંગ્રેસે પપ્પુ યાદવથી દૂર રહેવું પડ્યું. આ પછી, પપ્પુ યાદવ પૂર્ણિયાથી સાંસદ બનવામાં સફળ થયા. લોકસભા ચૂંટણી જીત્યા પછી પપ્પુ યાદવે કોંગ્રેસ સાથે પોતાના સંબંધો મજબૂત કર્યા હોવા છતાં, કોંગ્રેસ તેમને સત્તાવાર રીતે સ્વીકારવામાં ખચકાટ અનુભવતી હતી. પપ્પુ પોતાને કોંગ્રેસી ગણાવીને કંટાળી ગયા હતા, પરંતુ કોંગ્રેસે તેમને સમગ્ર ચૂંટણી દરમિયાન પોતાના તરીકે સ્વીકાર્યા નહીં.

Pappu-Yadav-Congress-Party-3

કોંગ્રેસના બે મોટા કાર્યક્રમોમાં પપ્પુ યાદવને સ્ટેજ પર જવા દેવામાં આવ્યા ન હતા. એકવાર, તેમને રાહુલની કારમાંથી દૂર કરવામાં આવ્યા હતા, અને બીજી વખત સ્ટેજ પર તેઓ ચઢતા હતા ત્યાંથી તેમને ઉતારી મુકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેજસ્વી યાદવ સાથેની મિત્રતા અને ગઠબંધનની મર્યાદાઓને કારણે, કોંગ્રેસ પપ્પુ યાદવને વધારે આગળ કરી શકતી ન હતી. મહાગઠબંધન પર છવાયેલું વાદળું હટી ગયા પછી, કોંગ્રેસે જાહેરમાં પપ્પુ યાદવને તેના નેતા તરીકે સ્વીકાર્યા.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન અને તેજસ્વી યાદવની ઉમેદવારી આખરે પુષ્ટિ થતાં, કોંગ્રેસે જાહેરમાં પપ્પુ યાદવને સ્વીકાર્યા છે. પપ્પુ યાદવને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરીને, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ હવે તેમના પક્ષના નેતા છે.

પપ્પુ યાદવના રૂપમાં, કોંગ્રેસને બિહારમાં એક અગ્રણી ચહેરો મળી ગયો છે, ખાસ કરીને સીમાંચલ અને કોસી પ્રદેશોમાં તે કોંગ્રેસ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

 

બિહારમાં કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં હતી, પરંતુ લાલુ પ્રસાદ યાદવના રાજકીય ઉદય સાથે, કોંગ્રેસનું નેતૃત્વ ગાયબ થઈ ગયું, અને કોઈ પણ ક્યારેય બહાર આવી શક્યું નહીં. તેથી, પપ્પુ યાદવને તેના સ્ટાર પ્રચારકોમાં સામેલ કરીને, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે તેમને રાજકીય મહત્વ આપવામાં ખચકાટ અનુભવશે નહીં. આ અગાઉ, પપ્પુ યાદવે બિહાર ચૂંટણી અંગે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં ભાગ લીધો હતો.

કોંગ્રેસ જરૂરિયાત મુજબ પોતાના સંબંધોમાં ફેરફાર કરી રહી છે. 'મત અધિકાર યાત્રા'ના સમાપન સમારોહમાં પપ્પુ યાદવને રાહુલ ગાંધીના મંચ પર ચઢતા હતા ત્યાંથી ઉતારી મુક્યાં હતા, પરંતુ હવે તેણે પપ્પુ યાદવને પ્રચાર કરવા અને પાર્ટી ઉમેદવારોને જીતવામાં મદદ કરવા માટે સ્વીકારી લીધા છે.

પપ્પુ યાદવની પોતાની એક અલગ જ લોકપ્રિયતા છે. યાદવો, મુસ્લિમો, દલિતો અને સીમાંચલ અને કોસી પ્રદેશોના અત્યંત પછાત જાતિઓમાં તેમનો મજબૂત પ્રભાવ છે, જેનો કોંગ્રેસે તેમને રાજકીય ક્ષેત્રમાં ઉતારીને લાભ લીધો છે. પપ્પુ યાદવ કોંગ્રેસના નેતાઓની જીત સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરતા જોવા મળશે.

 

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 60 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ગઈ વખતે, કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડી હતી અને ફક્ત 19 બેઠકો જ જીતી હતી, જેના પર RJDએ અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. બિહારમાં કોંગ્રેસ સત્તામાં ન આવવા માટે કોંગ્રેસ પર દોષ મૂકવામાં આવ્યો હતો.

આ વખતે, કોંગ્રેસ બિહારમાં વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે, અને આ માટે, તેણે પપ્પુ યાદવ જેવા નેતા પર વિશ્વાસ મૂક્યો છે. પૂર્ણિયા અને મધેપુરા વિસ્તારોમાં તેમનો મજબૂત સમર્થન આધાર છે. પપ્પુ યાદવ સાથે જોડાવાથી કોંગ્રેસને આ સમગ્ર પ્રદેશમાં નોંધપાત્ર સંખ્યામાં બેઠકો મેળવવામાં મદદ મળી શકે છે. પપ્પુ યાદવે આ મિશન શરૂ કરી દીધું છે, પરંતુ તે કોંગ્રેસ માટે રાજકીય રીતે કેવી રીતે ફાયદાકારક સાબિત થશે તે જોવાનું બાકી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.