હાર્દિક-કોંગ્રેસ પર નીતિન પટેલ ત્રાટક્યા: મૂર્ખાઓની વાત મૂર્ખાઓએ સ્વીકારી

હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યા બાદ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાર્દિક અને કોંગ્રેસને આડે હાથે લીધા હતા. નીતિન પટેલે કહ્યું કે બંધારણમાં ક્યાંય પણ અનામતને 49 ટકા કરતા વધારે અનામત આપવાનું લખાયું નથી. સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચૂકાદા પ્રમાણે હવે વધુ અનામત આપી શકાય નહી.

નીતિન પટેલે કહ્યુંકે કોંગ્રેસનાં નેતા અને સુપ્રિમ કોર્ટનાં વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે હાર્દિકનો પ્રસ્તાવ છે. હવે કોણ સાચો છે એ હાર્દિક જાહેર કરે. હાર્દિકે પાટીદાર સમાજને છેતરવાનું બંધ કરે. હાર્દિક હવામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ સાથે હાર્દિકનું મેળાપીપણું છે. હાર્દિક કોંગ્રેસની સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે. 50 ટકા કરતા વધુ અનામત આપી શકાય એવી કોંગ્રેસ સ્ટોરી વાંચી રહ્યો છે.

તેમણે કહ્યું કે હાર્દિક હજુ નાનો છે. નાસમજ છે. ઈન્દ્રાસહાની કેસમાં 1993માં આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે 50 ટકા કરતા વધારે અનામત આપી શકાય નહી. મૂર્ખાઓએ દરખાસ્ત આપી અને મૂર્ખાઓએ દરખાસ્ત સ્વીકારી. હાર્દિક, તારા જેવા બહુ જોઈ લીધા છે. કોંગ્રેસમાં મૂર્ખાઓ ઓછા નથી. બાકી પાટીદાર સમાજ હોશિયાર જ છે. એની ચિંતા કરવાની જરૂર નથી. હાર્દિક પાસે કશું નથી, જે કંઈ પણ છે હોટેલોમાં છે. તે તો આખો દિવસ ફર્યા જ કરે છે.

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં 50 ટકા વધારે અનામત આપી શકાય નહી. હાર્દિક હજુ ઘણો નાનો છે અને તેણે રાજકારણ સમજવાની જરૂર છે. જો તેણે રાજકારણ શીખવું હોય તો મારી પાસે આવે. પાટીદાર સમાજ અને ગુજરાતને છેતરી રહ્યા છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે ટીકીટોને લઈ બબાલ ચાલી રહી છે. ભાજપ સરકારે 200 કરોડ રૂપિયા હાલ કરવામાં આવી છે અને તે પ્રમાણે બજેટમાં ભાજપે પછાત વર્ગ માટે જોગવાઈ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.