કર્મચારીએ ટોયલેટ પેપર પર લખ્યું એવું રાજીનામું કે થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું

I felt like toilet paper Singapore woman reflects on work culture after receiving employees blunt resignation note

જ્યારે કોઈ કર્મચારીએ નોકરી બદલવી હોય, ત્યારે તેણે પહેલા રાજીનામું આપવાનું હોય છે. ઘણી વખત આ રાજીનામું બોરિંગ અંદાજમાં હોય છે, પરંતુ બદલાતા સમય સાથે, લોકો તેમાં પણ ક્રિએટિવિટી બતાવવામાં  પણ પાછળ નથી હટતા. તાજેતરમાં જ એક ઘટના સામે આવી છે, જેમાં એક કર્મચારીનું રાજીનામું સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, જેને ટોયલેટ પેપર પર લખવામાં આવ્યું છે. કદાચ આ જ કારણ છે કે આ રાજીનામું સોશિયલ મીડિયા પર આટલું વાયરલ થઈ રહ્યું છે.

resignation
indianexpress.com

 

સિંગાપોર સ્થિત એક બિઝનેસ વુમન એન્જેલા યોહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક એવો અનુભવ શેર કર્યો છે, જેણે લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના એક કર્મચારીએ પોતાની નારાજગી અને નિરાશા વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું, પરંતુ અંદાજ એટલો અનોખો હતો કે બધા હેરાન રહી ગયા. એન્જેલાના જણાવ્યા મુજબ, કર્મચારીએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે, 'હું પોતાને ટોઇલેટ પેપર જેવો અનુભવી રહ્યો છું. જરૂરિયાત પડી તો ઉપયોગ કરી લેવામાં આવ્યો અને પછી કોઈ વિચાર કર્યા વિના ફેંકી દેવામાં આવ્યો.

આ તીખા સંદેશથી એન્જેલાને હચમચાવી દીધી. તેણે પોસ્ટમાં લખ્યું કે, 'આ શબ્દો મારા દિલમાં વસી ગયા. તે માત્ર એક રાજીનામું નહોતું, પરંતુ અમારી કંપનીની સંસ્કૃતિ માટે અરીસો હતો. તેણે આગળ લખ્યું કે, 'કર્મચારીઓની એટલી બધી કદર થવી જોઈએ કે જ્યારે તેઓ કંપની છોડે તો કૃતજ્ઞતા લઈને જાય, નારાજગી નહીં.' ચોંકાવનારી વાત ત્યારે સામે આવી, જ્યારે એન્જેલાએ તે રાજીનામાની તસવીર શેર કરી. એક ટોઇલેટ પેપર પર હાથથી લખેલું રાજીનામું... તેમાં લખ્યું હતું- 'મેં આ પેપર એટલે પસંદ કર્યું, જેથી એ દેખાડી શકું કે કંપનીએ મારી સાથે કેવો વ્યવહાર કર્યો. હું રાજીનામું આપી રહ્યો છું. જોકે, એન્જેલાએ સ્પષ્ટ કરી ન કર્યું કે આ અસલી રાજીનામું હતું કે પ્રતિકાત્મક.

resignation1
ndtv.in

 

લિંક્ડઇન પરની આ પોસ્ટ પર લોકોએ ખૂબ પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું- આ યુનિક છે, હું પણ કંઈક આવું જ કરી ચૂક્યો છું. તો, અન્ય એક યુઝરે કહ્યું કે, જો કંપની તમને નાના અનુભવ કરાવે છે, તો પોતાના પર વિશ્વાસ બનાવી રાખો. પોતાની કદર કરવી સૌથી મહત્ત્વપૂર્ણ છે. એક યુઝરે કહ્યું કે, ઘણી વખત કર્મચારી કંપનીના કારણે નહીં, પરંતુ મિડલ મેનેજરના કારણે નોકરી છોડે છે. આ અનોખું રાજીનામું એક સખત સંદેશ છોડી ગયું. જો કર્મચારીઓને સન્માન ન મળ્યું, તો તેઓ જતા રહીને પણ પાઠ ભણાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.