ACમાંથી અચાનક સાપ નીકળ્યો અને જીવતા ઉંદરને પકડી લઇ ગયો, જુઓ Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ACમાંથી સાપ નિકળી ઉંદરને પકડી લઇ જાય છે. સાપને જોઇ બધાની હાલત ખરાબ થઇ જાય છે. એક વ્યક્તિ તેના રૂમમાં AC ચાલુ કરી સૂઈ રહ્યો હતો. આ દરમિયાન એક સાપ તેમાંથી નીકળે છે અને ઉંદર પર હુમલો કરી દે છે. સાપ ઉંદરને પકડી ફરી એસીમાં ઘૂસી જાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. સાપ સ્પ્લિટ એસીમાં ઉંદરને લઇ જતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

આવા ઘણાં કેસો સામે આવ્યા છે. જેમાં ACમાં સાપ દેખાયો હોય. પણ એસીમાંથી સાપ નીકળીને ઉંદર પકડીને લઇ જાય છે આવો વીડિયો કદાચ જ પહેલા સામે આવ્યો હોય. આ વીડિયો જોઇને લોકો ચિંતિત થઇ રહ્યા છે. તો અમુક લોકો મજા લેતા આ વીડિયોને એસી કંપનીની નવી સ્કીમ જણાવી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે, જો તમે ગરમી અને ઉંદરથી પરેશાન છો તો આ એસીને લઇ તમે ખુશ થઇ શકો છો. વધુ એક યૂઝરે લખ્યું કે, મારા ઘરમાં પણ એસી લાગ્યુ છે. શું તેમાં પણ સાપ ઘૂસી શકે છે. એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું, આ જ એસી કંપનીએ નવી સ્કીમ શરૂ કરી છે. જેમાં તમે ઘરને ઠંડુ રાખવાની સાથે ઉંદરોની સંખ્યા ઓછી કરી શકો છો.

તો અન્ય એક યૂઝરે આ વાયરલ વીડિયો પર ટિપ્પણી કરી કે, ઘરમાં સાપ અને ઉંદર. તે પણ એસીમાં. આ ખૂબ જ ડરામણુ છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, આ વીડિયો નકલી છે. આવું બની જ ન શકે. સોશિયલ મીડિયા પર તમામ યૂઝર્સે આ વીડિયોને શેર કરી લખ્યું કે, ઘરમાં સાફ સફાઇ રાખો. એસીની સર્વિસ કરાવતા રહો નહીતર આવા જાનવર તમારા ઘરમાં ડેરો નાખી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયો ઘણાં વાયરલ થઇ રહ્યા છે. ઘણાં યૂઝર્સ માટે આ પ્રકારના વીડિયો સેન્સિટીવ હોય છે. તેઓ આ પ્રકારના વીડિયો જોઇ શકતા નથી.

About The Author

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.