શું AAP ગુજરાતમાં માત્ર સોશિયલ મીડિયા પુરતી જ સક્રિય છે? કાર્યકર્તાઓનો ઉત્સાહ ઓસરી ગયો છે?

આમ આદમી પાર્ટી (આપ) એ ગુજરાતના રાજકીય પટલ પર થોડા વર્ષો પહેલાં એક નવી આશા તરીકે ઉભરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે નોંધપાત્ર પ્રદર્શન કરીને પાંચ બેઠકો જીતી હતી અને રાજ્યમાં વિપક્ષની ભૂમિકા ભજવવાની શરૂઆત કરી હતી. રાજકીય વિશ્લેષકોની ચર્ચાઓમાં એવું પણ કહેવાતું હતું કે ‘આપ’ ગુજરાતમાં કોંગ્રેસને પછાડીને ભાજપ સામે મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી શકે છે. હવે બે વર્ષ પછી પક્ષની સ્થિતિ અને સક્રિયતા અંગે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. શું ‘આપ’ ગુજરાતમાં ફક્ત સોશિયલ મીડિયા સુધી સીમિત રહી ગઈ છે? કાર્યકર્તાઓનો ઉત્સાહ ઓસરી ગયો છે કે પક્ષ નવી રણનીતિ સાથે આગળ વધવાની તૈયારી કરી રહ્યો છે? 

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’એ નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. પક્ષે 14 ટકા જેટલા મત મેળવ્યા અને પાંચ ધારાસભ્યો ચૂંટાયા. આ સફળતાએ એવું ચિત્ર ઊભું કર્યું હતું કે ‘આપ’ ગુજરાતમાં નવો રાજકીય વિકલ્પ બની શકે છે. ખાસ કરીને ગ્ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષે શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના મુદ્દાઓને આગળ રાખીને મતદારોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર પક્ષની સક્રિયતા નોંધપાત્ર હતી.

1624867536Isudan_

ચૂંટણી પછીના બે વર્ષમાં ‘આપ’ની ફિલ્ડમાં હાજરી નબળી પડી હોય તેવું લાગે છે. સ્થાનિક સ્તરે કાર્યક્રમો, જનસંપર્ક અભિયાનો કે મતદારો સાથે સીધા સંપર્કના પ્રયાસો ખૂબ ઓછા જોવા મળ્યા છે. ઘણા રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે પક્ષનું સંગઠન હજુ પણ પ્રાથમિક તબક્કામાં છે અને તે ભાજપના મજબૂત સંગઠનાત્મક માળખા કે કોંગ્રેસના પરંપરાગત વોટબેંકની સામે ટકી શક્યું નથી.

સોશિયલ મીડિયા પર જોતાં ‘આપ’ના કેટલાક પ્રદેશ સ્તરના નેતાઓ નિયમિતપણે લાઇવ, પોસ્ટ્સ અને ચર્ચાઓ દ્વારા સક્રિય રહેવાનો પ્રયાસ કરે છે. અહીં તેઓ રાજ્ય સરકારની નીતિઓની ટીકા કરે છે અને પોતાના મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જોકે આ સક્રિયતા મોટે ભાગે ઓનલાઇન જ રહે છે અને ગ્રાઉન્ડ લેવલ પર તેનું પરિણામ દેખાતું નથી. કાર્યકર્તાઓની સંખ્યા અને તેમની સક્રિયતા અંગે પણ સવાલો ઉભા થયા છે. ઘણા કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળે છે કારણ કે સંગઠન અને નેતૃત્વની સ્પષ્ટ દિશા દેખાતી નથી.

03

ગુજરાતમાં ભાજપનું સંગઠન ઘરે ઘરે અને ગામે ગામે પહોંચેલું છે. તેમના કાર્યકર્તાઓ નિયમિતપણે જનસંપર્ક, સામાજિક કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી રણનીતિઓ પર કામ કરે છે. આની સામે ‘આપ’નું સંગઠન હજુ પણ નબળું છે. પક્ષ પાસે સ્થાનિક સ્તરે મજબૂત નેતૃત્વ અને કાર્યકર્તાઓની ટીમનો અભાવ જણાય છે. આ ઉપરાંત ‘આપ’ની ઓળખ હજુ પણ શહેરી મધ્યમવર્ગ સુધી મર્યાદિત રહી હોય તેવું લાગે છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેની પકડ નબળી છે.

આપ’ માટે ગુજરાતમાં પોતાની હાજરીને મજબૂત કરવી હવે એક પડકાર છે. પક્ષે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરવી પડશે. સોશિયલ મીડિયા એક મહત્વનું સાધન છે પરંતુ તેની સાથે ફિલ્ડમાં સક્રિયતા પણ જરૂરી છે. પક્ષે નવા નેતાઓને તક આપીને અને સંગઠનાત્મક માળખું મજબૂત કરીને જ મતદારોનો વિશ્વાસ જીતી શકે છે.

02

જો ‘આપ’ ગુજરાતમાં પોતાની ઓળખને મજબૂત કરવા માંગે છે, તો તેને ફિલ્ડમાં સતત કામ કરવું પડશે અને સ્થાનિક મુદ્દાઓ દ્વારા લોકો સાથે જોડાવું પડશે. શું ‘આપ’ આ પડકારોનો સામનો કરીને નવી શરૂઆત કરશે? આનો જવાબ આવનારા દિવસોમાં જ મળશે.

 

About The Author

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.