PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ વધવાનું સાચું કારણ શું છે?

ગુજરાત આપના દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ રહી છે. ભાજપ માટે પીએમ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યા તે સમય સુવર્ણકાળ સમો રહ્યો. ગુજરાતના મતદારોનો વિશ્વાસ જીત્યા અને પણ એમના કાર્યોને યાદ કરીને ગુજરાતની જનતા ભાજપને મત આપે છે અને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. એ વાત સાચી છે કે કેટલાક વર્ષોથી ભાજપનું સંગઠન ડખે ચઢ્યું છે અને કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ડગ્યો છે સાથે સાથે સરકાર પણ કેટલાક પ્રશ્નોમાં ભેખડે ભેરવાયાના સંજોગો બન્યા છે. પરંતુ આ બધા વચ્ચે સમયાંતરે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની સક્રિયતા ને કારણે બધું ઠરીઠામ થતું આવ્યું છે. 

28

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને હાલ ભુપેન્દ્રભાઈ પટેલ માટે મુખ્યમંત્રીનો તાજ કાંટાળો રહ્યો છે પરંતુ સરકાર હંમેશા વિપરીત સંજોગોમાંથી બહાર આવી અને મતદારોનો વિશ્વાસ ભાજપ પર અડીખમ રહ્યો છે એ ચૂંટણીઓના પરિણામો પરથી જાણી સમજી શકાય છે. 

હવે વાત ભાજપની. ભાજપના પ્રદેશના વરિષ્ઠ નેતાઓ અને ચૂંટાયેલા સાંસદો ધારાસભ્યો અને કાર્યકર્તાઓ માટે પક્ષની વિચારધારા, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આદર્શ અને પ્રેરણા સ્ત્રોત રહ્યા. પરંતુ જ્યારથી સીઆર. પાટીલ પ્રદેશ અધ્યક્ષની ભૂમિકામાં આવ્યા ત્યારથી સરકાર, વરિષ્ઠ કાર્યકર્તાઓ, સાંસદો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ માટે કઈક નવાજ સમીકરણો અને સંજોગો ઊભા થયા. તેઓ પીએમ મોદીના નિકટવર્તી હોવાનું એક એવું આભામંડળ રચાયું અને ગુજરાતના સરકારના વહીવટમાં એમની દખલ અને સંગઠનમાં પીઢ નેતાઓને હાસિયામાં ધકેલી દેવાના નિર્ણયોને કારણે કાર્યકર્તાઓમાં મૌન અસંતોષ ઊભો થયો અને નિરાશા વધતી ગઈ. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશની ધૂરા સાચવવામાં વ્યસ્ત રહ્યા ત્યારે સીઆર. પાટીલની કાર્યશૈલીથી નારાજ નેતાઓ, કાર્યકર્તાઓ , વિવિધ સામાજિક આગેવાનો અને ઉદ્યોગકારોનો પીએમ મોદી અને અમિત શાહ સાથેનો જે સંપર્ક તૂટ્યો તે હવે ફરીથી જીવીત કરવાનો સમય આવી ગયો હોવાનું સિરસસ્થ નેતૃત્વના ધ્યાનમાં આવી ગયેલું હોવાનું તેઓના ગુજરાત પ્રવાસો પરથી જણાઈ રહ્યું છે. 

29

સૌ રાજનેતાની પોતાની આગવી કાર્યશૈલી હોય છે અને સમયાંતરે વિવિધ કાર્યશૈલીના નેતાઓની આવશ્યકતા રાજનીતિમાં રેહતી જોય છે. બની શકે કે સીઆર. પાટીલની કાર્યશૈલીનો યથાયોગ્ય સમયે પક્ષને આવશ્યકતા જણાય હોય અને એમને એમનું સારું ફળ પણ મળ્યું હોય. પરંતુ હવે ગુજરાતની રાજનીતિમાં પરિવર્તનનો પવન ફૂંકાય રહ્યો છે એવું જણાઈ રહ્યું છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાની કર્મભૂમિ ગુજરાતની જનતા અને ગુજરાત ભાજપના અદના કાર્યકર્તાઓ નેતાઓની સાથે સીધો સંપર્ક સાધી ગુજરાતના પ્રશ્નો ને ઉકેલવા અને ભાજપના સંગઠનની સ્થિતિ અને કાર્યકર્તાઓના મનને વાંચી અને લાગણીઓને સમજી એજ જૂની ભાજપ ને ફરીથી રૂપ આપવા માટે ગુજરાતના પ્રવાસો વધાર્યા હોવાનું રાજકીય ચિંતકોનું વિશ્લેષણ આવી રહ્યું છે.

 

About The Author

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.