આજના તમામ મુસ્લિમો એક સમયે હિન્દુ હતા; અરબથી નથી આવ્યા...’, MLA રાજા ભૈયાનું નિવેદન

ઉત્તર પ્રદેશના કુંડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાલમાં દેશમાં જેટલા પણ મુસ્લિમ છે, તેમના પૂર્વજો હિન્દુ જ હતા. આગળ વધતા તેમણે કહ્યું કે જે લોકોએ તે સમયમાં દબાણ કે ભય આગળ ઘૂંટણ ટેકવી દીઘા, તેઓ કાયર હતા, અને આ તેમણે જ ધર્મ પરિવર્તન કર્યું. રાજા ભૈયાનું નિવેદન સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

raja-bhaiya1
aajtak.in

રઘુરાજ પ્રતાપ સિંહે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે દરમિયાન તેમણે ટિપ્પણી કરી હતી કે, તમિલનાડુમાં DMK પાર્ટીના એક નેતા છે, જેમણે કહ્યું હતું કે સનાતન ધર્મને જ સમાપ્ત કરી દેવો જોઈએ. તેમણે તેને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખાવ્યો. બીમારીઓ સાથે તુલના કરવામાં આવી કે હિન્દુ ધર્મ સૌથી હલકી કક્ષાનો છે. 'હિન્દુત્વને સમાપ્ત કરો'. જરા કલ્પના કરો કે, જો કોઈએ કહ્યું હોત કે 'ઇસ્લામને ખતમ કરો, ખબર નહીં કેટલા ફતવા જાહેર થઇ ગયા હોત?'

તેમણે આગળ કહ્યું કે, સૌથી મહત્ત્વપૂર્ણ છે કે આપણે આપણા રાષ્ટ્ર, આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિના રક્ષણ માટે લડવા માટે તૈયાર રહીએ. બીજું કોઈ આપણા માટે આ લડાઇ લડશે નહીં. એટલે અમે કહીએ છીએ કે જાત-પાતના ભેદભાવને કહોઅલવિદા, આપણે બધા હિન્દુ ભાઇ-ભાઈ છીએ.

raja-bhaiya2
navbharattimes.indiatimes.com

તેમણે કહ્યું કે, આજે જેટલા મુસ્લિમો છે, કે બધા પહેલા હિન્દુ હતા. તેઓ અરબ કે ઓમાનથી આવ્યા નથી. જેમની પાસે શ્રદ્ધાનો અભાવ હતો, જેઓ કાયર હતા, લોભી હતા, લાલચું અને નિષ્ઠાહીન હતા, તે લોકોએ દબાણમાં આવીને ધર્મ પરિવર્તન કર્યું. જોકે, આપણે એવા લોકોના વંશજો છીએ જેઓ ધાર્મિક હતા, વીર હતા અને બલિદાની હતા.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.