નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માનવાધિકાર અને લોકતંત્ર માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશટ કરવામાં આવ્યા છે. આ જાણકારી પાકિસ્તાન વર્લ્ડ અલાયન્સ અને નોર્વેજિયન રાજનીતિક પાર્ટી સેન્ટ્રમે આપી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્થાપિત એક એડવોકેસી ગ્રુપ પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA)ના સભ્યોએ ઈમરાન ખાનના નોમિનેશનની જાહેરાત કરી છે, જેઓ નોર્વેની રાજનીતિક પાર્ટી સેન્ટ્રમના સભ્ય પણ છે.

imran-khan1
thehindu.com

 

પાર્ટી સેન્ટ્રમે રવિવારે X (અગાઉ ટ્વીટર) પર કહ્યું કે, અમને પાર્ટી સેન્ટ્ર્મ તરફથી એ વાતની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે નોમિનેશનના રાઇટવાળા કોઇ વ્યક્તિ સાથે ગઠબંધન કરીને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાનમાં માનવાધિકાર અને લોકતંત્ર સાથે તેમના નામ માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તો, વર્ષ 2019માં, ઇમરાન ખાનને દક્ષિણ એશિયામાં શાંતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, દર વર્ષે નોર્વેજીયન નોબેલ સમિતિને સેંકડો નોમિનેશન મળે છે, ત્યારબાદ તેઓ 8 મહિનાની લાંબી પ્રક્રિયાના માધ્યમથી વિજેતાની પસંદગી કરે છે. ઈમરાન ખાન, જે પાકિસ્તાનની મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સંસ્થાપક પણ છે, ઑગસ્ટ 2023થી જેલમાં બંધ છે. આ વર્ષે જાન્યુઆરીમાં, ઇમરાન ખાનને સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ચોથો મોટો કેસ હતો, જેમાં પૂર્વ વડાપ્રધાનને દોષી ઠેરવવામાં આવ્યા છે. જો કે ઈમરાન ખાને પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, આ બધા કેસ રાજનીતિથી પ્રેરિત છે.

imran-khan3
indianexpress.com

 

સરકારી ગિફ્ટ વેચવા, સરકારી જાણકારી લીક કરવા અને ગેરકાયદેસર લગ્ન સંબંધિત ત્રણ અગાઉની સજાઓને કોર્ટો દ્વારા રદ કે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ ઈમરાન ખાન સત્તામાંથી બહાર થઈ ગયા હતા.

Related Posts

Top News

વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો, ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર ગંભીર આરોપ, પથ્થરમારો...

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય તણાવ વધ્યો છે. આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પર જીવાપરા વિસ્તારમાં...
Politics 
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો, ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર ગંભીર આરોપ, પથ્થરમારો...

મેઘાલયમાં ગુમ થયેલા દંપતી કેસમાં પત્ની સોનમ જ આરોપી નીકળી, પતિને જ પતાવી દીધો

ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. સોનમ UP...
National 
મેઘાલયમાં ગુમ થયેલા દંપતી કેસમાં પત્ની સોનમ જ આરોપી નીકળી, પતિને જ પતાવી દીધો

શું ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો વિવાદ એક દેખાડાની સમજી વિચારીને રજૂ થયેલી રાજરમત છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક બે એવા નામ જે આજે વૈશ્વિક રાજકારણ અને ઉદ્યોગ જગતના કેન્દ્રમાં છે. ટ્રમ્પની અમેરિકાના પ્રમુખ...
World 
શું ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો વિવાદ એક દેખાડાની સમજી વિચારીને રજૂ થયેલી રાજરમત છે

ભારતીય વિદ્યાર્થીઓ USના વીઝા મેળવવા પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે, પણ તે જોખમી છે

ટ્રમ્પના વહીવટી તંત્રએ અમેરિકાના વીઝા માટે સોશિયલ મીડિયા પોસ્ટની સંપૂર્ણ તપાસ પછી જ વીઝા આપવાના નિર્ણય પછી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં...
World 
ભારતીય વિદ્યાર્થીઓ USના વીઝા મેળવવા પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે, પણ તે જોખમી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.