GST જટિલ, વિયેતનામમાં માત્ર 8 ટકા અને અહીં...' શશિ થરૂર વિફર્યા

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોમવારે સરકારની આર્થિક રણનીતિ પર હુમલો કરતા ફાઇનાન્સ બિલને 'પેચવર્કના ક્લાસિક મામલો' ગણાવ્યું અને ભારતના GSTને 'દુનિયાનો સૌથી જટિલ ટેક્સ' ગણાવ્યો. લોકસભામાં ચર્ચા દરમિયાન બોલતા થરૂરે તર્ક આપ્યો કે, સરકારના સુધારાઓમાં સ્પષ્ટતાનો અભાવ છે અને ગાઢ સંરચનાત્મક પડકારોનું સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા છે. સદનમાં નાણાં મંત્રીના બજેટ ભાષણે મને ગેરેજ મિકેનિકની યાદ અપાવી દીધી, જેમણે કહ્યું હતું કે હું તમારી બ્રેક સારી નહી કરી શકું, એટલે મેં હોર્ન તેજ વગાડી દીધો, પરંતુ ફાઇનાન્સ બિલને જોતા, તેઓ હવે ટેક્સપેયર્સ કહી રહ્યા છે કે, હું છત ઠીક કરી શકી નથી, પરંતુ હું તમારા માટે છત્રી લઇને આવી છું. આ ફાઇનાન્સ બિલ પેચવર્ક સમાધાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

shashi-tharoor1
deccanchronicle.com

ભારતના GST ઇન્ફ્રાને ભ્રામક અને અકુશળ બતાવતા થરૂરે કહ્યું કે, આપણે બધા જે સારા અને સરળ ટેક્સની અપેક્ષા કરી રહ્યા હતા, તેની જગ્યાએ, ભારતમાં ઘણા વધુ ભ્રામક GST દરો છે, જેમાં દુનિયામાં સૌથી વધુ 28 ટકા GST દર સામેલ છે, પરંતુ ટેક્સની આવક હજી ઘરેલુ ઉત્પાદનની 18 ટકા છે. તેમણે અન્ય દેશો સાથે તુલના કરતા કહ્યું કે, ચીનમાં 13 ટકા GSTની સીમા છે, પરંતુ તેઓ GDPનું 20 ટકા કલેક્શન કરે છે. વિયેતનામમાં આ સીમા 8 ટકા ઓછી છે અને તેઓ GDPના 19 ટકા કલેક્શન કરે છે. થાઇલેન્ડમાં GST માત્ર 7 ટકા છે અને GDPના 17 ટકા મેળે છે. હવે, વધુ પડતા દરો સિવાય, દુનિયામાં સૌથી જટિલ ટેક્સ હોવાનો શંકાસ્પદ ભાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, 77 દેશોમાં GST છે અને તેઓ માત્ર એક કે બે ટેક્સ સ્લેબ લગાવે છે. આપણા દેશમાં, ઘણા ટેક્સ સ્ટ્રક્ચરે વ્યવસાયો માટે અનુપાલન બોજમાં વધારો કર્યો છે. કોંગ્રેસના સાંસદના સવાલના જવાબમાં ભાજપના નિશિકાંત દુબેએ સરકારના આર્થિક રેકોર્ડનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા, જે 2 ટ્રિલિયન અમેરિકન ડૉલરની હતી, છેલ્લા 10 વર્ષમાં 4.5 ટ્રિલિયન અમેરિકન ડૉલર થઈ ગઇ છે. સકારાત્મક પાસાઓને જોયા વિના દરેક વસ્તુનો વિરોધ કરવો કોંગ્રેસનો એજન્ડા છે.

shashi-tharoor2
livemint.com

કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપલે પણ આ હુમલામાં સામેલ થઇને આરોપ લગાવ્યો હતો કે, 18 લાખ કરોડ રૂપિયાની કોર્પોરેટ લોન માફ કરી દેવામાં આવી છે. જવાબમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે માફ કરવાનો અર્થ એ નથી કે પૈસા આપી દેવામાં આવ્યા છે. સરકાર મામલાઓ પર નજર રાખી રહી છે.

About The Author

Related Posts

Top News

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.