દિલ્હીના નેતા ચૂંટણીમાં ખોટું બોલે છે, ખોટાં વાયદા કરે છે પણ પૈસા નથી આપતાઃ મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરી એકવાર હુમલાવર થયા છે. તેમણે પોતાના ભાષણમાં BJP પર મોટો હુમલો બોલ્યો છે. માલદામાં આયોજિત એક જનસભામાં પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ખોટું બોલવા અને જનકલ્યાણના કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે, આ દિલ્હીના નેતા ચૂંટણીમાં ખોટું બોલે છે, ખોટાં વાયદાઓ કરે છે પરંતુ, પૈસા નથી આપતા. પોતાના રાજ્યના પૈસા અમને જ નથી મળતા. સરકાર એ પૈસાથી અર્થનીતિ નહીં પરંતુ, રાજનીતિ કરી રહી છે, કોઈ જનકલ્યાણના કામો નથી કરી રહી.

હાલમાં જ મમતા બેનર્જીએ આંદમાન નિકોબારના કેટલાક દ્વીપોના નામ બદલવાને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પહેલ માત્ર એક લોકપ્રિયતા હાંસલ કરવા માટે કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પોતે જ 1943માં બે દ્વીપોના નામ ક્રમશઃ શહીદ અને સ્વરાજ રાખ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના 21 દ્વીપોનું નામકરણ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર કરાયા બાદ મમતા બેનર્જીની આ પ્રતિક્રિયા સામે આવી હતી.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આજે માત્ર લોકપ્રિયતા મેળવવા માટે કેટલાક લોકો દ્વીપોના નામ શહીદ અને સ્વરાજ રખાયા હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, આ સત્ય નથી. નેતાજીએ સેલુલર જેલના પ્રવાસ દરમિયાન આ દ્વીપોના આ નામો રાખ્યા હતા.

આ અગાઉ પણ મમતા બેનર્જીએ કેન્દ્રની BJP સરકાર પર હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું હતું કે, BJPની વિચારધારા આત્મકેન્દ્રિય થવાનું છે. સંવિધાનનું પાલન કરવું આપણી મજબૂરી છે, પરંતુ આજે ઈતિહાસ, ભૂગોળ, રાજકારણને ભૂલવવામાં આવી રહ્યા છે. શિક્ષણ અને સંસ્કૃતિને બદલવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હું દેશમાં એકતા ઈચ્છું છું. સંઘીય ઢાંચાને મજબૂત કરવા માંગુ છું. સમગ્ર ભારતમાં અભૂતપૂર્વરીતે TMC સરકાર વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તમારે વિનમ્રતા સાથે લોકોની વાત સાંભળવી પડશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.