રોહિત બાદ કોણ હશે ભારતીય ટીમનો કેપ્ટન? આકાશ ચોપડાએ આ બે ખેલાડીનું લીધું નામ

ભારતીય ટીમની કેપ્ટન્સીને લઇને છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ બહેસ છેડાઇ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ રોહિત શર્માની કેપ્ટન્સી છોડી શકે છે. તો T20માં હાર્દિક પંડ્યાને આગળ જઇને ફૂલ ટાઇમ કેપ્ટન બનાવી શકાય છે. હવે ભારતીય ટીમની કેપ્ટન્સી સાથે જોડાયેલી ડિબેટમાં ભારતે ટીમના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા પણ સામેલ થઇ ગયા છે. આકાશ ચોપડાએ ભવિષ્યમાં ભારતની કેપ્ટન્સી માટે શુભમન ગિલ અને રિષભ પંતને દાવેદાર બતાવ્યા છે.

આકાશ ચોપડાએ જીઓ સિનેમાના એક સ્પોર્ટ્સ શૉમાં કહ્યું કે, મને નથી લાગતું કે, બધા ફોર્મેટ માટે એક જ કેપ્ટન જોવાના દિવસ પૂરા થઇ ગયા છે. રોહિત શર્મા ટેસ્ટ ચેમ્પિયનશીપ સુધી ટેસ્ટ ટીમનો કેપ્ટન હશે. એ બદલાવાનું નથી. તે એમ જ રહેવાનું છે. હાર્દિક પંડ્યા વર્તમાનમાં T20 ફોર્મેટમાં કેપ્ટન છે અને મને લાગે છે કે તે એમ કરવાનું ચાલુ રાખશે. ICC T20 વર્લ્ડ કપ 2024માં તમે હાર્દિક પંડ્યાને ભારતીય ટીમના કેપ્ટનના રૂપમાં જોશો.

આકાશ ચોપડાનું માનવું છે કે, રોહિત શર્મા આ વર્ષે વર્લ્ડ કપ સુધી વન-ડે કેપ્ટનના રૂપમાં પોતાની જવાબદારી સંભાળી રાખશે, પરંતુ ભારતીય કેપ્ટન્સીના ફ્યૂચરની વાત કરવામાં આવે તો શુભમન ગિલ અને રિષભ પંત આ મામલે સૌથી આગળ છે. આકાશ ચોપડાએ કહ્યું કે, વન-ડે ક્રિકેટમાં રોહિત શર્મા વર્લ્ડ કપ સુધી કેપ્ટન બન્યા રહેશે. પરંતુ મને લાગે છે કે લાંબા સમયમાં ભારતની કેપ્ટન્સીની બાબતે શુભમન ગિલ અને રિષભ પંત હશે. ભવિષ્યમાં ભારતની કેપ્ટન્સી માટે એ મારો ઉમેદવાર છે.

શુભમન ગિલ આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં શુભમન ગિલે બે વખત સદી બનાવી હતી, જેમાંથી એક બેવડી સદી પણ સામેલ હતી. આ અગાઉ શુભમન ગિલે શ્રીલંકા વિરુદ્ધ સીરિઝમાં શાનદાર રમત દેખાડી હતી. શભમન ગિલ છેલ્લી 4 વન-ડે ઇનિંગ દરમિયાન 3 અવસર પર ત્રિપલ અંકો સુધી પહોંચી ચૂક્યો છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની વાત કરીએ તો તે હાલમાં ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. પંત ગયા વર્ષના ડિસેમ્બરમાં કાર એક્સિડન્ટનો શિકાર થઇ ગયો હતો. અત્યારે તે હૉસ્પિટલમાં છે. પંતની આગામી થોડા મહિના સુધી મેદાનમાં ફરવાની સંભાવના નથી.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.