T20 વર્લ્ડ કપ રમવા ભારત આવવાની બાંગ્લાદેશે ના પાડી દીધી, આપ્યું આ કારણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)3 જાન્યુઆરીએ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રીલિઝ કરવાનો આદેશ આપ્યો હતો. BCCIના કહેવા પર KKRએ પણ મુસ્તફિઝુરને રીલિઝ કરી દીધો છે. BCCIએ બાંગ્લાદેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. આના પર બાંગ્લાદેશે મોટો નિર્ણય લેતા T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવાની જ ના પાડી દીધી છે. બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઇઝર આસિફ નજરુલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય અને અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, ભારતીય ક્રિકેટ બોર્ડની આક્રમક સાંપ્રદાયિક નીતિઓના જવાબમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ તેની બધી મેચો ભારતથી શ્રીલંકામાં શિફ્ટ કરવા માંગે છે. BCB આ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પત્ર લખવાનું છે. 7 ફેબ્રુઆરીથી ICC T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત ભારત અને શ્રીલંકામાં થવાની છે.

Mustafizur-Rahman2
dnaindia.com

ESPNcricinfoના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં ICCને પત્ર લખી શકે છે. બોર્ડ આ પત્રમાં કોલકાતામાં ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવશે. બાંગ્લાદેશની પ્રથમ 3 વર્લ્ડ કપ મેચ કોલકાતામાં થવાની છે. એવામાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ત્યાં તેના ખેલાડીઓની સુરક્ષાની ચિંતા છે.

BCB મીડિયા કમિટીના ચેરમેન અમજદ હુસૈને ESPNcricinfoને જણાવ્યું હતું કે, ‘કોલકાતામાં T20 વર્લ્ડ કપની 3 મેચ છે, એટલે અમે આજે જે કંઈ પણ થયું તે અંગે ICCને લખીશું.બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઇઝર આસિફ નજરુલે ફેસબુક પર લખ્યું હતું કે, ‘મેં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને ICCને આ મામલાને સમજાવવા કહ્યું છે. બોર્ડે એ બતાવવું જોઈએ કે જો કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર કરાર હોવા છતા ભારતમાં રમી શકતો નથી, તો આખી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ રમવા માટે ત્યાં જઈને સુરક્ષિત અનુભવી નહીં શકે. મેં બોર્ડને એવો પણ નિર્દેશ આપ્યો છે કે, તે બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં આયોજિત કરવાનો અનુરોધ કરે.

Mustafizur-Rahman
newsx.com

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના ઘણા બનાવો સામે આવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. તાજેતરના દિવસોમાં KKR અને તેના સહ-માલિક શાહરૂખ ખાનને પણ બાંગ્લાદેશી ખેલાડી ખરીદવા બદલ નિશાન બનાવવામાં આવ્યો હતો. એવામાં, BCCIએ ફ્રેન્ચાઇઝીને મુસ્તફિઝુર રહેમાનને રીલિઝ કરવાનો આદેશ આપ્યો, જેને KKR દ્વારા IPL 2026ના મિની-ઓક્શનમાં 9.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

About The Author

Top News

ધીમી બેટિંગ, ડેથ ઓવર્સ... ભારતીય ટીમની હારના કારણો

રાજકોટમાં ન્યૂઝીલેન્ડે જે રીતે ભારતને 7 વિકેટથી હરાવ્યું, તેનાથી ન માત્ર શ્રેણી બરાબર થઈ ગઈ, પરંતુ ભારતીય ટીમના...
Sports 
ધીમી બેટિંગ, ડેથ ઓવર્સ... ભારતીય ટીમની હારના કારણો

ભારતીય સેનાના જવાનો દરરોજ, દરરાત્રે, ઠંડી, ગરમી, બરફ અને ચોમાસામાં પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની રક્ષા કરે છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી દિવસના પ્રસંગે જયપુરમાં આપેલા ભાષણમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને હૃદયસ્પર્શી સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું...
National 
ભારતીય સેનાના જવાનો દરરોજ, દરરાત્રે, ઠંડી, ગરમી, બરફ અને ચોમાસામાં પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની રક્ષા કરે છે

વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી

અમદાવાદ (ગુજરાત) [ભારત], 13 જાન્યુઆરી:  વેસ્ટ કોસ્ટ કિયાએ તેના અમદાવાદ શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ રજૂ કરી. લોન્ચિગ ગ્રાહકોને ધ્યાનમાં રાખી...
Gujarat 
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી

સુરતમાં પરિવાર માટે પતંગની દોરી બની જીવલેણ, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા

ગઇકાલે ગુજરાત સહિત દેશભરમાં ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવ્યો. પતંગ રસિયાઓએ પતંગ ચગાવવાની ખૂબ મજા માણી. તો ઘણી જગ્યાએ આજે વાસી...
Gujarat 
સુરતમાં પરિવાર માટે પતંગની દોરી બની જીવલેણ, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી નીચે પટકાયા

Opinion

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો...
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.